એપશહેર

ઢાકા એટેક બાદ IS-અલ કાયદા વચ્ચે વર્ચસ્વની લડાઈ!

I am Gujarat 3 Jul 2016, 3:00 pm
ઢાકા/નવી દિલ્હીઃ બાંગ્લાદેશે ઢાકાની રેસ્ટોરાંમાં થયેલા હુમલાના રૂપમાં પહેલી વાર ભયાનક આતંકવાદી પ્રવૃત્તિનો સામનો કર્યો છે. બાંગ્લાદેશની ચિંતા એટલા માટે પણ વધી શકે છે, કારણ કે તે રેસ્ટોરાંમાં 20 વિદેશી બંધકોની હત્યા કરનારા કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠન સાથે જોડાયેલી છે. સુરક્ષા એજન્સીઝે આ અંગેની પુષ્ટિ કરી છે. સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં દેશનાં જ બે આતંકવાદી સંગઠનોને તે માટે જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. આ બાંગ્લાદેશનાં બે આતંકવાદી સંગઠન છે, જેમને IS અને અલ કાયદાનું સમર્થન પ્રાપ્ત છે. આ બંને સંગઠનો વચ્ચે વર્ચસ્વની લડાઈને લીધે નિર્દોષોના જીવને જોખમ છે.
I am Gujarat in bangladesh experts see rising rivalry between qaeda isis proxies
ઢાકા એટેક બાદ IS-અલ કાયદા વચ્ચે વર્ચસ્વની લડાઈ!


આ પહેલાં પણ દેશમાં ઘણા લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યાં છે, પરંતુ પહેલી વાર આવો આતંકવાદી હુમલો મોટી સંખ્યામાં લોકો પર કરવામાં આવ્યો છે. સુરક્ષા અધિકારીઓ અને આતંકવાદ વિરોધી ગ્રૂપના અધિકારીઓ માટે આ નવી ચિંતાનો વિષય છે. અધિકારીઓનું કહેવું છે કે, ‘આતંકવાદીઓએ રેસ્ટોરાંને નિશાન બનાવી, લોકોને બંધક બનાવી તથા વિદેશીઓને ટાર્ગેટ રાખી તેમને તીક્ષ્ણ હથિયારોથી મોતને ઘાટ ઉતારવાની આ નવી પરિભાષા આપી છે.’

બાંગ્લાદેશમાં ઢાકા ઓપરેશનની કમાન સંભાળનારા સેનાના વરિષ્ઠ અધિકારી બ્રિગેડિયર જનરલ નઈમ અશફાક ચૌધરીએ ક્હ્યું છે કે, આ આતંકવાદીઓને અલ કાયદા કે ISનું સમર્થન પ્રાપ્ત છે તે હજી સ્પષ્ટપણે ન કહી શકાય. આતંકવાદીઓને અલકાયદા કે પછી ISના નિર્દેશ મળી રહ્યા હતા કે કેમ તેની તપાસ થઈ રહી છે.’ બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીઝ ઢાકા એટેકના તાર વિશ્વભરમાં બનેલી આતંકવાદી ઘટનાઓ સાથે જોડાયેલા છે કે કેમ તેની તપાસ કરી રહી છે. જોકે ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે, પરંતુ હાલ તો રેસ્ટોરાંની અંદરની તસવીરોની તપાસ ચાલી રહી છે.

સાતેય આતંકવાદી બાંગ્લાદેશી હતા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ બાંગ્લાદેશ ઘણા સમયથી દાવો કરતો આવ્યો છે કે, તેને ત્યાં કોઈ વિદેશી આતંકવાદી નથી. જ્યારે આ દાવા પર પશ્ચિમની સુરક્ષા એજન્સીઝ સવાલ ઉઠાવતી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, ઢાકાની રેસ્ટોરાંમાં હુમલો કરનારા સાતેય આતંકવાદી સ્થાનિક જ હતા. જોકે હજી પણ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, તે તમામ આતંકવાદી સ્થાનિક આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા કે નહિ. છેલ્લા કેટલાક મહિનામાં બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયના બ્લોગર, લેખકો અને યુનિવર્સિટી શિક્ષકોની હત્યા થતી આવી છે.

અલ કાયદા V/s ઇસ્લામિક સ્ટેટ અત્યારે બાંગ્લાદેશમાં બે આતંકવાદી સંગઠન સૌથી વધુ સક્રિય છે. અંસર-અલ-ઇસ્લામ અલ કાયદા સાથે જોડાયેલું છે જ્યારે જમાત-ઉલ-મુજાહિદ્દીનને બાંગ્લાદેશમાં ISનું પ્રતિનિધિ માનવામાં આવે છે. બાંગ્લાદેશની સાથે ભારત અને અમેરિકાની સુરક્ષા એજન્સીઝે દાવો કર્યો છે કે, જો આતંકવાદીઓમાં કોઈ વિદેશી નાગરિક સામેલ ન હોય તો પણ એટલું નક્કી છે કે આ હુમલો કરવા માટે વિદેશી આતંકવાદી સંગઠનોનું સમર્થન પ્રાપ્ત હતું.

દક્ષિણ એશિયા વિલ્સન સેન્ટર સાથે સંકળાયેલા સુરક્ષા નિષ્ણાત માઇકલ કુગલમેનનું કહેવું છે કે, ‘આતંકવાદીઓ જે રીતે આ હુમલો કર્યો છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, તેમને આ પ્રકારની જ તાલીમ આપવામાં આવી હતી. એવું લાગે છે કે, તેમને અલ કાયદા કે IS જેવા કોઈ સંગઠને તાલીમ આપી હશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો