એપશહેર

પાકની ચીમકી, 'પાકિસ્તાનમાં વહેતું પાણી ભારતે રોક્યું તો...'

Gaurang Joshi | I am Gujarat 11 Mar 2019, 11:37 pm
ઈસ્લામાબાદઃ પાકિસ્તાને કહ્યું છે કે ભારત સિંધુ નદી સમજૂતી હેઠળ તેને મળતું પાણી રોકી ન શકે અને જો આવું થયું તો તે ઈન્ટરનેશનલ કોર્ટ ફોર આર્બિટ્રેશનમાં જશે. પાકિસ્તાનના જિયો ન્યૂઝે સિંધુ જળ સાથે જોડાયેલા પાકિસ્તાનના પર્મેનન્ટ કમિશનના એક મુખ્ય અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે,’ભારત વારંવાર પાણીને લઈ આક્રમકતા’ બતાવે છે.હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરોપાકિસ્તાની અધિકારીએ કહ્યું કે જો ભારત રાવી, સતલજ અને બિયાસ નદીઓનું પાણી રોકશે તો ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ કોર્ટ ફોર આર્બિટ્રેશનમાં જશે. નોંધનીય છે કે પુલવામા આત્મઘાતી હુમલા પછી કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ગત મહિને કહ્યું હતું કે ભારતે પોતાના ભાગના પાણીને પાકિસ્તાનમાં જતા રોકવાનો નિર્ણય કર્યો છે. તે સમયે પાકિસ્તાને પ્રતિક્રિયામાં કહ્યું કે ભારત પોતાના ભાગનું પાણી રોકે છે તો તેને કશો જ વાંધો નથી.જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર પાકિસ્તાની અધિકારીએ કહ્યું કે,’પાણી અને ઉર્જા મંત્રાલય પાકિસ્તાનને પાણી રોકવા સંબંધિત ભારતના ઉઠાવેલા પગલાની સમીક્ષા કરી રહ્યું છે. સિંધુ પાણી કરાર હેઠળ ભારત, પાકિસ્તાનની તરફ પાણીના વહેણને ન રોકી શકે અને જો તે આવું કરે છે તો અમે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં જશું.’અધિકારીએ કહ્યું કે,’ભારતના સિંધુ જલ આયોગે પાણીનું વહેણ રોકવા સંબંધીત પગલા અંગે પાકિસ્તાનને કશું જ જણાવ્યું નથી.’ અધિકારીએ જણાવ્યું કે,’પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવા માટે ભારતને અનેક વર્ષ લાગશે.’ નોંધનીય છે કે 1960માં થયેલા સિંધુ જળ સમજૂતી અનુસાર પશ્ચિમી નદીઓ, સિંધુ, ઝૈલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનના ભાગમાં છે અને પૂર્વી નદી રાવી, બિયાસ અને સતલજનું પાણી ભારતના ભાગમાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો