એપશહેર

કોરોના : નથી રોકાઈ રહ્યાં મોત, 35 હજાર લોકોએ ગુમાવ્યા જીવ

Shailesh Thakkar | I am Gujarat 30 Mar 2020, 11:55 pm
પેરિસ: ડિસેમ્બરના અંતમાં ચીનમાં જ્યારે કોરોના વાયરસની ઉત્પત્તિ થઈ હતી ત્યારે કોઈ વિચાર્યું પણ નહીં હોય કે તે દુનિયામાં તબાહી લાવી દેશે અને ખાસ કરીને યૂરોપમાં જે કોવિડ-19થી અત્યંત ખરાબ રીતે પસ્ત થઈ ચૂક્યું છે. સામાન્ય લોકોની જીંદગીઓ પ્રભાવિત થઈ રહી છે તો બીજી તરફ અર્થવ્યવસ્થા પર પણ ખૂબ ખરાબ અસર થઈ રહી છે. સોમવારે દુનિયાભરમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 35 હજારનો આંક વટાવી ગઈ. એકલા યૂરોપમાં જ 25 હજારથી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે. યૂરોપમાં અત્યાર સુધી 399,381 કેસ સામે આવ્યા છે તેમાંથી ખુલ 25,037 લોકોના મોત થયા છે. યૂરોપ બાદ સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે જ્યાં પોઝિટિવ કેસોની સંખ્યા દોઢ લાખની નજીક પહોંચી ગઈ છે. વાયરસના ચેપથી અમેરિકામાં ગંભીર સ્વાસ્થ્ય સંકટ પેદા થયું જેના કારણે હવે પાર્કો અને રમતના મેદાન અસ્થાયી હોસ્પિટલ બનતા જઈ રહ્યાં છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોયૂરોપમાં 25 હજારથી વધુ લોકોએ ગુમાવ્યા જીવકોરોનાનું સંકટ યૂરોપ પર ઘેરાઈ રહ્યું છે અને અહીં સોમવારે મૃતકોની સંખ્યા 25 હજારને પાર કરી ગઈ છે. ઈટલી અને સ્પેનમાં તમામ પ્રતિબંધો અને સાવચેતીઓ છતાં મૃત્યુ રોકાઈ રહ્યાં નથી. ઈટલીમાં સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખની ઉપર થઈ ગઈ છે અને સ્પેનમાં આ સંખ્યા 85 હજારથી ઉપર છે. ઈટલીમાં 11,591 અને સ્પેનમાં 7340 લોકોના મોત અત્યાર સુધી થઈ ચૂક્યા છે. ઈટલી અને સ્પેન બાગ જર્મની, ફ્રાન્સ, બ્રિટન અને સ્વિટ્ઝર્લેન્ડ સૌથી વધુ પ્રભાવિત દેશો છે. જોકે, બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ સ્વસ્થ થઈને આઈસોલેશનની બહાર નીકળી ચૂક્યા છે.અમેરિકામાં લગભગ દોઢ લાખ દર્દી, પાર્ક બની રહ્યાં છે હોસ્પિટલઅમેરિકામાં કોરોના વાયરસના કેસ 1.47 લાખની ઉપર જતા રહ્યા છે અને 2600થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. દર્દીઓની સારવાર માટે ન્યૂયોર્કના પ્રતિષ્ઠિત સેન્ટ્રલ પાર્ક સહિત રમતના મેદાનોમાં પણ અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. બીજી તરફ નેવીએ પોતાની જહાજી હોસ્પિટલ ન્યૂયોર્ક પોર્ટ મોકલવાનો નિર્ણય કર્યો છે જેની ક્ષમતા 1000 બેડની છે. USNS કમ્ફર્ટ જહાજી હોસ્પિટલનો ઉપયોગ નૉન કોરોના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે જ્યારે શહેરની હોસ્પિટલ્સ કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતી રહેશે.કોરોનાએ ભવિષ્ય માટે ચેતવ્યાસંયુક્ત રાષ્ટ્રના વૈજ્ઞાનિક સંગઠન યુનેસ્કોએ કોરોના વાયરસના સંબંધમાં ઈન્ટરનેશનલ કૉમ્યુનિટી વચ્ચે સહયોગ અંગે 73 દેશોના વિજ્ઞાન મંત્રીઓ સાથે એક બેઠક યોજી. સંગઠનનું માનવું છે કે, આ વૈશ્વિક મહામારી વચ્ચે લોકોના જીવન બચાવવા માટે જાણકારી શેર કરવાની આવશ્યકતાને રેખાંકિત કરવામાં આવે. યુનેસ્કો મહાનિદેશન આન્દ્રે એન્જોલેનું માનવું છે કે, કોરોના વાયરસ મહામારીએ આપણને રિસર્ચ અને ઈન્ટરનેશનલ સહયોગ બંને માટે વિજ્ઞાનના મહત્વથી અવગત કરાવ્યા છે.જાણો, અન્ય દેશોનો આંકડોઆ વાયરસના ચેપનો સૌથી પહેલો કેસ ચીનમાં જ આવ્યો હતો. અમેરિકા, ઈટલી, ચીન, સ્પેન બાદ ઈરાન અને ફ્રાન્સ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. ઈરાનમાં કુલ 2757 મૃત્યુ થયા છે અને 41,495 કેસ સામે આવ્યા છે. ફ્રાન્સમાં કોરોનાને કારણે 2606 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 40,174 કેસ સામે આવ્યા છે. એશિયામાં 106, 552 કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધી 3,827 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પશ્ચિમ એશિયામાં 50,643 લોકોને ચેપ લાગ્યો છે અને 2847 લોકોના જીવ ગયા છે. અમેરિકા અને કેનેડામાં કુલ 149,298 કેસ સામે આવ્યા છે જેમાંથી અત્યાર સુધી 2577 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો