એપશહેર

ભેંસના મોત બાદ ખેડૂતે રાખ્યું બેસણું અને આખા ગામને કરાવ્યું 'તેરમાનું ભોજન'

શ્રધ્ધાંજલિ સમારોહ દરમિયાન તમામ ગ્રામજનોએ ભેંસને શ્રદ્ધાંજલિ આપી હતી

I am Gujarat 8 Jan 2021, 4:38 pm
મેરઠઃ મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે ઊંડો લગાવના ઘણા કિસ્સા છે. આવી જ એક ઘટના મેરઠ જિલ્લાના બહુસુમા વિસ્તારમાં સામે આવી છે. અહીં એક ખેડૂતે તેની પાળેલ ભેંસના મૃત્યુ પછી તેનું બેસણું રાખ્યું એટલું જ નહીં તેની તેરમીના રોજ આખા ગામને ભોજન પણ કરાવ્યું. શ્રધ્ધાંજલિ સમારોહ દરમિયાન તમામ ગ્રામજનોએ ભેંસને શ્રદ્ધાંજલિ આપી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં આ અનોખી તેરમી ચર્ચાનો વિષય બની છે.
I am Gujarat terahwin bhoj to villagers after his beloved buffalo died
ભેંસના મોત બાદ ખેડૂતે રાખ્યું બેસણું અને આખા ગામને કરાવ્યું 'તેરમાનું ભોજન'


મહંમદપુર શાકિસ્ટ ગામમાં રહેતો સુભાષ વ્યવસાયે ખેડૂત છે. સુભાષ છેલ્લા 32 વર્ષથી એક ભેંસની માલિકી ધરાવતો હતો. જો કે, આ ભેંસ લાંબા સમય પહેલા દૂધ આપવાનું બંધ કરી દીધી હતી. પરંતુ બાળપણથી જ ભેંસ ઉછેરતા સુભાષે તેની ભેંસ વેચી ન હતી. બીજી બાજુ માંદગીને કારણે થોડા દિવસો પહેલા આ ભેંસનું મોત નીપજ્યું હતું.

ભેંસના મૃત્યુ પછી સુભાષના પરિવારે ઢોલ અને નગારા સાથે ભેંસના અંતિમ સંસ્કાર કર્યા હતા. ભેંસના મૃત્યુના 13 દિવસ પછી ગુરુવારે સુભાષે તેના ઘરે હિંદુ રિવાજ મુજબ ભેંસની તેરમાની વિધિ કરી. સેંકડો ગ્રામજનોએ આ ભેંસની તેરમીમાં હાજરી આપી હતી. પહેલા શ્રદ્ધાંજલિ સભા યોજાઇ હતી. જેમાં સુભાષ અને અન્ય તમામ ગ્રામજનોએ ભેંસના ફોટા ઉપર પુષ્પો અર્પણ કર્યા અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

એટલું જ નહીં તેરમીમાં આવેલા ગ્રામજનોને પ્રસાદ તરીકે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભેંસના માલિક સુભાષ કહે છે કે તે પોતાની ભેંસને તેના પરિવારના સભ્યની જેમ માનતો હતો. તેથી ભેંસના મૃત્યુ પછી આત્માની શાંતિ માટે દરેક ધાર્મિક વિધિ કરી. જેથી તેની ભેંસની આત્માને સ્વર્ગમાં સ્થાન મળી શકે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો