એપશહેર

ઉરી હુમલા પર અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું, આતંકવાદી સામે કડક કાર્યવાહી કરો

I am Gujarat 20 Sep 2016, 7:31 pm
ન્યૂ યોર્કઃ જમ્મુ કાશ્મીરના ઉરી જિલ્લામાં આર્મી હેડ ક્વાર્ટર પર થયેલા આતંકવાદી હુમલા પર અમેરિકાએ પાકિસ્તાનને સખત શબ્દોમાં કહ્યું છે. અમેરિકાના વિદેશ પ્રધાન જોન કેરીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથેની બેઠકમાં ઉરી હુમલાનો મુદ્દો ઉઠાવી આતંકવાદીઓ પર લગામ કસવા કહ્યું છે. કેરીએ શરીફને કહ્યું છે કે, પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું બંધ કરે. જોન કેરીએ ખાસ કરીને ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા આમ કહ્યું છે.
I am Gujarat john kerry asks nawaz sharif to take steps to deal with terror groups
ઉરી હુમલા પર અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું, આતંકવાદી સામે કડક કાર્યવાહી કરો


જોન કેરી અને નવાઝ શરીફની આ મુલાકાત યુએન જનરલ એસેમ્બલીના 71મા સેશન દરમિયાન થઈ છે. બેઠકમાં શરીફે ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘન અને હત્યાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. શરીફે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે અમેરિકાની મદદ માગી છે. તેમણે કહ્યું છે કે, અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દા ઉકેલવામાં ભૂમિકા ભજવે.

મુલાકાત બાદ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સ્પોકપર્સન માર્ક ટોનરે કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદીઓ સાથે સખતાઈ રાખે તેમ અમેરિકા ઇચ્છે છે. અમને લાગે છે કે, અમે આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં પાકિસ્તાન સાથે કામ કરતા રહીશું.’ બાદમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું હતું કે, ‘વિદેશપ્રધાન જોન કેરીએ પાકિસ્તાને ભારપૂર્વક કહ્યું છે કે, તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પોતાની ધરતીનો ઉપયોગ ન થવા દે.’

તેમણે વધુમાં કહ્યું છે કે, ‘શરીફ અને કેરીએ કાશ્મીરમાં હિંસા અંગે ચિતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ઉરીમાં સૈન્ય કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલા માટે. બંને પક્ષે તણાવ ઓછો કરવાની જરૂર છે.’ આ સિવાય જોન કેરીએ પરમાણુ હથિયાર કાર્યક્રમ પર પણ લગામ લગાવવાની જરૂરિયાત જણાવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો