એપશહેર

ચીનના વુહાનમાં કોરોનાથી સ્વસ્થ થયેલા 90 ટકા દર્દીઓના ફેફસા ખરાબઃ રિપોર્ટ

ચીનમાં જ્યાંથી કોરોના વાયરસનો ઉદ્ભવ થયો તેવા વુહાન શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓ પર સર્વે કરાયો. આ દરમિયાન 90 ટકા દર્દીઓના ફેફસા ખરાબ હાલતમાં જોવા મળ્યા હતા.

I am Gujarat 6 Aug 2020, 2:27 pm
ચીનના વુહાન શહેરમાં જેટલા પણ દર્દીઓ કોરોના વાયરસને હરાવીને સાજા થયા છે તેમાંથી મોટા ભાગના લોકોના ફેફસાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આટલું જ નહીં, રિકવર થયેલા 5 ટકા દર્દીઓ ફરીથી કોરોના સંક્રમિત થવા પર હોસ્પિટલમાં એડમિટ થયા છે. વુહાન યુનિવર્સિટીના ડોક્ટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ ખુલાસો થયો હતો.
I am Gujarat in chinas wuhan 90 percent of cured covid 19 patients lungs damaged
ચીનના વુહાનમાં કોરોનાથી સ્વસ્થ થયેલા 90 ટકા દર્દીઓના ફેફસા ખરાબઃ રિપોર્ટ



100 દર્દીઓ પર કરાયો સર્વો

હોસ્પિટલના ઈન્ટેન્ટિવ કેર યુનિટના ડાયરેક્ટર પેંગ ઝિયોંગના નેતૃત્વમાં વુહાન યુનિવર્સિટીની ઝોન્ગનૈન હોસ્પિટલમાં એક ટીમ કામ કરી રહી છે. આ ટીમે વુહાનમાં કોરોનાથી સાજા થયેલા 100 દર્દીઓ પર એક સર્વે કર્યો હતો. આ ટીમ એપ્રિલ મહીનાથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓ પર નજર રાખી રહી હતી

90 ટકાના ફેફસા ખરાબ

ટીમ સમય સમય પર દર્દીઓના ઘરે જઈને તેમના સ્વાસ્થ્યની જાણકારી લઈ રહી હતી. એક વર્ષ સુધી ચાલનારા આ સર્વેનો પ્રથમ તબક્કો જુલાઈ મહીનામાં ખતમ થયો હતો. આ સર્વેમાં દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે. પહેલા તબક્કાના પરિણામો પ્રમાણે સાજા થયેલા દર્દીઓમાંથી 90 ટકાના ફેફસા કામ કરતા બંધ થવાની અણી પર છે. મતલબ કે આ દર્દીઓના ફેફસામાં વેન્ટિલેશન અને ગેસ એક્સચેન્જ ફંક્શન કામ નથી કરી રહ્યું. આ લોકો હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ નથી થઈ શક્યા.

સાજા થયા બાદ પણ ઓક્સિજન સિલિન્ડર પર નિર્ભર

પેંગની ટીમે દર્દીઓ સાથે 6 મિનિટનો વોક ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટમાં દર્દીઓ 6 મિનિટમાં માત્ર 400 મીટર જ ચાલી શકતા હોવાની જાણ થઈ હતી. જ્યારે એક સ્વસ્થ વ્યક્તિ 500 મીટર સુધી ચાલી શકે છે. સાજા થયેલા દર્દીઓ પૈકીના કેટલાક દર્દીઓને ત્રણ મહીના પછી પણ ઓક્સિજન સિલિન્ડર પર જ નિર્ભર રહેવું પડે છે.

5 ટકા દર્દીઓને ફરી ક્વોરન્ટાઈન થવું પડશે

એટલું જ નહીં, 100માંથી 10 દર્દીઓના શરીરમાંથી કોરોના સામે લડી શકે તેવા એન્ટીબોડી જ સમાપ્ત થઈ ગયા છે. જ્યારે 5 ટકા દર્દીઓ કોવિડ-19 ન્યૂક્લિક એસિડ ટેસ્ટમાં નેગેટિવ આવ્યા છે પરંતુ ઈમ્યુનોગ્લોબ્યુલિન એમ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. મતલબ કે તેમને ફરીથી ક્વોરેન્ટાઈન થવું પડશે.

કેટલાક દર્દીઓ હજુ પણ અસ્વસ્થ

હજુ સુધી તે જાણી શકાયું નથી કે આ લોકો ફરી કોવિડ-19થી સંક્રમિત થયા છે કે જૂની બીમારી તેમને પરેશાન કરી રહી છે. સાજા થયેલા દર્દીઓના શરીરમાં વાયરસ સામે લડી શકે તેવા બી-સેલ્સની સંખ્યામાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. પેંગના કહેવા પ્રમાણે, કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકો સંપૂર્ણપણે ઠીક નથી અને તેમને સ્વસ્થ થતા હજુ થોડો સમય લાગશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો