એપશહેર

માખીઓથી પરેશાન છે પરમાણુ હથિયારોની ધમકી આપનાર પાકિસ્તાન ?

Gaurang Joshi | I am Gujarat 27 Aug 2019, 8:23 pm
કરાચીઃ એક બાજુ આર્ટિકલ 370ના મુદ્દે પાકિસ્તાન આકુળ વ્યાકુળ થઈને પરમાણુ હથિયારોની ધમકી આપી રહ્યું છે તો બીજી બાજુ પાકિસ્તાનની જનતા માખીઓના ઉપદ્રવથી પરેશાન છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લોકો માખીઓના આતંકથી તંગ આવી ગયા છે. હાલત એટલે સુધી બગડી છે કે આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો અને માખીઓથી મુક્તિ મળે તે માટે વિશેષ પ્રાર્થનાઓ પણ કરવામાં આવી. ન્યૂઝપેપર ‘જંગ’ના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો શું કહેવાયું છે રિપોર્ટમાં? આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાંસદ નુસરત સહર અબ્બાસીએ કહ્યું કે જે રીતે સરકારની તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે વરસાદ આવે છે તો પાણી તો આવે જ છે, આવી જ રીતે એક નિવેદન એવું પણ આપી દો કે જ્યારે વરસાદ આવે છે તો માખીઓ પણ આવે છે. વિશેષ પ્રાર્થના કરવાનું આયોજન કરાચીથી કાશ્મીર સુધી, રાજ્યમાં દરેક જગ્યાએ માખીઓએ જીવવાનું પણ મુશ્કેલ કર્યું છે. માખીઓના આતંકથી બચવા માટે વિધાનસભા અધ્યક્ષ ખાસ દુઆ કરે. રિપોર્ટ અનુસાર અન્ય એક સાંસદ રાણા અનસારે કરાચીમાં માખીઓના આતંકની ફરિયાદ કરી અને તેનાથી છુટકારો મેળવવા માટે વિશેષ દુઆ કરવાનું પણ સૂચન કર્યું છે. બીમારીઓથી હાલત વધુ બગડી જ્યારે, સાંસદ ખુર્રમ શેર જમાને કહ્યું કે ઈદ ઉલ અજહામાં જાનવરોની કુરબાની અને વરસાદ પછી કરાચીમાં હાલાત વધુ બગડ્યાં છે. બીમારીઓ વધી છે. મુખ્યમંત્રી જણાવે કે આ મુશ્કેલી સામે લડવા માટે કયા પગલા ઉઠાવી રહ્યાં છે. સરકાર તરફથી એ જણાવવામાં આવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફોગિંગ શરુ કરવામાં આવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો