એપશહેર

શું તાલિબાનના ડરથી હિન્દુઓએ છોડ્યુ હતું અફઘાન? સિંધુ સભ્યતામાં લાખો હિન્દુ-સિખ વસ્યા હતાં, આજે 'લઘુમતી' છે

સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન હિન્દુઓ અને પાછળથી સિખોનું ઘર હતું અફઘાનિસ્તાન. 70ના દાયકામાં અહીં સાત લાખ હિન્દુ-સિખ રહેતા હતા. આજે નહિવત્ સંખ્યા છે

I am Gujarat 30 Aug 2021, 3:52 pm

હાઈલાઈટ્સ:

  • સોવિયત-અફઘાનના યુદ્ધમાં હિન્દુ અને સિખોના કાળા દિવસ શરુ થયા હતા
  • ઇન્ટરનેટ પર રહેલી માહિતી મુજબ 2020માં અફઘાનિસ્તાનમાં 50 હિન્દુ અને 700 સિખ રહી ગયા છે
  • અફઘાનિસ્તાનમાં પહેલેથી જ હિન્દુ-સિખ કટ્ટરપંથીઓનો શિકાર બની રહ્યા છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 1
કાબૂલઃ આજથી ત્રણ હજાર વર્ષથી પણ વધુ સમય પહેલાં સિંધુ ખીણ સભ્યતા દરમિયાન જે જમીન હિન્દુઓ અને એ પછી સિખોનું ઘર હતી, ત્યાં આજે 99.7 ટકાથી વધુ મુસ્લિમ રહે છે અને એક કટ્ટરપંથી આતંકી સંગઠનની સત્તા છે. અહીં વાત થઇ રહી છે અફઘાનિસ્તાનની જેની સત્તા સ્થાપી રહેતા તાલિબાનને નિશાને શરુઆતથી જ હિન્દુ અને સિખ જેવા લઘુમતી રહ્યા છે. આજ કારણ છે કે અહીંથી લઘુમતીની સંખ્યા સતત ઘટતી રહી છે.
અફઘાનિસ્તાનમાં મોટેભાગે હિન્દુઓ અને સિખોને એક જ સમુદાયના માનવામાં આવે છે કારણ કે બંને ધર્મોમાં સમાનતા જોવા મળે છે. હાલમાં તાલિબાનના અફઘાનિસ્તાનમાં હિન્દુ અને સિખ ધર્મના અનેક ધાર્મિક સ્થળો છે. જે બહુ જ પ્રાચીન છે. જેમ કે જલાલાબાદમાં સ્થિત ચિસ્મા સાહિબ ગુરુદ્વારા, જેને લઇને સિખોમાં માન્યતા છે કે 15મી સદીમાં સિખ ધર્મના સ્થાપક ગુરુ નાનક અહીં આવ્યા હતા. એવી જ રીતે કાબૂલનું અસામાઇ મંદિર હિન્દુ દેવી આશા નામની પહાડી પર સ્થિત છે.

સોવિયત અને અફઘાન યુદ્ધ દરમિયાન મોટા પ્રમાણમાં હિન્દુ અને સિખ લોકો યુરોપ અને ભારત પલાયન કરવા મજબૂર થયા હતા. એ સમયે અહીં મુઝાહિદોની સત્તા હતા. 1994માં તાલિબાનના પેદા થયા પછી હિન્દુઓના કાળા દિવસ શરુ થઇ ગયા હતા. અહીં તેમની પર અત્યાચારો ગુજારવામાં આવતાં, તેમની સંપત્તિઓ પડાવી લેવામાં આવતી અને આસ્થાનું પ્રદર્શન કરવા પર તેમને મોતને ઘાટ પણ ઉતારી દેવામાં આવતાં હતા. ધીમે-ધીમે અહીં હિન્દુઓ અને સિખોના અપહરણ અને હત્યાના મામલાઓ પણ વધવા લાગ્યા.
તાલિબાની 'વિદેશમંત્રી'એ ભારત-પાકને આપી ચેતવણી, લશ્કર-જૈશને ઝટકો
અફઘાનિસ્તાનમાં તેમની ઓળખ માટે તાલિબાને હિન્દુઓ અને સિખોને પીળી પટ્ટી પહેરવા પર મજબૂર કર્યા હતા અને વર્તમાન સમયમાં પણ આ સ્થિતિ યથાવત છે. આથી, જ તાલિબાનની સત્તા આવતાં જ થોડા ગણા રહી ગયેલા હિન્દુઓ અને સિખોએ દેશ છોડવાનો નિર્ણય લીધો છે. જેમાંથી મોટાભાગના લોકો ભારત આવી ચૂક્યા છે. અહીં પણ તેઓ ભારે મૂંઝવણમાં છે કારણ કે શરણાર્થી રુપે તેઓ પોતાને અફઘાની કહે કે હિન્દુ.
'પાકિસ્તાનની જેમ ભારત પણ માંગે માફી' કાબૂલના કસાઇએ ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર
એક રિપોર્ટ દર્શાવે છે કે, 70ના દસકમાં અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને સિખોની વસ્તી સાત લાખ હતી. જે 2016માં 1350 રહી ગઇ છે. ઇન્ટરનેટ પર રહેલી માહિતી મુજબ 2020માં અફઘાનિસ્તાનમાં 50 હિન્દુ અને 700 સિખ રહી ગયા છે.
કાબુલ એરપોર્ટને ઉડાવવાનો હતો પ્લાન, અમેરિકાની એરસ્ટ્રાઈકમાં માર્યો ગયો આત્મઘાતી હુમલાખોર
પ્રાચીન સમયમાં અફઘાનિસ્તાન મંદિર અને ગુરુદ્વારા માટે સુરક્ષિત સ્થાન માનવામાં આવતું હતું. કટ્ટરપંથીઓના શાસનમાં મંદિરો અને ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળો પર જતાં લોકો ડરવા લાગ્યા હતા જેના લીધે મોટાભાગના ધાર્મિક સ્થળો હવે સ્થાનિકોના રહેઠાણ બની ગયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો