એપશહેર

પાલતૂ કૂતરાંનું થયું મોત તો દુઃખી માલિકે પણ આપી દિધો જીવ!

બે દિવસ પહેલા માલિકને કૂતરો ઘરેથી ગુમ થયો હતો જે પાછળથી મૃત મળી આવ્યો, જેના કારણે માલિક ખુબ જ દુઃખી હતા

I am Gujarat 31 Oct 2020, 3:48 pm
છિંદવાડાઃ મધ્યપ્રદેશના છિંદવાડાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પોતાના પાલતૂ કૂતરાંના મોતનાં દુઃખમાં આત્મહત્યા કરી લીધી! અહેવાલ મુજબ, આ કેસ છીંદવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનેપુર મલ્ટી સ્થિત એક ઘરમાં બની છે. જ્યાં રહેતા 43 વર્ષીય સંજીવ મંડલના પાલતૂ કૂતરાંનુ બે દિવસ પહેલા મોત થતા દુઃખી હતો. પોલીસે માલિકના આપઘાત અંગે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
I am Gujarat the owner was hurt by the death of his dog committed suicide
પાલતૂ કૂતરાંનું થયું મોત તો દુઃખી માલિકે પણ આપી દિધો જીવ!


મૃતકના પુત્ર અમન મંડળે જણાવ્યું કે અમારા મકાનમાં એક કૂતરો હતો, જેનું સવારે મોત નીપજ્યું હતું. તેમના મૃત્યુથી પિતાને ભારે દુઃખ થયું હતું. તેમણે દારૂ પીધો હતો. જ્યારે અમે બપોરે 1 વાગ્યે કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે તેમણે ફાંસી લગાવી લીઘી હતી.

પોલીસ સ્ટેશનના પ્રભારી મનીષરાજ ભદોરિયાએ જણાવ્યું હતું કે સોમદેવ નામના વ્યક્તિનો પાલતુ કૂતરો 2 દિવસ પહેલા ગુમ થયો હતો, જે બાદમાં મૃત મળી આવ્યો હતો. તે માણસ તેના મૃત્યુથી દુ: ખમાં હતો. સંબંધીઓએ જણાવ્યું હતું કે કૂતરાનું મોત થતા તેણે પોતે આત્મહત્યા કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો