એપશહેર

અભ્યાસ અર્થે યુક્રેન ગયા, બિઝનેસ કરી બન્યા અબજોપતિ, યુદ્ધ વચ્ચે આ રીતે ચૂકવી રહ્યા છે ઋણ

Indian Businessman in Ukraine: યુક્રેનના સૌથી અમીર બિઝનેસમેનમાંથી એક ગણાતાં ભારતીય બ્રિજેન્દ્ર રાણા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. 90ના દાયકામાં તેઓ અભ્યાસ અર્થે યુક્રેન ગયા હતા. ત્યાંની યુવતી સાથે પ્રેમમાં પડી લગ્ન કર્યાં અને બાદમાં પોતાનો દવાઓનો બિઝનેસ શરૂ કર્યો હતો. આજે યુક્રેન યુદ્ધમાં તેઓ 40 કરોડથી પણ વધારે દવાઓની વહેંચણી કરી ચૂક્યા છે.

Authored bySandeep Rai | Edited byHarshal Makwana | TNN 27 Mar 2022, 7:00 pm

હાઈલાઈટ્સ:

  • 50 વર્ષીય બ્રિજેન્દ્ર રાણા 1990માં અભ્યાસ અર્થે યુક્રેન ગયા હતા
  • યુક્રેનમાં અનંતા મેડિકેર નામથી દવાની કંપની શરૂ કરી, આજે કરોડોમાં કારોબાર કરે છે
  • યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળતાં લોકોની સેવા કરવા માટે મફત દવાઓની વહેંચણી શરૂ કરી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Indian Businessman in Ukraine
અભ્યાસ અર્થે યુક્રેન ગયા, ત્યાં જ બિઝનેસ શરૂ કરી બન્યા અબજોપતિ, યુદ્ધ વચ્ચે આ રીતે ચૂકવી રહ્યા છે ઋણ
Indian Businessman In Ukraine: મૂળ ઉત્તર પ્રદેશના બાગપતના રહેવાસી 50 વર્ષીય બિજેન્દ્ર રાણા (Brijendra Rana)1990ના દાયકામાં મેડિસિનનો અભ્યાસ કરવા માટે યુક્રેન ગયા હતા. જે બાદ તેઓ યુક્રેનની યુવતી ઓક્સાનાના પ્રેમમાં પડ્યા હતા અને તેમની સાથે લગ્ન કર્યાં હતા. તેઓને 16 વર્ષીય એક દીકરી છે, જેનું નામ સોફિયા છે. તેઓએ ખાર્કિવમાં પોતાના મિત્રો સાથે મળીને અનંતા મેડિકેર નામથી દવાઓનો વ્યવસાય શરૂ કર્યો હતો, અને હવે તે યુક્રેનના સૌથી અમીર બિઝનેસમેનમાંથી એક છે. એવો અંદાજ છે કે, તેઓએ કરોડો રૂપિયાની દવાઓ મફતમાં વહેંચી દીધી છે.
બ્રિજેન્દ્ર રાણાની કંપનીનું ટર્નઓવર હજારો કરોડો રૂપિયામાં છે. અને તેમની દવાઓ યુરોપ, જાપાન, ભારત સહિતના દેશોમાં સપ્લાય થાય છે. જો કે, યુદ્ધને કારણે હવે રાણાની પ્રેમ, સફળતા અને અમીરીની આ કહાનીમાં હચમચાવી નાખતો વળાંક આવ્યો છે. યુક્રેનમાં યુદ્ધ વચ્ચે આજે તેઓ અને તેમના પરિવાર ફસાઈ ગયા છે. જે દેશને તેઓએ કર્મભૂમિ બનાવી અને જે દેશે તેમને અપનાવ્યો છે તે દેશને આ સંકટની સ્થિતિમાં છોડી દેવા તેઓ તૈયાર નથી. યુક્રેનમાં 60 વર્ષથી નીચેના પુરુષોને દેશ છોડવા પર મનાઈ છે. જો કે, સોફિયા અને ઓક્સાના દેશ છોડી શકે છે. જો કે, તેઓએ પણ દેશ છોડવા માટે મનાઈ ફરમાવી દીધી હતી અને સાથે રહેવાનું વચન આપ્યું હતું. રશિયાના આક્રમણને કારણે તેઓને ખાર્કિવ છોડીને 1000 કિમી દૂર રોમાનિયા પાસે ઈવાનો-ફ્રેનકિવ્સ્ક સ્થળાંતર થવાની ફરજ પડી.

અમારા સહયોગી TOI સાથે વાતચીત કરતાં રાણાએ કહ્યું કે, 7 માર્ચ સુધી હું મારા પરિવાર સાથ ખાર્કિવમાં રહતો હતો. પણ ત્યારબાદ બોંબમારા તેજ થઈ ગયા અને વીજળી તેમજ પાણીની સપ્લાય બંધ થઈ ગઈ. અને ત્યારબાદ મેં નક્કી કર્યું કે, આ શહેર છોડીને પશ્ચિમના કોઈ સુરક્ષિત શહેરમાં જતું રહેવું છે. ત્રણ દિવસની આ સફર ખુબ જ મુશ્કેલ હતી, કેમ કે રોડ તૂટી ગયા હતા. જો કે કોઈપણ રીતે અમે ત્યાં પહોંચવામાં સફળ રહ્યા હતા.

યુક્રેનની સરકાર દ્વારા નાગરિકોને યુક્રેન છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ફક્ત મહિલાઓ, બાળકો અને 60 વર્ષથી ઉપરના લોકો જ યુક્રેન છોડી શકે છે. રાણા પાસે યુક્રેનમાં રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. જો કે તેમના પરિવાર પાસે દેશ છોડવાનો વિકલ્પ હતો. રાણાએ કહ્યું કે, હું તેમને સુરક્ષિત જોવા માગતો હતો, પણ તેઓએ પણ દેશ છોડવાની ના પાડી દીધી. તેઓ મને અહીં એકલો છોડવા તૈયાર ન હતા. જેથી અમે અહીં જ રોકાઈ જવાનું નક્કી કર્યું. જે બાદ પરિવાર દ્વારા અહીં દવાઓની વહેંચણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. રાણાએ કહ્યું કે, લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા હતા. અમે સપ્લાય નેટવર્ક ઉપર કામ કર્યું. અને બાદમાં અમે લોકોને દવાઓ પૂરી પાડી. અત્યારે અમારું સેન્ટર ઈવાનોમાં છે. દવાઓ ડિફેન્સમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે, હું મારો ભાગ ભજવી રહ્યો છે, આ ક્યાં સુધી ચાલશે તે મને નથી ખબર.
લેખક વિશે
Sandeep Rai
Sandeep Rai is a veteran journalist with two decades of experience in the reporting field. He heads the Western Uttar Pradesh bureau, managing Meerut, Bareilly & Agra circles. His areas of interest are wildlife, politics and special reportage.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો