એપશહેર

અત્યંત અસરકારક કોરોના વાયરસ એન્ટીબોડીની શોધ, વેક્સીન બનાવવામાં મળશે વેગ

કોરોના વાયરસ વિરુદ્ધ જંગ લડતા અને વેક્સીન તૈયાર કરી રહેલા વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા મળી છે

I am Gujarat 25 Sep 2020, 10:24 pm
બર્લિનઃ કોરોના વાયરસ વિરુદ્ધ જંગ લડી રહેલા વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ એક અત્યંત અસરકારક એન્ટી બોડીની શોધ કરી છે. આ એન્ટીબોડી દ્વારા વૈજ્ઞાનિકો આગામી દિવસોમાં એક પેસિવ વેક્સીન બનાવી શકે છે. પેસિવ વેક્સીનમાં વૈજ્ઞાનિકો પહેલાથી જ એક્ટિવ એન્ટીબોડીને વ્યક્તિના શરીરમાં દાખલ કરી શકે છે જ્યારે એક્ટિવ વેક્સીન માનવ શરીરમાં જાતે જ એન્ટીબોડીનું નિર્માણ કરે છે.
I am Gujarat highly effective coronavirus antibodies identified may lead to passive covid 19 vaccine
અત્યંત અસરકારક કોરોના વાયરસ એન્ટીબોડીની શોધ, વેક્સીન બનાવવામાં મળશે વેગ


વૈજ્ઞાનિકોએ કૃત્રિમ રીતે વિકસાવી છે આ એન્ટીબોડી

જર્મન સેન્ટર ફોર ન્યૂરોડિજેનેરેટિવ ડિસિઝ (ડીઝેડએનઈ) અને ચેરિટે- યુનિવર્સિટ્સમેડિજિન બર્લિનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસતી સાજા થયેલા લોકોના લોહીમાંથી લગભગ 600 અલગ-અલગ એન્ટીબોડી લીધી છે. લેબ ટેસ્ટ દ્વારા આ વૈજ્ઞાનિકોએ 600 એન્ટીબોડીમાંથી કોરોના વિરુદ્ધ કેટલીક એક્ટિવ એન્ટીબોડીની ઓળખ કરી છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ સેલ કલ્ચર્સનો પ્રયોક કરીને આ એન્ટીબોડીનું કૃત્રિમ રીતે નિર્માણ કર્યું છે.

કોરોના વાયરસ વિરુદ્ધ અસરકારક છે

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે લેબમાં કૃત્રિમ રીતે બનાવવામાં આવેલી આ ન્યૂટ્રલાઈઝિંગ એન્ટીબોડી વાયરસને બાંધી દે છે. ક્રિસ્ટલોગ્રાફિક વિશ્લેષણ દ્વારા વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ એન્ટીબોડી માનવ શરીરની કોશિકાઓમાં વાયરસના પ્રવેશ કરવાની અને તેમને વિકસીત કરવાની પ્રક્રિયાને રોકી દે છે. આ ઉપરાંત એન્ટીબોડી દ્વારા વાયરસના ઈમ્યુન સેલ ખતમ કરી દે છે.

ઉંદરો પર થયેલા સંશોધનમાં જોવા મળી એન્ટીબોડી

ઉંદરો પર કરવામાં આવેલા સંશોધન કોરોના વાયરસ વિરુદ્ધ અતિસંવેદનશીલ સાબિત થઈ છે. તેનાથી તેની અસરકારકતાની પુષ્ટી થઈ છે. આ સંશોધનના વડા જેકબ ક્રેયે જણાવ્યું હતું કે ઉંદરોને જ્યારે ચેપ બાદ આ એન્ટીબોડી આપવામાં આવી તો તેમાં કોરોનાની હળવી અસર થઈ જ્યારે ચેપ પહેલા જે ઉંદરોને એન્ટીબોડી આપવામાં આવી તે બિલકુલ સ્વસ્થ જોવા મળ્યા.

જર્નલ સેલમાં પ્રકાશિત થયું છે આ સંશોધન

વિજ્ઞાનની જાણીતી પત્રિકા જર્નલ સેલમાં પ્રકાશિત આ શોધથી ખબર પડે છે કે કોરોના વાયરસ વિરુદ્ધ આ એન્ટીબોડી અતિસંવેદનશીલ હોય છે. નોંધનીય છે કે ઉંદરોના સેલ્સ માનવ શરીરને મળતા આવે છે. તેથી વૈજ્ઞાનિકોએ આ એન્ટીબોડીને મનુષ્ય ઉપર પણ એટલી જ અસરકારક માનવામાં આવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો