એપશહેર

કાશ્મીર મામલે પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું ઓઆઈસી, કહ્યું- ભારત બંધ કરે 'અત્યાચાર'

I am Gujarat 20 Sep 2016, 4:38 pm
ન્યૂયોર્ક: મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન (ઓઆઈસી)એ પાકિસ્તાનનું સમર્થન કરતા ભારતને કહ્યું છે કે, તેણે તાત્કાલિક કાશ્મીરમાં ‘અત્યાચાર’ બંધ કરી દેવો જોઈએ. ઓઆઈસી મુજબ કાશ્મીરના મુદ્દાનું સમાધાન કાશ્મીરના લોકોની ઈચ્છા તેમજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ મુજબ કરવું જોઈએ.
I am Gujarat jammu and kashmir india pakistan atrocities in kashmir organisation of islamic cooperation organisation of islamic cooperation asks india to cease atrocities in kashmir
કાશ્મીર મામલે પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું ઓઆઈસી, કહ્યું- ભારત બંધ કરે 'અત્યાચાર'


ઓઆઈસીના મહાસચિવ ઈયાદ અમીન મદનીએ કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને ભારતને તાત્કાલિક ‘અત્યાચાર’ રોકવા કહ્યું. તેમણે ભારત સરકારને આગ્રહ કર્યો કે, તે ‘કાશ્મીરના લોકોની ઈચ્છા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો મુજબ’ વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન લાવે. કાશ્મીરના લોકોની સાથે ‘એકજુટતા’ જાહેર કરતા ઓઆઈસી જૂથે ‘કાશ્મીરી લોકોના અવાજ’ને આંતરાષ્ટ્રીય સ્તરે ‘ઉઠાવવાનો સંકલ્પ’ વ્યક્ત કર્યો.

મદનીની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે પાકિસ્તાનના વિદેશ મામલાના સલાહકાર સરતાજ અઝીઝે ઓઆઈસીના સંપર્ક જૂથની એક બેઠકમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. અઝીઝે આતંકવાદી બુરહાન વાનીને મારવાનો અને ભારતીય સુરક્ષાદળો દ્વારા કાશ્મીરી પ્રદર્શનકારીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ કરવાનો મુદ્દો ઉઠાવ્યો. વાનીને આઠ જુલાઈએ ભારતીય સુરક્ષાદળોએ અથડામણમાં ઠાર કરી દીધો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો