એપશહેર

કોરોનાના કારણે ભવિષ્યમાં આ રોગથી થતા મૃત્યુની સંખ્યા વધશે: WHOની ચેતવણી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે કોરોના વાયરસના કારણે આ રોગના નિદાન અને સારવારમાં ઘણો વિલંબ થયો છે

I am Gujarat 5 Feb 2021, 8:45 pm
કોરોના વાયરસના કારણે વિશ્વમાં લાખો લોકોના મૃત્યુ થયા છે. કોવિડ-19ના કારણે કેન્સરની સારવાર પર પણ અસર પડી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (ડબલ્યુએચઓ) આને લઈને ચેતવણી આપી છે. 2020મા કોરોના વાયરસ રોગચાળાના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે યુરોપમાં ઘણા લોકોની સારવારમાં વિલંબ થયો હતો. પરિણામે ઘણા લોકોનો રોગ આગળના સ્ટેજમાં કે પછી સારવાર માટે મુશ્કેલ બન્યો હોય તેવા સ્ટેજમાં પહોંચશે ત્યારે તેમને સારવાર મળશે. જેના કારણે તેમના મૃત્યુની શક્યતા વધી જશે.
I am Gujarat covid has been catastrophic for cancer care and deaths set to surge in next five years who director warns
કોરોનાના કારણે ભવિષ્યમાં આ રોગથી થતા મૃત્યુની સંખ્યા વધશે: WHOની ચેતવણી


કેન્સરથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધશે

ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે યુરોપના ડબલ્યુએચઓના રિજનલ ડાયરેક્ટર ડોક્ટર હાન્સ ક્લુએ જણાવ્યું હતું કે, ટ્રાવેલ પરના પ્રતિબંધો અને કોવિડ-19 સામેની લડાઈના કારણે હેલ્થ સિસ્ટમ પર પડેલા વધારે પડતા દબાણના કારણે સમગ્ર યુરોપમાં કેન્સરની સેવાઓમાં વિક્ષેપ પડ્યો હતો. ડાયગ્નોસિસ અને સારવારમાં થયેલા નોંધપાત્ર વિલંબથી કેન્સરના હજારો દર્દીઓની સારવાર અને તેમની બચવાની સંભાવનાઓ પર પણ સીધી અસર પડશે. આગામી વર્ષોમાં કેન્સરથી ઘણા દર્દીઓના મોત થશે જેમાં બ્રેસ્ટ અને બાઉલ કેન્સરના દર્દીઓને વધારે જોખમ રહેલું છે કેમ કે તેમના સ્ક્રીનિંગની ઘણી એપોઈન્ટમેન્ટ રદ્દ થઈ હતી.

હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી હતી

2020ના પ્રથમ લોકડાઉનના કારણે યુરોપમાં ઈમર્જન્સી સારવાર અને અરજન્ટ એપોઈન્ટમેન્ટ સિવાય બધું જ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી હતી. યુકેની નેશનલ હેલ્થ સર્વિસને સામાન્ય થતા મહિનાઓ લાગી ગયા હતા અને આ સમય દરમિયાન ઘણા બધા લોકો પોતાના સામાન્ય ઓપરેશનની રાહ જોઈ રહ્યા હતા. હજારો લોકોના સ્કેન થઈ શક્યા ન હતા અને તેના કારણે તેમના રોગનું નિદાન પણ થઈ શક્યું ન હતું.

હોસ્પિટલમાં થયેલા મૃત્યુઆંકમાં ઘટાડો, ઘરે વધારે લોકો મર્યા

ઈંગ્લેન્ડમાં હોસ્પિટલોમાં નોન-કોવિડ મૃત્યુઆંક ગત વર્ષની તુલનામાં ઓછો રહ્યો હતો જ્યારે ઘરે મૃત્યુ પામાનારા લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે લોકોએ હોસ્પિટલોમાં જવાનું ટાળ્યું હતું જેના કારણે ઘરે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. મેકમિલન કેન્સર સપોર્ટે જણાવ્યું હતું કે માર્ચથી નવેમ્બર 2020 દરમિયાન કેન્સર સ્પેશિયાલિસ્ટને દેખાડવા ગયેલા લોકોની સંખ્યામાં પણ 2019ની તુલનામાં ઘટાડો જોવા મળ્યો છે.

Read Next Story