China Did Not Expect Srong Responce About Doklam Says Eu Vice President
ડોકલામ: 'ચીનને આવા જવાબનો અંદાજ ન હતો'
I am Gujarat14 Jul 2017, 10:04 pm
યુરોપીય સંસદના વાઈસ પ્રેસિડન્ટે લખ્યો લેખ
બ્રેસેલ્સ: સિક્કિમ સરહદ પર ડોકલામ ક્ષેત્રમાં ભારતની આટલી મોટી પ્રતિક્રિયાનો અંદાજ ચીનને ન હતો. યુરોપીય સંસદના વાઈસ પ્રેસિડન્ટ અરેસાર્દ ચારનિયેત્સકીએ પોતાના એક લેખમાં આ ટિપ્પણી કરી છે. ચારનિયેત્સકીએ ‘ઈપી ટુડે’માં લખેલા એક લેખમાં કહ્યું છે કે, ચીનને એ વાતનો જરા પણ અંદાજ ન હતો કે ભારત ભૂટાન સરહદની રક્ષા માટે આટલા કડક અંદાજ બતાવશે. ઉલ્લેખનીય છે કે, ગત 16 જૂને ચીનની સેનાએ ડોકલામ ક્ષેત્રના ડોકલાથી જોમ્પેલરી સ્થિતિ ભૂટાન આર્મી કેમ્પ તરફ રસ્તો બનાવવાની શરૂઆત કરી, જ્યારે ભૂટાન અને ચીનની વચ્ચે સરહદ પર વાતચીત જારી છે. તે પછી ભારતે તેમાં હસ્તક્ષેપ કર્યો. ડોકલામમાં ભારતીય સેના અને ચીની સેનામાં ટકરાવ બાદ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે.
ચીનના જૂઠનો પણ કર્યો પર્દાફાશ
યુરોપીય સંસદના વાઈસ પ્રેસિડન્ટે પોતાના લેખમાં ચીનના એ જૂઠનો પણ પર્દાફાશ કર્યો, જેમાં બેઈજિંગે કહ્યું હતું કે, ‘શાંતિપૂર્ણ ઉદય’ના કારણે કોઈ દેશને તકલીફ નહીં થાય. તેમણે કહ્યું કે, ચીન એ વિદેશ નીતિને અપનાવી રહ્યું છે, જે આંતરાષ્ટ્રીય કાયદા અંતર્ગત માન્ય નથી. ચીન હાલના દિવસોમાં સરહદ વિવાદ માટે ભારતને જવાબદાર બતાવી રોજ નિવેદનબાજી કરી રહ્યું છે. ભૂટાને કહ્યું કે, અમારી 1988 અને 1998નો લેખિત સમજૂતી પણ છે, જેમાં કહેવાયું છે કે, સરહદ મુદ્દે અંતિમ સમાધાન થવા સુધી બંને પક્ષો પોતાના સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે સંમત છે. માર્ચ 1959થી પહેલાની જેમ સરહદ પર યથાસ્થિતિ જાળવી રાખવામાં આવશે. સમજૂતોઓમાં એમ પણ કહેવાયું છે કે, બંને પક્ષ કોઈ પ્રકારની એકતરફી કાર્યવાહીથી બચશે, બળ પ્રયોગ નહીં કરે અને સરહદની સ્થિતિ બદલવાનો પણ પ્રયાસ નહીં કરે.
ચીનને હતો આ વિશ્વાસ
ચારનિયેત્સીએ ડોકલામ વિવાદનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, ’16 જૂને ડોકલામાં રસ્તો બનાવવોનો એકતરફી નિર્ણય તેની ખોટી વિદેશ નીતિનો ભાગ છે. ભૂટાને ચીનના આ પગલાંને યોગ્ય કૂટનીતિક રસ્તા દ્વારા વિરોધ જણાવ્યો હતો. ચીનની એ વાતનો અહેસાસ હતો ભૂટાન આવું જ કરશે, પરંતુ તેને એ વાતનો જરા પણ અંદાજ ન હતો કે ભારત પોતાના પડોશી દેશની મદદ માટે આટલી તાકાતથી આગળ આવશે.’ તેમણે કહ્યું કે, ચીન એમ માનીને ચાલી રહ્યું હતું કે, ભૂટાન તેના આ પગલાનો સેના દ્વારા તો વિરોધ નહીં જ કરે. તેને વિશ્વાસ હતો કે, જોમ્પેલરીમાં તે રસ્તાનું નિર્માણ થોડા સપ્તાહમાં કરી લેશે, જેનાથી તેને મોટો રણનીતિક ફાયદો મળ્યો હોત.’
‘બધું ચીનની યોજના મુજબ ન થયું’
યુરોપીય યુનિયનના વાઈસ પ્રેસિડન્ટે કહ્યું કે, જોકે બધું ચીનીની યોજના મુજબ ન થયું. ભારતીય સેનાએ ભૂટાન સરકાર સાથે વાત કર્યા પછી યથાસ્થિતિ માટે પગલાં ઉઠાવ્યા. આ વાત જ કદાચ ચીનના અંદાજથી પર હતી. ચીનનું વિદેશ મંત્રાલય અને તેનું સરકારી મીડિયા એ જ જૂની-પુરાણી વાતો કરવા લાગ્યું. ચીની મીડિયાએ ભારતને 1962ના યુદ્ધની યાદ અપાવી.
ચીનને આપી સલાહ
યુરોપીય સંસદના વાઈસ પ્રેસિડન્ટ અરેસાર્દ ચારનિયેત્સકી ચારનિયેત્સકીએ પોતાના લેખમાં કહ્યું કે, ‘ભારતના પગલા બાદ ચીને ભારતનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. ચીનનું કહેવું છે કે, ડોકલામમાં ભારતીય સેના હટે નહીં ત્યાં સુધી સરહદ વિવાદ પર નવી દિલ્હી સાથે વાત નહીં કરે.’ તેમણે કહ્યું કે, ‘ચીને એ સમજવાની જરૂર છે કે સૈન્ય તાકાત અને આર્થિક તાકાત વધવાની સાથે-સાથે કોઈપણ દેશને આતંરાષ્ટ્રીય નિયમોનું પણ પાલન કરવું જોઈએ.’
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.