એપશહેર

દક્ષિણ કોરિયામાં હેલોવીન ઉજવણીમાં ભાગદોડઃ 120 લોકોના મોત, અનેક લોકો થયા ઈજાગ્રસ્ત

હેલોવીનની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એક સાંકડા માર્ગ પર એકત્રિત થયા હતા. ઓચિંતા જ સર્જાયેલી ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે આશરે 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રીય ફાયરબ્રિગેડ એજન્સીના એક અધિકારી ચોઈ ચેઓન સિકે કહ્યું કે ઈટાવન લીઝર જિલ્લામાં કેટલી સંખ્યામાં લોકોને હૃદય સંબંધિત બીમારી સર્જાઈ હતી તે અંગે ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 30 Oct 2022, 12:20 am
દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં શનિવારે એક લોકપ્રિય નાઈટ સ્પોટ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા બાદ સર્જાયેલી ભાગદોડને પગલે અનેક લોકોને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. રાષ્ટ્રપતિ યૂન સુક-યૂલે આ અંગે યોંગસાન ગૂ જીલ્લામાં આપદા ટીમને મદદ કરવા માટે આદેશ આપ્યા છે. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા પ્રમાણે હેલોવીન પ્રસંગે આ ઘટના બાદ ભારે ભીડની સ્થિતિમાં ભાગદોડ સર્જાઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 100 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 120 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
I am Gujarat South Koria
દક્ષિણ કોરિયામાં સર્જાયેલ ભાગદોડને પગલે અનેક લોકોના મોત થયા છે


અત્રે ઉલ્લેખનીય છે કે હેલોવીનની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એક સાંકડા માર્ગ પર એકત્રિત થયા હતા. ઓચિંતા જ સર્જાયેલી ભાગદોડની સ્થિતિમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. જેને પગલે આશરે 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રીય ફાયરબ્રિગેડ એજન્સીના એક અધિકારી ચોઈ ચેઓન સિકે કહ્યું કે ઈટાવન લીઝર જિલ્લામાં કેટલી સંખ્યામાં લોકોને હૃદય સંબંધિત બીમારી સર્જાઈ હતી તે અંગે ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. જોકે આ સંખ્યા કેટલાક ડઝનમાં હોઈ શકે છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે પોલીસ વ્યાપક પ્રમાણમાં તપાસ હાથ ધરી છે.
રાષ્ટ્રપતિએ આપ્યા આદેશ
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઈટાવોનના માર્ગો પર નોંધાયેલ લોકોને CPR આપવામાં આવી રહ્યા છે ,જ્યારે અનેક લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે પીડિતોને તાત્કાલિક સારવાર કરાવવા અને ઉત્સવ સ્થળોની સુરક્ષાની સમીક્ષા કરવા કહ્યું છે.

હેલોવીન ફેસ્ટિવલ શું છે

અત્રે ઉલ્લેખનીય છે કે હેલોવીન વિશ્વના અનેક પશ્ચિમી દેશોમાં ઉજવવામાં આવે છે. તે વિશ્વના અનેક ભાગોમાં ઉજવણી કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે હેલોવીનની રાત્રે ચંદ્રમા તેના નવા અવતારમાં જોવા મળે છે.

Read Next Story