એપશહેર

Dexamethasone: જાણો કોરોનાની ચમત્કારી કહેવાતી દવા ડેક્સામેથાસોન અંગેની તમામ માહિતી

Hitesh Mori | I am Gujarat 17 Jun 2020, 5:35 pm
I am Gujarat coronavirus vaccine updates all about dexamethasone
Dexamethasone: જાણો કોરોનાની ચમત્કારી કહેવાતી દવા ડેક્સામેથાસોન અંગેની તમામ માહિતી


ડેક્સામેથાસોન નામની દવા

કોરોના વાયરસ વેક્સીન પર કામ કરી રહેલા બ્રિટિશ વૈજ્ઞાનિકોએ મંગળવારે દાવો કર્યો હતો કે તેમણે એક એવી દવા તૈયાર કરી છે જે આ ખતરનાક વાયરસથી સંક્રમણ થયેલા દર્દીઓને બચાવી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડેક્સામેથાસોન નામના સ્ટેરાઈડના ઉપયોગથી ગંભીર રૂપથી બીમાર દર્દીઓનો મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. સ્ટીડી ટીમના ચીફ પ્રો. માર્ટિન લેન્ડ્રેએ કહ્યું કે ડેક્સામેથાસોન દવા દર્દીઓને માત્ર 10 દિવસ સુધી આપવામાં આવે છે. આ દવાની કિંમત પ્રતિ દર્દી માત્ર 481 રૂપિયા છે. તો આજે આપણે જાણીશું કે ડેક્સામેથાસોન અને ટ્રાયલ દરમિયાન રિસર્ચરે શું શું દાવા કર્યા છે?

શું છે ડેક્સામેથાસોન?

ડેક્સામેથાસોન દવા WHOની આવશ્યક દવાઓના લિસ્ટમાં વર્ષ 1977થી લિસ્ટેડ છે. ડેક્સામેથાસોન એક સ્ટેરોઈ છે જેનો ઉપયોગ શ્વાસની સમસ્યા, એલર્જિક રિએક્શન, ઓર્થરાઈટિસ, હોર્મોન અથવા ઈમ્યૂનિટી સિસ્ટમ ડિસઓર્ડર જેવી બીમારીઓમાં કરવામાં આવે છે. આ દવા શરીરના નેચરલ ડિફેન્સિવ રિસ્પોન્સને પણ ઘટાડે છે.

શું છે વૈજ્ઞાનિકોનો દાવો?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ દવાને 2104 દર્દીઓને આપવામાં આવી અને તેમની સરખામણી અન્ય દર્દીઓ કે જેમની સામાન્ય રીતે ટ્રિટમેન્ટ થઈ રહી છે તેવા 4321 દર્દીઓ સાથે કરવામાં આવી. દવાના ઉપયોગ બાદ વેન્ટીલેટર સાથે સારવાર કરાવી રહેલા દર્દીઓના મૃત્યુદરમાં 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જે દર્દીઓને ઓક્સીઝન આપવામાં આવી રહ્યો હતો તેમા પણ 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

ડેક્સામેથાસોન દવા મોંઘી પણ નથી

ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના રિસર્ચર પીટર હોર્બીએ કહ્યું કે આ ખુબજ ઉત્સાહજનક પરિણામ છે. મૃત્યુ દર ઘટાડવા તેમજ ઓક્સીઝનની મદદવાળા દર્દીઓને પણ ફાયદો થયો છે. ડેક્સામેથાસોન દવા મોંઘી પણ નથી અને દુનિયાભરમાં આ દવાનો ઉપયોગ થઈ શકે છે. સ્ટીડ ટીમના ચીફ પ્રો. માર્ટિન લેન્ડ્રેએ કહ્યું કે ડેક્સામેથાસોન દવા દર્દીઓને માત્ર 10 દિવસ સુધી આપવામાં આવે છે. દવાની કિંમત પ્રતિ દર્દી માત્ર 481 રૂપિયા જ છે.

WHOએ રિસર્ચના કર્યા વખાણ

WHOએ બ્રિટિશ વૈજ્ઞાનિકોના આ રિસર્ચના વખાણ કર્યા છે. WHOએ કહ્યું કે અમે ડેક્સામેથાસોન પર થયેલી સ્ટડીનું સ્વાગત કરીએ છીએ જે કોરોના વાયરસના મૃત્યુદરમાં ઘટાડો લાવી શકે છે. આપણે જીવનને બચાવવા અને નવા ચેપને ફેલાતો રોકવા માટે ધ્યાન આપવું પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો