એપશહેર

વિશ્વમાં કોરોનાથી 10 લાખના મોત, પરંતુ બિનસત્તાવાર આંકડો મોટો હોવાના દાવા

ભારતમાં પણ 60 લાખ કેસો સામે મૃત્યુદર ખૂબ જ ઓછો રહેતા એક્સપર્ટ્સ ઉઠાવી રહ્યા છે સવાલ

I am Gujarat 29 Sep 2020, 1:49 pm
વિશ્વમાં કોરોનાને લીધે મોતને ભેટેલા લોકોનો સત્તાવાર રીતે આંકડો 10 લાખ પર પહોંચી ગયો છે. જોકે, હકીકતમાં આ આંકડો લગભગ ડબલ પણ હોઈ શકે છે. યુનિ. ઓફ મેલબોર્નના ગ્લોબલ બર્ડન ઓફ ડીસીઝ ગ્રુપના ડિરેક્ટર અને લિટરેચર પ્રોફેસર એલન લોપેઝનું માનીએ તો કોરોનાની ફેલાવવાની ક્ષમતા અને જેમનામાં કોઈ લક્ષણ ના દેખાતા હોય તેમને પણ તેનો ચેપ લાગતો હોવાથી તેના ચોક્કસ દર્દીઓની ટેસ્ટિંગથી સંખ્યા જાણવી મુશ્કેલ છે.
I am Gujarat coronavirus claims 1 million lives but actual number can be much higher
વિશ્વમાં કોરોનાથી 10 લાખના મોત, પરંતુ બિનસત્તાવાર આંકડો મોટો હોવાના દાવા


તેમણે એમ પણ જણાવ્યું હતું કે અત્યારસુધી નોંધાયેલા 10 લાખ મોત ચોક્કસ એક મોટો આંકડો છે. જોકે, સવાલ એ ઉભો થાય છે કે તે સાચો છે કે નહીં? અમેરિકા જેવા હેલ્થકેરની અત્યાધુનિક સિસ્ટમ ધરાવતા દેશમાં પણ મોતનો સાચો આંકડો જાણવો અઘરો છે. માર્ચ અને મે દરમિયાન હજારો લોકો કોરોનાથી મોતને ભેટ્યાં હતાં, પરંતુ તેની સત્તાવાર રીતે નોંધ નહોતી લેવાઈ, અને આ માહિતી જુલાઈમાં થયેલા એક અભ્યાસમાં બહાર આવી હતી.

મોતના અચોક્કસ આંકડા સરકારોને પબ્લિક હેલ્થ સિસ્ટમને લગતી નીતિ અને આયોજન માટે સમય આપે છે, અને આર્થિક રિકવરીને પ્રમોટ કરે છે. વળી, મોતનો આંકડો ઓછો દેખાય તો લોકોને સુરક્ષાની એક બનાવટી લાગણી મહેસૂસ થાય છે, અને તેનાથી સરકારોને આ વાયરસની ઘાતકતા ઓછી બતાવવાની પણ તક મળે છે. લોપેઝના આકલન અનુસાર, જો કોરોનાથી મોતનો આંકડો 30 લાખ સુધી પહોંચી જાય તો આ રોગચાળો સૌથી વધુ લોકોના ભોગ લેનારો સાબિત થશે.

ભારતનું ઉદાહરણ આપતા લોપેઝે જણાવ્યું છે કે દેશમાં 60 લાખ કેસો છે, પરંતુ દુનિયામાં થયેલા 10 લાખ મોતમાંથી ભારતમાં માત્ર 95 હજાર જ મોત નોંધાયા છે. અમેરિકા બાદ સૌથી વધુ દર્દી ધરાવતા ભારતમાં કોરોનાથી થતા મોતનો રિયલ ટાઈમ ડેટા ટ્રેક કરવાનું માળખું ના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

હાર્ટ, ડાયાબિટિસ, કેન્સર કે અન્ય ગંભીર બીમારી ધરાવતા દર્દીનું કોરોનાથી મોત થવાના વધુ ચાન્સ હોય છે. રશિયા સહિતના કેટલાક દેશોમાં સરકારો કોમોર્બિડિટી ધરાવતા દર્દીનું મોત થાય તો તેને કોરોનાથી થયેલું મોત ગણવાને બદલે તેનું અગાઉ થયેલી બીમારીમાં મોત થયું છે તેમ જણાવી આંકડા નીચા રાખવા પ્રયાસ કરાય છે.

જુલાઈમાં રશિયામાં કોરોનાથી 5922 લોકોના મોત થયા હતા. આ સિવાય અન્ય 4157 લોકોના મોત પણ કોરોના સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમની ગણતરી કોરોનાથી થયેલા સત્તાવાર મોતના આંકડામાં કરાઈ જ નહોતી. નવાઈની વાત એ છે કે, જુલાઈ 2019ની સરખામણીમાં રશિયામાં જુલાઈ 2020માં મોતનો આંકડો 29,925 જેટલો વધારે હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો