એપશહેર

યુક્રેનમાં એરફોર્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 22ના મોત

એરફોર્સના વિમાનમાં સૈન્ય કેડેટ્સ બેઠા હતા. દુર્ઘટના પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી.

Agencies 26 Sep 2020, 7:47 am
કીવઃ યુક્રેનમાં એક એરફોર્સનું વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. આ ઘટનામાં સૈન્ય કેડેટ્સ સહિત 22 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. યુક્રેનના એક મંત્રીએ એએફપીને જણાવ્યું હતું કે અકસ્માતમાં 2 અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિમાનમાં 21 સૈન્ય વિદ્યાર્થીઓ સહિતના 28 લોકો હતા. મંત્રીએ કહ્યું કે આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડાયમર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેઓ શનિવારે આ ઘટના સ્થળની મુલાકાત લેશે.
I am Gujarat cadets among 22 dead in ukraine military plane crash
યુક્રેનમાં એરફોર્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 22ના મોત


રાષ્ટ્રપતિએ ફેસબુક પર લખ્યું કે અમે દુર્ઘટનાના તમામ સંજોગો અને કારણોની તપાસ માટે તાકીદે એક કમિશનની રચના કરી રહ્યા છીએ. અહેવાલો અનુસાર એન્ટોનોવ -26 પરિવહન વિમાન યુક્રેન સમય રાત્રે 8:50 (17:50 જીએમટી) , ચૂહિવ એરફોર્સ વાય બેઝથી બે કિલોમીટર દુર્ઘટનાગ્રસ્ત. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવામાં એક કલાકનો સમય લાગ્યો.
ચૂહિવ શહેર ખાર્કિવથી આશરે 30 કિલોમીટર અંતરે દક્ષિણ-પૂર્વમાં અને રશિયન તરફી ભાગલાવાદીઓ સાથે ફ્રન્ટ લાઇનથી 100 કિલોમીટર પશ્ચિમમાં છે. મહત્વનું છે કે રશિયા અને યુક્રેનના સંબંધો તણાવ પર છે. અહીં રશિયા યુક્રેનના હિંસક ચળવળકર્તાઓને સપોર્ટ કરી રહ્યું છે. જેઓ ફરી એકવાર યુક્રેનને રશિયામાં ભેળવી દેવા માગે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો