એપશહેર

અમેરિકામાં કોરોના વાયરસની સારવાર માટે Remdesivir દવાને મળી મંજૂરી

મિત્તલ ઘડિયા | I am Gujarat 2 May 2020, 2:54 pm
વોશિંગટનઃ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDA)કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિરના ઉપયોગની મંજૂરી આપી છે. રેમડેસિવિર દવા ઈબોલાના દર્દીઓ માટે બનાવવામાં આવી હતી. આ વચ્ચે અમેરિકામાં કેટલીક હોસ્પિટલો કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં મેલેરિયાના ઉપચારમાં લેવાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો પણ ઉપયોગ કરી રહ્યા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: મેડિકલ જર્નલ ‘એમડેઝ’માં શુક્રવારે પ્રકાશિત થયેલી એક ખબર પ્રમાણે, મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિન અને તોસીલિઝુમૈબ દવાથી યેલ ન્યૂ હેવન હેલ્થ સિસ્ટમની હોસ્પિટલોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર થઈ રહી છે. ભારતીય મૂળ અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ નિહાર દેસાઈએ જણાવ્યું કે, ‘આ સસ્તી દવા છે. જેનો ઉપયોગ દશકાઓથી કરવામાં આવે છે અને લોકો તેનાથી આરામ અનુભવી રહ્યા છે’દેસાઈએ કહ્યું કે, ‘અમે અમારા તરફથી ભરપૂર પ્રયાસ કરી રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે આપણે ફરીથી કોરોના વાયરસ વૈશ્વિક મહામારી જેવી કોઈ પણ બીમારીનો સામનો ન કરવો પડે’. દેસાઈની હોસ્પિટલમાં લગભગ અડધા દર્દીઓ કોવિડ 19ના છે. આ વચ્ચે FDAએ કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિરના ઉપયોગની મંજૂરી આપી છે.રેમડેસિવિર દવા દેવા પર સરેરાશ 11 દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જકહેવાઈ રહ્યું છે કે જે લોકોને રેમડેસિવિર દવા આપવામાં આવી હતી તેને સરેરાશ 11 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ પહેલા નેશનલ હેલ્થ કમિશનના એન્થની ફોસીએ જણાવ્યું હતું કે, આ દવા ગંભીર રીતથી બીમાર કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં કારગત સાબિત થશે. હાલ આ દવાનો ઉપયોગ સામાન્ય રીતે બીમાર દર્દીઓ પર કરવામાં આવ્યો નથી. FDAએ કોવિડ 19 દર્દીઓની સારવાર માટે સૌથી પહેલા હાઈડ્રોક્લીક્લોરોક્વિન દવાના ઉપયોગને મંજૂરી આપી હતી.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવાનો ઉપયોગ કરવાનું કહી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે આ દવાથી ન્યૂયોર્ક અને કેટલીક અન્ય જગ્યાના દર્દીઓની સારવાર થઈ છે. પરંતુ હૃદયના દર્દીઓ માટે આ દવા ઘાતક છે. ટ્રમ્પના આગ્રહ પર ભારતે અમેરિકાને હાઈડ્રોક્સીક્લોરોક્વિનની 5 કરોડ ગોળીઓ મોકલી હતી. અમેરિકામાં કોરોના વાયરસથી અત્યારસુધીમાં 65,776 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 11,31,452 હજુ પણ સંક્રમિત છે. વડોદરા: પાસ હોવા છતાં પોલીસે રોકતા પરપ્રાંતિયોએ પથ્થરમારો કરીને ટ્રાફિકજામ કર્યો
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો