એપશહેર

કોરોનામુક્ત થયેલા લોકોને ફરીથી ચેપ લગાડવા ઈચ્છે છે ઓક્સફોર્ડ, જાણો શું છે કારણ

યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ કોરોનાને પરાજય આપીને સાજા થયેલા લોકોમાં ફરીથી આ વાયરસ દાખલ કરવા જઈ રહી છે

I am Gujarat 19 Apr 2021, 10:41 pm
લંડનઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટી કોરોના વાયરસને લઈને એક અલગ પ્રકારનું સંશોધન કરવા જઈ રહી છે. ઓક્સફોર્ડ જે લોકોએ કોરોનાને પરાજય આપ્યો છે તેવા લોકોને ફરીથી ચેપગ્રસ્ત બનાવશે જેથી કરીને તે જાણવામાં મદદ મળશે કે આ જીવલેણ વાયરસ સામે વધારે અસરકારક રસી કેવી રીતે બનાવી શકાય.
I am Gujarat oxford corona vaccine7


ઓક્સફોર્ડે સોમવારે જણાવ્યું હતું કે, સંશોધકો પોતાના સંશોધન માટે અગાઉ કોરોનાનો ચેપ લાગી ગયો હોય તેવા 18થી 30 વર્ષના 64 વોલેન્ટીયર્સને શોધી રહ્યા છે. તેઓ આ લોકો પર તમામ સુરક્ષા સહિત અને 17 દિવસના ક્વોરેન્ટીનમાં સંશોધન કરવા ઈચ્છે છે. આ સંશોધનમાં જોડાનારા વોલેન્ટીયરને ગત વર્ષે ચીનના વુહાનમાં ઉદ્દભવેલા ઓરિજિનલ કોરોના સ્ટ્રેઈનથી ચેપગ્રસ્ત કરશે.

ઓક્સફોર્ડ પોતાના સંશોધનના શરૂઆતના ડેટા થોડા મહિનાઓમાં જ ઉપલબ્ધ કરાવશે જેથી કરીને વેક્સીન બનાવતી કંપનીઓને ફરીથી ચેપ ન લાગે તે માટે કેટલી અને કેવા પ્રકારની ઈમ્યુનિટીની જરૂર પડે છે તે જાણવામાં મદદ મળશે. વેક્સીન અને અગાઉના ચેપથી કોરોના વાયરસ સામે ઈમ્યુન પ્રોટેક્શન મળ્યું છે પરંતુ ચિંતા અને શંકા એ છે કે તે કેટલા સમય સુધી ટકશે.

ઓક્સફોર્ડે જણાવ્યું હતું કે, અમારા આ સંશોધનનો એક હેતુ અગાઉ જેને ચેપ લાગ્યો હોય તેવા વ્યક્તિ પર કેટલી અસર કરે છે તે જોવાનો પણ છે. આ સંશોધનના બીજા તબક્કામાં દર્દીઓના જુદા-જુદા ગ્રુપને તે ડોઝ આપવામાં આવશે અને તેમનો ઈમ્યુન રિસ્પોન્સ કેવો રહે છે તેનો અભ્યાસ કરવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો