એપશહેર

લદાખ બાદ હવે અરૂણાચલમાં ચીનની અવળચંડાઈ, સરહદે વસાવ્યા ત્રણ નવા ગામ

લદાખમાં ભારતે મજબૂત ટક્કર આપ્યા બાદ ચીન હવે પૂર્વોત્તરમાં નવો મોરચો ખોલવાની તૈયારીમાં છે

I am Gujarat 6 Dec 2020, 11:00 pm
બેઈજિંગઃ લદાખમાં ભારતે મજબૂત ટક્કર આપ્યા બાદ ચીન હવે પૂર્વોત્તરમાં નવો મોરચો ખોલવાની તૈયારીમાં છે. ચીને અરૂણાચલ પ્રદેશની સરહદ નજીક ત્રણ નવા ગામ વસાવ્યા છે. સેટેલાઈટ તસ્વીરોથી પરથી ખ્યાલ આવે છે આ સ્થાન બુમ લાથી લગભગ પાંચ કિલોમીટર દૂર ભારત, ચીન અને ભૂતાનની સરહદ નજીક સ્થિત છે. એટલું જ નહીં આ ગામમાં ચીને લોકોને રહેવા પણ મોકલી દીધા છે. નોંધનીય છે કે આ વિસ્તારને લઈને ચીન પહેલાથી જ દાવો કરી રહ્યું છે.
I am Gujarat xi jinping8


એનડીટીવીના રિપોર્ટ અનુસાર ચીને અરૂણાચલ બોર્ડર પર ત્રણ ગામનું નિર્માણ કર્યું છે. ચીનનું નવું નિર્માણ અરૂણાચલ પ્રદેશ સરહદ સાથે પોતાના ક્ષેત્રીય દાવાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું હોઈ શકે છે. નોંધનીય છે કે ચીન અરૂણાચલ પ્રદેશને ભારતનો ભાગ ગણતું નથી. 1962ના યુદ્ધમાં પણ ચીને આ વિસ્તારના ઘણા મોટા વિસ્તાર પર કબ્જો કરી લીધો હતો.

રિપોર્ટમાં પ્લેનેટ લેબ્સની 17 ફેબ્રુઆરી 2020ની તસ્વીરોના આધારે જણાવવામાં આવ્યું છે કે તે સમયે આ વિસ્તારમાં ફક્ત એક જ ગામ વસાવવામાં આવ્યું હતું. જેમાં 20 જેટલા લાલ ધાબાવાળા ઘર જોવા મળે છે. 28 નવેમ્બર 2020ની બીજી તસ્વીરમાં 50થી વધુ ઘર સાથે ત્રણ નવા એન્ક્લેવ પણ જોવા મળી રહ્યા છે જે એકબીજાથી એક કિલોમીટરના અંતર પર બનેલા છે. તેમને જોડવા માટે તમામ હવામાનમાં ખુલ્લો રહે તેવા માર્ગનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

Read Next Story