એપશહેર

પાકિસ્તાનને વધુ એક ઝટકોઃ ભારત સાથે જળ વિવાદમાં મધ્યસ્થતા નહીં કરે વર્લ્ડ બેંક

વર્લ્ડ બેંકે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષો ચાલી રહેલા જળ વિવાદમાં મધ્યસ્થતા કરવાની ના પાડી દીધી છે

I am Gujarat 8 Aug 2020, 7:12 pm
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનને વર્લ્ડ બેંક તરફથી મોટો ફટકો પડ્યો છે. બેંકે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષો ચાલી રહેલા જળ વિવાદમાં મધ્યસ્થતા કરવાની ના પાડી દીધી છે. વર્લ્ડ બેંકે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે બંને દેશોએ કોઈ તટસ્થ નિષ્ણાત કે કોર્ટ મધ્યસ્થાની નિમણૂક પર વિચાર કરવો જોઈએ. આ વિવાદમાં અમે કંઈ કરી શકીએ નહીં.
I am Gujarat india pakistan should decide on option to resolve dispute on two hydroelectric says world bank
પાકિસ્તાનને વધુ એક ઝટકોઃ ભારત સાથે જળ વિવાદમાં મધ્યસ્થતા નહીં કરે વર્લ્ડ બેંક


વર્લ્ડ બેંકે પાકિસ્તાનની અપીલ ફગાવી દીધી

ઈસ્લામાબાદમાં પોતાના પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવા પર વર્લ્ડ બેંકના પાકિસ્તાન મામલાના ભૂતપૂર્વ ડાયરેક્ટર પેટચમુથુ ઈલંગોવને કહ્યું છે કે આ વિવાદને ઉકેલવા માટે ભારત અને પાકિસ્તાન બંનેએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. નોંધનીય છે કે પાકિસ્તાને વર્લ્ડ બેંકથી ભારતને બે જળ વિદ્યુત યોજનાને લઈને કોર્ટ ઓફ આર્બિટ્રેશનની નિમણૂકની અપીલ કરી હતી.

ભારતની આ બે યોજનાઓ સામે પાકિસ્તાનને છે વાંધો

પાકિસ્તાનને ભારતના 330 મેગાવોટની કિશનગંગા યોજના અને 850 મેગાવોટની રાતલે યોજના સામે વાંધો છે. જ્યારે ભારતનું કહેવું છે કે અમે વર્લ્ડ બેંકના નિયમો અનુસાર જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે આ યોજનાઓને સંચાલિત કરી રહ્યા છીએ.

બંને દેશો વચ્ચે શું વિવાદ છે?

1947મા આઝાદી મળ્યા પછી જ બંને દેશોમાં પાણીને લઈને વિવાદ શરૂ થયો હતો. હકીકતમાં સિંધુ જળ પ્રણાલીમાં સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ નદીઓ સામેલ છે. આ નદીઓ ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં વહે છે. પાકિસ્તાનનો આરોપ છે કે ભારત આ નદીઓ પર બંધ બાંધીને પાણીમાંથી વિજળી ઉત્પન્ન કરે છે અને તેના વિસ્તારમાં પાણી ઓછુ હોવાના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ રહે છે.

વર્લ્ડ બેંકની મધ્યસ્થતાથી થઈ છે સિંધુ જળ સમજૂતી

પાણીને લઈને બંને દેશો વચ્ચે વિવાદ વધી ગયો ત્યારે 1949મા અમેરિકાના નિષ્ણાત અને ટેનસી વેલી ઓથોરિટીના ભૂતપૂર્વ પ્રમુખ ડેવિડ લિલિયંથલે તેને ટેકનિકલ રીતે ઉકેલવાની સલાહ આપી હતી. તેમની સલાહ બાદ વિવાદનો ઉકેલ લાવવા માટે સપ્ટેમ્બર 1951મા વર્લ્ડ બેંકના તત્કાલીન અધ્યક્ષ યુજીન રોબર્ટ બ્લેકે મધ્યસ્થતાની વાત સ્વીકારી હતી. ત્યારબાદ 19 સપ્ટેમ્બર 1960મા ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી થઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો