ભરુચના કલેક્ટર ડો. સુમેરાની ધોરણ-10ની માર્કશીટ જોઈ લોકો બોલ્યા- કાબેલ બનો, સફળતા કદમ ચૂમશે
ધોરણ 10 કે 12માં ઓછા માર્કસ આવવાથી જીવનનો અંત નથી આવી જતો. જો વ્યક્તિ હિંમત હાર્યા વિના પૂરી લગનથી મહેનત કરે તો પોતાનું ભવિષ્ય બદલી શકે છે. આ વાત ભરુચના કલેક્ટર ડો. તુષાર સુમેરાએ સાબિત કરી બતાવી છે. ભરુચના કલેક્ટર (Bharuch Collector) ડો. તુષાર સુમેરા (Dr. Tushar Sumera)ને ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં માત્ર પાસિંગ માર્ક્સ મળ્યા હતા. પોતાના આ પરિણામથી નાસીપાસ થયા વિના તેમણે આ નિષ્ફળતાને એક આત્મનિરીક્ષણની તક સમજી અને વધારે લગનથી મહેનત કરી યુપીએસસી (UPSC)ની પરીક્ષા પાસ કરી.
જીવનમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ (10th and 12th board exam) આગળના અભ્યાસ સાથે ઘણું મહત્વ ધરાવતા હોય છે. પરંતુ જો આમ છતાં બોર્ડનું પરિણામ ખરાબ આવે તો પણ બધા રસ્તા બંધ થઈ જતા નથી. આજ બાબતે દક્ષિણ ગુજરાતના ભરૂચ (Bharuch)ના કલેક્ટર (collector) ડો. તુષાર સુમેરા (Tushar Sumera)નું પરિણામ ઘણું બધું કહી જાય છે. તેમણે પોતાના ધોરણ-10 (10th standard)નું પરિણામ બતાવ્યું છે કે જેમાં તેમના માર્ક્સ જોઈને લોકોએ તેમને મહેનતની જરુર હોવાનું કહ્યું હતું, પરંતુ તેમણે એવી કમાલ કરી બતાવી કે આજે લોકો તેમના જૂના પરિણામને યાદ કરીને આશ્ચર્યમાં મૂકાઈ રહ્યા છે.
બધાએ કહ્યું, તે જીવનમાં કંઈ નહીં કરી શકે
છત્તીસગઢ (Chhattisgarh)કેડરના આઈએએસ ઓફિસર અવનીશ શરણ (Awanish Sharan)એ 11 જૂને ટ્વિટર પર આ વાત શેર કરી છે. તેમણે ભરુચના કલેક્ટર તુષાર સુમેરા અને તેમની 10મા ધોરણની માર્કશીટની તસવીર શેર કરી જણાવ્યું કે, 'ભરુચના કલેક્ટર તુષાર સુમેરાએ પોતાની 10મા ધોરણની માર્કશીટ શેર કરતા લખ્યું છે કે, તેમને 10મા ધોરણમાં માત્ર પાસિંગ માર્કસ આવ્યા હતા. તેમને 100માંથી અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ આવ્યા હતા. આખા ગામ જ નહીં, પરંતુ એ સ્કૂલમાં પણ એવું કહેવાયું કે, તે કંઈ નહીં કરી શકે. પરંતુ, તુષારે મહેનત અને લગનથી એ મુકામ મેળવ્યો કે તે પછી બધાના મોં સીવાઈ ગયા.'
તે પછી આઈએએસની ટ્વિટના જવાબમાં કલેક્ટર તુષારે 'થેન્ક્યુ સર' લખીને જવાબ આપ્યો. યૂઝર્સનું કહેવું છે કે, ડિગ્રીઓ માત્ર કાગળના ટુકડા છે, બીજું કંઈ નહીં. કોઈએ કહ્યું કે, ડિગ્રી નહીં તમારું ટેલેન્ટ મેટર કરે છે. ઘણાએ લખ્યું કે, લગન અને મહેનતના દમ પર કંઈપણ મેળવી શકાય છે. પરંતુ તેના માટે તમે જ્યારે જાગો ત્યારથી સવાર છે. એટલે વિચાર નહીં... જાગો અને એ લોકોનો મોં બંધ કરી દો, જે કહે છે કે તમે કંઈ નહીં કરી શકો.
બાળકો પર માર્કસનું પ્રેશર ન કરો ઉલ્લેખનીય છે કે, તુષાર ડી સુમેરા હાલમાં ભરુચ જિલ્લાના કલેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. વર્ષ 2012માં યુપીએસસી (UPSC) પરીક્ષા પાસ કરી તેઓ આઈએએસ અધિકારી બન્યા હતા. આજે તેઓ કરોડો લોકો માટે પ્રેરણા છે. આ પહેલા આઈએએસ નીતિન સાંગવાને પોતાની 12મા ધોરણની માર્કશીટ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કેમેસ્ટ્રીમાં તેમને માત્ર 24 માર્કસ મળ્યા હતા. તે પાસિંગ માર્કસથી માત્ર એક માર્ક વધારે હતો. પરંતુ આ માર્કસથી એ નક્કી ન થયું કે, મારે જીવનમાં શું કરવું જોઈએ. બાળકો પર માર્કસનું પ્રેશર ન કરો. જીવન બોર્ડ એક્ઝામથી ઘણું વધારે છે. રિઝલ્ટને આત્મનિરીક્ષણની તક સમજો, નહીં કે ક્રિટિસિઝમની.
બધાએ કહ્યું, તે જીવનમાં કંઈ નહીં કરી શકે
છત્તીસગઢ (Chhattisgarh)કેડરના આઈએએસ ઓફિસર અવનીશ શરણ (Awanish Sharan)એ 11 જૂને ટ્વિટર પર આ વાત શેર કરી છે. તેમણે ભરુચના કલેક્ટર તુષાર સુમેરા અને તેમની 10મા ધોરણની માર્કશીટની તસવીર શેર કરી જણાવ્યું કે, 'ભરુચના કલેક્ટર તુષાર સુમેરાએ પોતાની 10મા ધોરણની માર્કશીટ શેર કરતા લખ્યું છે કે, તેમને 10મા ધોરણમાં માત્ર પાસિંગ માર્કસ આવ્યા હતા. તેમને 100માંથી અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ આવ્યા હતા. આખા ગામ જ નહીં, પરંતુ એ સ્કૂલમાં પણ એવું કહેવાયું કે, તે કંઈ નહીં કરી શકે. પરંતુ, તુષારે મહેનત અને લગનથી એ મુકામ મેળવ્યો કે તે પછી બધાના મોં સીવાઈ ગયા.'
તે પછી આઈએએસની ટ્વિટના જવાબમાં કલેક્ટર તુષારે 'થેન્ક્યુ સર' લખીને જવાબ આપ્યો. યૂઝર્સનું કહેવું છે કે, ડિગ્રીઓ માત્ર કાગળના ટુકડા છે, બીજું કંઈ નહીં. કોઈએ કહ્યું કે, ડિગ્રી નહીં તમારું ટેલેન્ટ મેટર કરે છે. ઘણાએ લખ્યું કે, લગન અને મહેનતના દમ પર કંઈપણ મેળવી શકાય છે. પરંતુ તેના માટે તમે જ્યારે જાગો ત્યારથી સવાર છે. એટલે વિચાર નહીં... જાગો અને એ લોકોનો મોં બંધ કરી દો, જે કહે છે કે તમે કંઈ નહીં કરી શકો.
બાળકો પર માર્કસનું પ્રેશર ન કરો ઉલ્લેખનીય છે કે, તુષાર ડી સુમેરા હાલમાં ભરુચ જિલ્લાના કલેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. વર્ષ 2012માં યુપીએસસી (UPSC) પરીક્ષા પાસ કરી તેઓ આઈએએસ અધિકારી બન્યા હતા. આજે તેઓ કરોડો લોકો માટે પ્રેરણા છે. આ પહેલા આઈએએસ નીતિન સાંગવાને પોતાની 12મા ધોરણની માર્કશીટ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કેમેસ્ટ્રીમાં તેમને માત્ર 24 માર્કસ મળ્યા હતા. તે પાસિંગ માર્કસથી માત્ર એક માર્ક વધારે હતો. પરંતુ આ માર્કસથી એ નક્કી ન થયું કે, મારે જીવનમાં શું કરવું જોઈએ. બાળકો પર માર્કસનું પ્રેશર ન કરો. જીવન બોર્ડ એક્ઝામથી ઘણું વધારે છે. રિઝલ્ટને આત્મનિરીક્ષણની તક સમજો, નહીં કે ક્રિટિસિઝમની.