સોશિયલ મીડિયા પર એક આઈપીએસ (IPS) અધિકારીની ટ્વિટ વાયરલ થઈ રહી છે. વાત જાણે એમ છે કે UPSCની પરીક્ષાની તૈયારી કરનાર એક વિદ્યાર્થીએ આ IPS અધિકારીને સોશિયલ મીડિયા ટ્વિટર પર એક પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં આ વિદ્યાર્થીએ IPS અધિકારી પાસે UPSCની પરીક્ષા પાસ કરવા માટેની સલાહ માગી હતી. ત્યારે આ IPS અધિકારીએ એવો જવાબ આપ્યો કે લોકો તેમના ફેન થઈ ગયા. ઘણાં લોકો IPS અધિકારીની પરીક્ષા પાસ કરવા માટેની આ સલાહને અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ સલાહ માની રહ્યા છે.
ગુરુવારના રોજ ટ્વિટર યૂઝર @nanking122એ IPS અધિકારી અરુણ બોથરાને ટેગ કરતા લખ્યું કે, સર હું UPSCની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું, મહેરબાની કરીને મને કોઈ સલાહ આપો.
ત્યારે IPS અધિકારી અરુણ બોથરાએ આ વ્યક્તિને ટ્વિટર પર જવાબ આપતા લખ્યું કે તારો મોબાઈલ ફોન બદલીને Nokia 5310 ફોનનો ઉપયોગ કરવાનું શરૂ કર. આ ટ્વિટને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને રી-ટ્વિટ મળ્યા છે. જ્યારે અનેક લોકોએ IPS અધિકારીના આ જવાબ પર વિવિધ પ્રતિક્રિયા પણ આપી છે.
IPS અધિકારીના આ જવાબ પર તે યુવકે લખ્યું કે 'ઠીક છે સર, હું UPSCની પરીક્ષા પાસ કર્યા પછી તમને જવાબ આપીશ. સલાહ આપવા માટે આભાર સર'. હવે ટ્વિટર યૂઝર્સ UPSCની પરીક્ષા પાસ કરવા માટેની IPS અધિકારીની આ સલાહને અત્યાર સુધીની શ્રેષ્ઠ સલાહ ગણાવી રહ્યા છે.
ઘણાં લોકોએ IPS અધિકારીની આ સલાહની ગંભીર નોંધ લીધી. તેમણે જણાવ્યું કે સ્માર્ટફોનથી જીવન સરળ થયું છે પણ તેના કારણે અભ્યાસમાં અડચણ ઊભી થાય છે. સ્માર્ટફોનના કારણે અભ્યાસમાં મન ચોંટતુ નથી.
ગુરુવારના રોજ ટ્વિટર યૂઝર @nanking122એ IPS અધિકારી અરુણ બોથરાને ટેગ કરતા લખ્યું કે, સર હું UPSCની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું, મહેરબાની કરીને મને કોઈ સલાહ આપો.
ત્યારે IPS અધિકારી અરુણ બોથરાએ આ વ્યક્તિને ટ્વિટર પર જવાબ આપતા લખ્યું કે તારો મોબાઈલ ફોન બદલીને Nokia 5310 ફોનનો ઉપયોગ કરવાનું શરૂ કર. આ ટ્વિટને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને રી-ટ્વિટ મળ્યા છે. જ્યારે અનેક લોકોએ IPS અધિકારીના આ જવાબ પર વિવિધ પ્રતિક્રિયા પણ આપી છે.
IPS અધિકારીના આ જવાબ પર તે યુવકે લખ્યું કે 'ઠીક છે સર, હું UPSCની પરીક્ષા પાસ કર્યા પછી તમને જવાબ આપીશ. સલાહ આપવા માટે આભાર સર'. હવે ટ્વિટર યૂઝર્સ UPSCની પરીક્ષા પાસ કરવા માટેની IPS અધિકારીની આ સલાહને અત્યાર સુધીની શ્રેષ્ઠ સલાહ ગણાવી રહ્યા છે.
ઘણાં લોકોએ IPS અધિકારીની આ સલાહની ગંભીર નોંધ લીધી. તેમણે જણાવ્યું કે સ્માર્ટફોનથી જીવન સરળ થયું છે પણ તેના કારણે અભ્યાસમાં અડચણ ઊભી થાય છે. સ્માર્ટફોનના કારણે અભ્યાસમાં મન ચોંટતુ નથી.