એપશહેર

98 વર્ષના વૃદ્ધ જેલમાંથી મુક્ત થયા,કોઈ લેવા ન આવ્યું તો જેલ અધિકારીએ કંઈક એવુ કર્યું કે જેનો વિડીયો જોઈ તમે ભાવુક થઈ જશો

એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જેનો જોઈ મોટી સંખ્યામાં યુઝર્સ ભાવુક થઈ રહ્યા છે. 98 વર્ષના એક વૃદ્ધ જ્યારે જેલમાંથી મુક્ત થયા ત્યારે તેમને લેવા માટે કોઈ ન આવ્યું. ત્યારબાદ જેલ અધિકારી (Jail Officer) શશિકાંત મિશ્રા દ્વારા આ વૃદ્ધને તેમનો તમામ સામાન પરત કરવામાં આવ્યો.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 8 Jan 2023, 11:59 pm
કેટલાક લોકો જેલ (Prison)માં પોતાનું સંપૂર્ણ જીવન પસાર કરી નાંખે છે. ભારતમાં પણ આવી અનેક જેલ છે જેમાં અનેક લોકો પોતાની સજા પૂરી કરતા કરતા વૃદ્ધ થઈ જાય છે. જ્યારે આ વૃદ્ધો તેમની સજા પૂરી કરી લે છે તો તેમના ઘરે પરત મોકલી આપવામાં આવે છે. તાજેતરમાં એક ભાવુક (Emotional) કરી દે તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
I am Gujarat Jail


જેલમાંથી છૂટ્યા બાદ વૃદ્ધને કોઈ લેવા પણ ન પહોંચ્યું

વિડીયોમાં જોઈ શકાય છે કે 98 વર્ષના વૃદ્ધ જેલમાંથી મુક્ત થયા હતા. વૃદ્ધે પોતાનું જીવન જેલમાં પસાર કરી દીધુ, ત્યારબાદ તેઓ જેલમાંથી મુક્ત થયા હતા. જેલમાંથી મુક્ત થયા તે સમયે વૃદ્ધને કોઈ લેવા પહોંચ્યું ન હતું. વૃદ્ધ વ્યક્તિ તેમનો પરિવાર ધરાવે છે કે નહીં તે અંગે માહિતી મળી નથી. ઉંમરના આ પડાવમાં વૃદ્ધને લેવા કોઈ આવ્યું નહીં. ત્યારબાદ જેલ અધિકારી (Jail Officer) શશિકાંત મિશ્રા દ્વારા આ વૃદ્ધને તેમનો તમામ સામાન પરત કરવામાં આવ્યો.

અને ગાડીમાં ઘર મોકલી આપ્યા. જેલ અધિકારી શશિકાંત મિશ્રાએ તે વૃદ્ધને 9.5 હજાર પરત કર્યાં હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમને કોઈ લેવા આવ્યું નથી, તો વૃદ્ધે માથુ હલાવી ના માં જવાબ આપ્યો. વિડીયોમાં લખેલા કેપ્શન પ્રમાણે આ ઘટના અયોધ્યા જેલનો હોવાનું માનવામાં આવે છે અને વૃદ્ધનું નામ રામસૂરત હોવાનું માનવામાં આવે છે.

આ ભાવુક કરનાર આ વિડીયોને DG PRISONS U.Pના ટ્વિટર હેડલરથી પોસ્ટ કર્યું હતું અને કેપ્શનમાં લખ્યું હતું, 'પરહિત સરિસ ધર્મ નહીં' ભાઈ. આ વિડીયોને મોટી સંખ્યામાં લોકો જોઈ ચુક્યા છે. 500થી વધારે લાઈક્સ મળી ચુકી છે. વિડીયો વાયરલ થયા બાદ અનેક યુઝર્સ કોમેન્ટ લખી રહ્યા છે અને જેલ અધિકારીની પ્રશંસા કરી રહ્યા છે. અનેક લોકોએ તેમની માનવતાની મિશાલ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે.

Read Next Story