એપશહેર

કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ પાકિસ્તાને 'પાંચ શક્તિશાળી દેશો'ને કરી અપીલ

I am Gujarat 12 Jul 2016, 11:15 pm
ઈસ્લામાબાદ: કાશ્મીરમાં ફરી હિંસા શરૂ થયા બાદ પાકિસ્તાન આ મુદ્દે ભારતને ઘેરવાની કોઈ તક ગુમાવવા માંગતું નથી. આ કડીમાં પાકિસ્તાને મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ના સ્થાયી સભ્ય દેશોને આ અંગે અપીલ કરી.
I am Gujarat call on india to respect human rights in kashmir pakistan tells unsc
કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ પાકિસ્તાને 'પાંચ શક્તિશાળી દેશો'ને કરી અપીલ


પાકિસ્તાને સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્ય દેશો (અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન અને ફ્રાંસ)ને કહ્યું કે, તે કાશ્મીરમાં તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં લે અને ભારતને અપીલ કરે કે તે હિંસા પ્રભાવિત ઘાટીમાં લોકોના માનવાધિકારોનું સન્માન કરે. પાકિસ્તાનના વિદેશ કાર્યલયે કહ્યું કે, વિદેશ સચિવ એઝાઝ અહમદ ચૌધરીએ ચીન, ફ્રાંસ, રશિયા, બ્રિટન અને અમેરિકાના દૂતોને કાશ્મીરની સ્થિતિની જાણકારી આપી.

કાર્યાલય તરફથી જારી એક સ્ટેટમેન્ટમાં કહેવાયું કે, ‘તેમણે (ચૌધરીએ) ભારતીય સુરક્ષા દળો દ્વારા સામાન્ય લોકોની કૃર હત્યા અને તેમના અન્ય મૌલિક અધિકારોના હનનના મુદ્દે પાકિસ્તાનની ગંભીર ચિંતા વ્યક્ત કરી.’ વિદેશ સચિવે કહ્યું કે, ભારતે આ હત્યાઓ માટે જવાબદાર લોકો વિરુદ્ધ નિષ્પક્ષ અને પારદર્શી તપાસ કરાવવી જોઈએ.

ચૌધરીએ આંતરાષ્ટ્રીય સમુદાય અને ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોને અપીલ કરી કે તે સ્થિતિની ગંભીરતા પર વિચાર કરે, ભારતને કાશ્મીરના લોકોના માનવાધિકારનું સન્માન કરવા અને જમ્મુ-કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોને લાગુ કરવાની અપીલ કરે.

વિદેશ સચિવે એ દાવો કરવાના ભારતના પ્રયાસોને પણ ફગાવી દીધા કે, કાશ્મીર સંબંધી મુદ્દો તેનો આંતરિક મામલો છે અને ભાર આપ્યો કે જમ્મુ-કાશ્મીરની વિવાદિત પ્રકૃતિ યુએનએસસી પ્રસ્તાવોને લાગુ થવાની રાહ જોઈ રહી છે. ચૌધરીએ કહ્યું કે, ‘આતંકવાદની આડમાં નિર્દોષ કાશ્મીરી લોકોની હત્યાઓને નજરઅંદાજ કરી શકાય નહીં.’ વિદેશ સચિવે કહ્યું કે, આત્મનિર્ણયના પોતાના અધિકાર માટે કાશ્મીરી લોકોના ઉચિત સંઘર્ષની બરાબરી આતંકવાદ સાથે કરી શકાય નહીં.

Read Next Story