એપશહેર

બાળકો પેદા કરવા નથી ઈચ્છતી આ મહિલા, આપ્યું વિચિત્ર કારણ

આ મહિલા બ્લોગર પોતાના જીવનમાં ક્યારેય બાળકોને જન્મ આપવા ઈચ્છતી નથી, તેના કારણે તેનું બ્રેકઅપ પણ થઈ ગયું છે

I am Gujarat 24 Aug 2020, 8:56 pm
એક મહિલા બ્લોગરે ખુલાસો કર્યો છે કે તે પોતાના જીવનમાં ક્યારેય બાળકો પેદા કરવા ઈચ્છતી નથી. તેના માટે તેણે ઘણું વિચિત્ર કારણ આપ્યું છે. 39 વર્ષીય મહિલા બ્લોગર જ્યારે 10 વર્ષની હતી ત્યારથી જ તેણે જીવનમાં બાળકો પેદા ન કરવાનું નક્કી કરી લીધું હતું. ગ્લુસેસ્ટરશાયરના ટેવકેસબરીમાં જન્મેલી બ્લોગર હાલમાં કોટ્સવોલ્ડ્સમાં રહે છે. તેણે કહ્યું છે કે તેણે પોતાના આ નિર્ણના કારણે બોયફ્રેન્ડ પણ ગુમાવવો પડ્યો હતો.
I am Gujarat blogger reveals she doesnt want to have children because there are too many people in the world
બાળકો પેદા કરવા નથી ઈચ્છતી આ મહિલા, આપ્યું વિચિત્ર કારણ


પૃથ્વી પર વધુ પડતી વસ્તી છે તેથી લીધો નિર્ણય

લુથરે કહ્યું છે કે પૃથ્વી પણ વધારે પડતી વસ્તી છે અને તેના કારણે આ ગ્રહને ઘણું નુકસાન થઈ રહ્યું છે તેથી તે બાળકો લાવવા ઈચ્છતી નથી. એટલું જ નહીં તેણે કહ્યું છે કે કોરોના વાયરસના રોગચાળાને જોયા બાદ તેને તેનો આ નિર્ણય વધારે યોગ્ય લાગ્યો છે. સિડની ટેલીગ્રાફના સ્ટેલા મેગેઝિન માટે લખતી એમ્માએ પોતાનો નિર્ણય વિગતવાર સમજાવ્યો છે કે કેમ નાની ઉંમરે જ તેણે આ નિર્ણય લીધો હતો.

જે યુવકને ખૂબ ચાહતી હતી તેની સાથે સંબંધ પણ તૂટ્યો

એમ્માએ કહ્યું છે કે તે જ્યારે નાની હતી ત્યારે જ તેને લાગ્યું હતું કે આ પૃથ્વી પર વધારે પડતી વસ્તી છે. તેણે લખ્યું છે કે જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે તેણે પોતાની આન્ટીને કહ્યું હતું કે તે બાળકો ઈચ્છતી નથી કેમ કે પૃથ્વી પર ઘણા બધા લોકો છે. તેની આ વાત સાંભળીને તેના આન્ટીને ઘણો આઘાત લાગ્યો હતો. એટલું જ નહીં એમ્માએ કહ્યું છે કે તે જ્યારે 20 વર્ષની હતી ત્યારે તે એક યુવકને ઘણો જ પ્રેમ કરતી હતી પરંતુ જ્યારે તેણે પોતાનો નિર્ણય તેને જણાવ્યો તો તેના સંબંધોનો અંત આવી ગયો હતો. તે બાળકો ઈચ્છતો હતો અને હું તેના માટે તૈયાર ન હતી તેથી અમારો સંબંધ ટકી શક્યો નહી.

માતાના મૃત્યુ બાદ તેનો નિર્ણય વધારે દ્રઢ બન્યો

એમ્માએ લખ્યું છે કે કાઉન્ટીમાં તેનો ઉછેર થયો હોવાના કારણે તે પ્રકૃતિની ઘણી નજીક છે. પરંતુ બાળકો વગર જીવવાની તેની પસંદગી 2006મા તેની માતાના મૃત્યુ બાદ વધારે દ્રઢ બની હતી. જોકે, એમ્માની ઘણી મહિલા મિત્રો છે જેમને બાળકો છે પરંતુ એમ્મા ક્યારેય તેમને આ વાતને લઈને કંઈ કહેતી નથી અને તેઓ પણ એમ્માના નિર્ણયનું સન્માન કરે છે.

મારા બાળકો હોવાથી પૃથ્વીની વસ્તી ઘટી જવાની નથી પરંતુ...

એમ્માનું કહેવું છે કે મારા બાળકો ન હોવાથી પૃથ્વીની વસ્તી ઘટી જવાની નથી અને બચી જવાની પણ નથી પરંતુ હું મારા પ્રયાસોથી શક્ય તેટલો હકારાત્મક બદલાવ લાવવા ઈચ્છું છું. એમ્મા શક્ય તેટલી ઓછી વસ્તુઓનો ઉપયોગ કરે છે, સ્થાનિક ઉદ્યોગોને સપોર્ટ કરે છે અને હંમેશા ઓર્ગેનિક પ્રોડક્ટનો જ ઉપયોગ કરે છે. તેણે કહ્યું છે કે મેં ઘણી વખત મારા મિત્રો પાસેથી સાંભળ્યું છે કે તેઓ પોતાના પરિવાર પાછળ કેટલો ખર્ચો કરે છે અને કેટલો કચરો પેદા કરે છે. તેઓ ઘણી વખત બાળકોથી કંટાળી જાય છે. ઘણા લોકો મને સ્વાર્થી કહે છે પરંતુ હું ઈચ્છું છું કે મારું જીવન એ મારું હોય અને હું બીજી જગ્યાએ મારી ઉર્જા ખર્ચ કરવા કરતા પૃથ્વીને બચાવવા પાછળ ઉર્જા ખર્ચ કરવા ઈચ્છું છું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો