એપશહેર

બ્રિટનમાં ઓમિક્રોનથી મૃત્યુઆંક વધીને 12 થયો, ક્રિસમસ પર લોકડાઉનની તૈયારીમાં સરકાર

24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાં શોધવામાં આવેલો ઓમિક્રોન વેરિયન્ટ હાલમાં 89 દેશોમાં ફેલાય ચૂક્યો છે

I am Gujarat 20 Dec 2021, 9:21 pm

હાઈલાઈટ્સ:

  • બ્રિટનમાં ઓમિક્રોનથી અત્યાર સુધી 12 લોકોના મોત થયા
  • ક્રિસમસ પહેલા સરકાર લોકડાઉન લાગૂ કરી શકે છે
  • બ્રિટનમાં દૈનિક સ્તરે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધુ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 6
લંડનઃ દુનિયાના 89થી વધુ દેશોમાં પ્રસરી ચૂકેલો ઓમિક્રોન હવે બ્રિટન પર કહેર વર્તાવી રહ્યો છે. અહીં ઓમિક્રોનના દર્દીઓમાં ધરખમ વધારા સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જેના લીધે બોરિસ જોનસનની સરકાર હવે દેશમાં લોકડાઉન લગાવવા પર વિચાર કરી રહી છે. સરકારને ડર સતાવી રહ્યો છ કે, પ્રતિબંધ લાદ્યવામાં નહીં આવે તો ક્રિસમસ દરમિયાન દેશમાં સ્થિતિ બેકાબૂ થઇ જશે. બ્રિટન દુનિયાના એ પ્રમુખ દેશોમાં સામેલ છે જ્યાં સૌથી પહેલા રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગની વસતીને રસીના બંને ડોઝ લાગી ગયા પછી અહીં ઓમિક્રોનથી સંક્રમિત કેસનો આંકડો રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે.
બ્રિટનના સરકારના તાજેતરના રિપોર્ટ મુજબ, દેશમાં ઓમિક્રોનથી મરનારા દર્દીઓની સંખ્યા વધીને 12 થઇ છે. બ્રિટનના નાયબ વડાપ્રધાન ડોમિનિક રોબે દેશમાં ક્રિસમસ પહેલા લોકડાઉન કરવાની સંભાવનાને નકારી દીધી છે. જોકે સરકારી અધિકારીએ ચેતવણી વ્યક્ત કરી રહ્યા છે કે નવા વર્ષની શરૂઆતમાં જ ઓમિક્રોન લહેર એની પીક પર હોઇ શકે છે.
બ્રિટનમાં એક જ દિવસમાં ત્રણ ગણા વધ્યા ઓમિક્રોનના દર્દીઓ, ભારત માટે ચિંતાજનક સંકેતઓમિક્રોનને સૌથી પહેલા 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાં શોધવામાં આવ્યો હતો. જે પછી હોંગકોંગમાં પણ આ વાયરસ પ્રસર્યો હતો, પરંતુ હાલમાં દુનિયાના 89 દેશોમાં ઓમિક્રોનનું સંક્રમણ ફેલાય ચૂક્યું છે.
કોરોના જશે કે નહીં? છ મહિના પછી દિલ્હીમાં સૌથી વધુ નવા કેસ, મહારાષ્ટ્રમાં પણ ઓમિક્રોન વકર્યોઓમિક્રોનને લઇને દુનિયાભરની આરોગ્ય સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો ચેતવણી આપી ચૂક્યા છે કે, ઓમિક્રોનને લઇને બેદરકારી સમગ્ર દુનિયાને ભારે પડી શકે છે. તેમના મત મુજબ, ઓમિક્રોન વિશ્વસ્તરે કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.

Read Next Story