એપશહેર

બ્રિટિશ SAS સ્નાઈપરે 900 મીટર દૂરથી એક ગોળી મારીને ISISના 5 આતંકીને ઠાર માર્યા

લક્ષ્ય દૂર હોવાથી અને હવામાં થયેલા બદલાવથી સ્નાઈપરની આ ગોળી આત્મઘાતી હુમલાખોરના વિસ્ફોટકથી ભરેલા જેકેટ પર જઈને વાગી. જેના કારણે થયેલા ધમાકામાં 5 આતંકવાદી ઠાર મરાયા.

I am Gujarat 24 Jan 2021, 4:52 pm
લંડન: બ્રિટનની સ્પેશિયલ એર સર્વિસ (SAS)ના સ્નાઈપરે સીરિયામાં લગભગ 900 મીટરના અંતરથી નિશાન લગાવતા એક ગોળીથી ISISના 5 આતંકીઓને ઠાર માર્યા છે. ઠાર મરાયેલા આતંકવાદીઓમાં ISISનો એક શીર્ષ કમાન્ડર હોવાનું પણ જાણવા મળે છે.
I am Gujarat q3
પ્રતીકાત્મક તસવીર


એક ઈન્ટરનેશનલ રિપોર્ટ મુજબ, આ સ્નાઈપરે સીરિયામાં આત્મઘાતી હુમલાખોરના વિસ્ફોટકથી ભરેલા જેકેટ પર લગભગ 900 મીટર દૂરથી નિશાન લગાવ્યું. આ ગોળી વાગવાથી આત્મઘાતી હુમલાખોરના જેકેટમાં બ્લાસ્ટ થયો અને તેનાથી ત્યાં હાજર અન્ય ચાર આતંકવાદીઓ પણ માર્યા ગયા.

એવું જાણવા મળે છે કે બ્રિટનની સ્પેશિયલ એર સર્વિસ (SAS)ના કમાન્ડો ઘણાં દિવસોથી ISISની આ સિક્રેટ બોંબ ફેક્ટરી પર નજર રાખી રહ્યા હતા. બાદમાં તેના પર એક્શન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કમાન્ડોની ટીમે આ ફેક્ટરીમાંથી 5 આંતકવાદીઓને બહાર નીકળતા જોયા. જે પૈકી એક આતંકવાદી આત્મઘાતી હુમલાખોર હતો જે કેમેરાની સામે વાત કરી રહ્યો હતો.

સ્પેશિયલ એર સર્વિસ (SAS)ના કમાન્ડોએ તરત આ અંગેની સૂચના પોતાના બેઝને આપી કે નિશાના પર એક આત્મઘાતી હુમલાખોર છે. પહેલા એવી યોજના ઘડવામાં આવી હતી કે એક ગોળીથી તે હુમલાખોરને ઠાર મારવામાં આવે. પણ, લક્ષ્ય વધારે દૂર હોવાથી અને હવામાં અચાનક થયેલા બદલાવથી સ્નાઈપરની આ ગોળી આત્મઘાતી હુમલાખોરના વિસ્ફોટકથી ભરેલા જેકેટ પર જઈને વાગી. જેના કારણે થયેલા ધમાકામાં તમામ પાંચેય આતંકવાદી ઠાર મરાયા.

બ્રિટિશ આર્મીએ સુરક્ષાના કારણસર આ સ્નાઈપરના નામનો ખુલાસો નથી કર્યો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સ્નાઈપર .50 કેલિબરની રાયફલનો ઉપયોગ કરી રહ્યો હતો. બ્રિટનની સેના .50 કેલિબરની રાયફલનો ઉપયોગ મુખ્યરૂપે વિમાન, કાર, ટ્રક અને નાની ટેંક જેવા મોટા લક્ષ્યને તોડી પાડવા માટે કરે છે. દૂરના લક્ષ્ય પર નિશાન સાધવા માટે આ રાયફલનો ઉપયોગ કરવામાં આવે છે.

Read Next Story