એપશહેર

ભારત-ચીન યુદ્ધ થયું તો ચાઈનીઝ સેના અટલ ટનલને બરબાદ કરી દેશે: ગ્લોબલ ટાઇમ્સ

ભારતમાં અટલ ટનલ બની જતાં ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સને મરચાં લાગ્યા. ગ્લોબલ ટાઈમ્સે ધમકી આપી છે કે, યુદ્ધ સમયે ચાઈનીઝ સેના ટનલને બરબાદ કરી દેશે.

I am Gujarat 5 Oct 2020, 2:20 pm
બેઈઝિંગ: ચીનના સરકારી ભોપુ ગ્લોબલ ટાઇમ્સે ધમકી આપી છે કે, જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થાય તો ચાઈનીઝ સેના ભારતની તાજેતરમાં બનેલી અટલ ટનલનો નાશ કરશે. ચાઇનીઝ અખબારે એક નિષ્ણાતને ટાંકીને જણાવ્યું છે કે આ ઓછી વસ્તી ધરાવતો વિસ્તાર છે અને આ ટનલનો હેતુ ફક્ત લશ્કરી ઉદ્દેશ્યો પૂરા કરવા માટેનો છે. જો કે, ચીની નિષ્ણાંતનું પણ માનવું છે કે અટલ ટનલથી ભારતીય સૈનિકોને ઘણી મદદ મળશે.
I am Gujarat 10


ગ્લોબ્સ ટાઈમ્સે આપી ધમકી
ચીની નિષ્ણાંતે ગ્લોબલ ટાઇમ્સમાં લખ્યું છે, 'યુદ્ધ દરમિયાન અટલ ટનલનો કોઈ ફાયદો થવાનો નથી. ચીનની સૈન્ય પાસે આ ટનલ નષ્ટ કરવાના સાધન છે. ભારતે સંયમ રાખવો જોઈએ અને ઉશ્કેરણી કરવી ટાળવી જોઈએ કારણ કે ભારતની વ્યૂહાત્મક ક્ષમતામાં વધે તેવો કોઈ રસ્તો બાકી નહીં રહે. તે પણ જ્યારે ચીન અને ભારત વચ્ચે સૈન્ય સજ્જતામાં મોટો તફાવત છે. વ્યવસ્થિત રીતે લડવાની ક્ષમતામાં ભારત ચીનથી ઘણું પાછળ છે.'

ચીનના નિષ્ણાત શોંગ ઝોંગપિંગે સ્વીકાર્યું કે આ ટનલના નિર્માણને કારણે લેહનું અંતર નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવ્યું છે. આ ભારતને તેની વ્યૂહાત્મક તૈયારીમાં મદદ કરશે. ચીનના નિષ્ણાંતે કહ્યું કે ભારત ચીન સરહદ પર રસ્તાઓ અને પુલો બનાવી રહ્યું છે. દૌલત બેગ ઓલ્ડિનો 255 કિલોમીટર લાંબો રસ્તો પૂર્ણ થઈ ગયો છે. ભારત 73 મહત્વના રસ્તાઓ બનાવી રહ્યું છે જે ઠંડીમાં પણ ચાલુ રહેશે.

ઝોંગપિંગે દાવો કર્યો હતો કે ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ભારે ખર્ચ કરી રહ્યું છે પરંતુ તેને પૂર્ણ કરવાની ક્ષમતાનો અભાવ છે. તેમણે કહ્યું હતું કે અટલ ટનલ યુદ્ધ દરમિયાન અસરકારક રહેશે નહીં. ભારતના નેતાઓએ આ ટનલ ફક્ત શો અને રાજકીય હેતુ માટે જ બનાવી છે.

જણાવી દઇએ કે શનિવારે પીએમ મોદીએ હિમાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટનલ 'અટલ ટનલ'નું ઉદઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન પછી, પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે 'અટલ ટનલ' લેહ-લદાખની લાઈફલાઈન બની જશે. આ ટનલથી મનાલી અને કેલોંગ વચ્ચેનું 3-4 કલાકનું અંતર ઘટી જશે. જણાવી દઈએ કે, અગાઉ ગ્લોબલ ટાઈમ્સ અનેક વાર ધમકીઓ આપી ચૂક્યું છે.

Read Next Story