એપશહેર

‘ભારતીય કફ સિરપ પીવાને કારણે 18 બાળકોએ જીવ ગુમાવ્યો’, ગામ્બિયા પછી હવે આ દેશે પણ કર્યો આરોપ

થોડા સમય પહેલા જ ગામ્બિયામાં ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપ પીવાને કારણે 70 બાળકોનાં મૃત્યુ થયા હોવાની જાણકારી સામે આવી હતી. તેવામાં હવે ઉઝબેકિસ્તાન દ્વારા પણ આ જ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયનો આરોપ છે કે, ભારતની ફાર્મા કંપનીની સિરપ પીધા પછી 18 બાળકોનાં મૃત્યુ થયા છે.

Edited byZakiya Vaniya | TNN 29 Dec 2022, 10:47 am

હાઈલાઈટ્સ:

  • ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે મૂક્યો મોટો આરોપ.
  • ભારતીય કંપનીની કફ સિરપને કારણે 18 બાળકોનાં મોત.
  • WHOએ ઉઝબેકિસ્તાનને સહયોગનું આશ્વાસન આપ્યું.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat cough syrup
પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હી- ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલય(Uzbekistan) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારતની દવા બનાવતી કંપની Marion Biotech Pvt. Lts. દ્વારા તૈયાર કરવામાં આવેલી કફ સિરપ પીવાને કારણે ઓછામાં ઓછા 18 બાળકોએ જીવ ગુમાવ્યો છે. મંત્રાલયનો આરોપ છે કે શ્વસનને લગતી સમસ્યાથી પીડાતા લગભગ 21 બાળકોએ Dok-1 Max Syrup પીધી હતી, જેમાંથી 18 બાળકોનું મૃત્યુ થયું છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ દવા શરદી અને ફ્લુના લક્ષણોની સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય છે.
જાપાનમાં કોરોનાથી એક દિવસમાં 415 લોકોના મોત, 2 લાખથી વધુ નવા દર્દી નોંધાયા
આ સિરપને Quramax Medical LLC દ્વારા ઈમ્પોર્ટ કરવામાં આવી હતી. મંગળવારના રોજ જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ સિરપ બનાવવામાં Ethylene Glycolનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય જાણકારી આપવામાં આવી છે કે, આ સિરપ બાળકોને ઘરે જ આપવામાં આવી હતી. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ તે ખરીદવામાં આવી હતી. અમુક બાળકોને ફાર્માસિસ્ટની સલાહથી આપવામાં આવી હતી. બાળકોને સિરપ ક્યારે આપવામાં આવી હતી, શું તમામ બાળકોએ શંકાસ્પદ જથ્થાનું સેવન કર્યુ હતું કે પછી બાળકોએ સ્ટાન્ડર્ડ ડોઝ કરતા વધારે પ્રમાણમાં સિરપ પીધી હતી, આ તમામ પ્રશ્નોના ઉત્તર હજી નથી મળી શક્યા.

Marion Biotech, Quramax Medical અને ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા હજી સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી. ભારત સરકારના એક સૂત્રએ જણાવ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ બાબતે તપાસ શરુ કરવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ જણાવ્યું કે તે ઉઝબેકિસ્તાન સરકાર સાથે સંપર્કમાં છે અને તપાસમાં સહયોગ કરવા માટેની તૈયારી પણ દર્શાવી છે.

પહેલા 40 દિવસમાં કોરોનાની લહેર આવવાની કરાઈ વાત, હવે AIIMSના ડોક્ટરોએ આપી મોટી ચેતવણી
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગામ્બિયામાં આ પ્રકારની ઘટના બની હતી. અહીં પણ 70 બાળકોએ જીવ ગુમાવ્યો હતો અને આરોપ નવી દિલ્હીની એક ફાર્મા કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી કફ સિરપ પર મૂકવામાં આવ્યો હતો. સરકાર અને કંપનીએ આ આરોપ ફગાવ્યા હતા. કંપનીએ ખુલાસો આપ્યો હતો કે તેમણે દવામાં હાનિકારક તત્વોનો ઉપયોગ નથી કર્યો.

ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે અત્યાર સુધી સાત કર્મચારીઓને નિષ્કાસિત કર્યા છે. બાળકોના મૃત્યુના આ કેસનું વિશ્લેષણ સમયસર ન કરવા તેમજ જરૂરી પગલા લેવામાં ઢીલ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે Doc-1 Max ટેબલેટ અને સિરપ તમામ મેડિકલ સ્ટોર્સમાંથી પાછી લેવાનો આદેશ આપ્યો છે.

Read Next Story