એપશહેર

જો બાઈડેન અમેરિકામાં રહેતા 5 લાખ ભારતીયોને પહેલા દિવસે આપશે ખુશખબરી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યાના પહેલા જ દિવસ ભારતીયો અને સહિત ગેરકાયદે અમેરિકામાં રહેતા એક કરોડથી વધુ લોકોને મળી શકે છે ગ્રીનકાર્ડ

I am Gujarat 19 Jan 2021, 6:04 pm
વોશિગ્ટનઃ યુનાઇટેડ સ્ટેટ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સત્તા માટે લાંબી લડત સહન કરી છે, બાઈડેન પદ સંભાળતાંની સાથે જ પહેલા દિવસે ભારતીયો માટે એક મોટા સમાચાર મળી શકે છે. જો બાઈડેન તેમના વહીવટના પહેલા દિવસે ઇમિગ્રેશન બિલ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આમાં દેશમાં કાનૂની દરજ્જા વિના રહેતા એક કરોડ 10 લાખ લોકોને આઠ વર્ષ સુધીની નાગરિકત્વ આપવાની જોગવાઈ રહેશે. એક અંદાજ મુજબ લગભગ 5 લાખ લોકો ભારતીય મૂળના છે.
I am Gujarat joe biden good news for indians living in us propose citizenship path for immigrants
જો બાઈડેન અમેરિકામાં રહેતા 5 લાખ ભારતીયોને પહેલા દિવસે આપશે ખુશખબરી


આ ઇમિગ્રેશન બિલ આઉટગોઇંગ ટ્રમ્પ વહીવટની કડક ઇમિગ્રેશન નીતિઓ વિરુદ્ધ હશે. બિલ અંગેની માહિતી ધરાવતા એક અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે બુધવારે બાઈડેનનાં શપથ લીધા બાદ આ ખરડો રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાદ તરીકે બાઈડેને ઇમિગ્રેશન અંગેના ટ્રમ્પના પગલાને અમેરિકન મૂલ્યો પર 'કઠોર હુમલો' ગણાવ્યો હતો.

બાઈડેને કહ્યું હતું કે તે "નુકસાનાની ભરપાઈ કરશે". આ બિલ હેઠળ કોઈપણ કાયદાકીય દરજ્જા વિના યુ.એસ. માં રહેતા લોકોની પૃષ્ઠભૂમિની તપાસ 1 જાન્યુઆરી, 2021 સુધી કરવામાં આવશે અને જો તેઓ ટેક્સ પૂરો કરે છે અને અન્ય મૂળભૂત આવશ્યકતાઓને પૂર્ણ કરે છે, તો તેમના માટે અસ્થાયી કાનૂની દરજ્જો પાંચ વર્ષ માટે પાસ થશે અથવા તેમને ગ્રીન કાર્ડ મળશે. આ પછી તેઓ વધુ ત્રણ વર્ષ માટે નાગરિકત્વ મેળવી શકે છે.

Read Next Story