લંડન: બ્રિટનની રાજધાની લંડનની એક મોટી હોસ્પિટલના સ્ટાફને નવેમ્બર સુધીમાં કોરોનાની રસીની પહેલી બેન્ચ માટે તૈયાર રહેવાની સૂચના આપી દેવાઈ છે. ધ સનના રિપોર્ટ અનુસાર, ઓક્સફોર્ડ યુનિ. અને એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી રસીનો શોટ નવેમ્બર સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે.
ધ સને એવો દાવો પણ કર્યો છે કે આ હોસ્પિટલને જણાવી દેવાયું છે કે તે 2 ઓક્ટોબર સુધીમાં આ અંગેની તૈયારી કરી લે. દુનિયાભરમાં કોરોનાથી અત્યારસુધીમાં 11 લાખથી વધુ લોકોના મોત થયા છે, ત્યારે ઓક્સફોર્ડની આ રસી વાયરસ સામે લડવામાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
AZD1222 અથવા ChAdOx1 nCoV-19 તરીકે ઓળખાતી આ વેક્સિનને ઓક્સફોર્ડ યુનિ.ના વૈજ્ઞાનિકોએ એસ્ટ્રાઝેનેકા નામની ફાર્મા કંપની સાથે મળીને એપ્રિલમાં બનાવવાનું શરુ કર્યું હતું. આ બ્રિટિશ કંપનીએ દુનિયાના અલગ-અલગ દેશોમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટે પણ જે-તે દેશની કંપનીઓ સાથે ડીલ કરી છે.
ભારતમાં પુણે સ્થિત કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ તેનું પ્રોડક્શન કરી રહી છે, અને હાલ ભારતમાં આ રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં રશિયાએ કોરોનાની રસી બનાવી લીધી હોવાનો દાવો કર્યો છે. તે સિવાય જો કોઈ રસી સૌથી એડવાન્સ તબક્કામાં હોય તો તે ઓક્સફોર્ડની રસી છે.
આ વેક્સિન એક વર્ષ સુધી કોરોના સામે રક્ષણ આપી શકે છે તેમ તેના સીઈઓ પાસ્કલ સોરિઓટે જૂન મહિનામાં જણાવ્યું હતું.
ફાઈનાન્શિયલ ટાઈમ્સમાં સોમવારે પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર, આ રસીના શરુઆતના પરિણામોમાં તે વૃદ્ધો પર પણ કારગત નીવડી છે. જોકે, તેમાં સાથે એ પણ જણાવાયું હતું કે પોઝિટિવ ઈમ્યુનોજેનિસિટી ટેસ્ટ વૃદ્ધોમાં આ રસી કોરોના સામેની રોગપ્રતિકારક શક્તિ સર્જવા સક્ષમ છે તેની સો ટકા ગેરંટી નથી આપતા.
ભારતમાં પણ શરુ થઈ તૈયારીઓ
કોરોનાની વેક્સીન ભલે હજુ સુધી આવી નથી, પરંતુ ભારત સરકારે અત્યારથી વેક્સીનેશનની તૈયારી શરૂ કરી દીધી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, સરકારે સમગ્ર દેશમાં વેક્સીનેશન માટે લગભગ 51000 કરોડનું ફંડ અલગ રાખ્યું છે. પીએમ મોદી એડમિનિસ્ટ્રેશનનું માનવું છે કે, એક વ્યક્તિને વેક્સીન આપવાનો ખર્ચ લગભગ 450થી 550 રૂપિયા આવી શકે છે. એવામાં દેશની 130 કરોડની વસ્તી માટે વેક્સીનેશન પ્રોગ્રામ ઘણો મોંઘો થવાનો છે.
સરકાર કહી ચૂકી છે કે, એક વ્યક્તિને બે ઈન્જેક્શન આપવાના થશે અને એક ઈન્જેક્શનનો ખર્ચ લગભગ 150 રૂપિયા થશે. બીજા 150થી 250 રૂપિયા સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટે અલગ રખાયા છે. પીએમ મોદીએ તાજેતરમાં પોતાના રાષ્ટને નામ સંદેશમાં કહ્યું હતું કે, દરેક ભારતીય સુધી કોરોના વેક્સીન પહોંચે તે માટે ભારત પ્રયાસ કરી રહ્યું છે. સરકારે તાજેતરમાં કોલ્ડ સ્ટોરેજ ચેઈન ઊભી કરવા મોટાભાયે અભિયાન ચલાવ્યું છે, જેથી દેશભરમાં ઝડપથી વેક્સીન પહોંચાડી શકાય.
ધ સને એવો દાવો પણ કર્યો છે કે આ હોસ્પિટલને જણાવી દેવાયું છે કે તે 2 ઓક્ટોબર સુધીમાં આ અંગેની તૈયારી કરી લે. દુનિયાભરમાં કોરોનાથી અત્યારસુધીમાં 11 લાખથી વધુ લોકોના મોત થયા છે, ત્યારે ઓક્સફોર્ડની આ રસી વાયરસ સામે લડવામાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
AZD1222 અથવા ChAdOx1 nCoV-19 તરીકે ઓળખાતી આ વેક્સિનને ઓક્સફોર્ડ યુનિ.ના વૈજ્ઞાનિકોએ એસ્ટ્રાઝેનેકા નામની ફાર્મા કંપની સાથે મળીને એપ્રિલમાં બનાવવાનું શરુ કર્યું હતું. આ બ્રિટિશ કંપનીએ દુનિયાના અલગ-અલગ દેશોમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટે પણ જે-તે દેશની કંપનીઓ સાથે ડીલ કરી છે.
ભારતમાં પુણે સ્થિત કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ તેનું પ્રોડક્શન કરી રહી છે, અને હાલ ભારતમાં આ રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં રશિયાએ કોરોનાની રસી બનાવી લીધી હોવાનો દાવો કર્યો છે. તે સિવાય જો કોઈ રસી સૌથી એડવાન્સ તબક્કામાં હોય તો તે ઓક્સફોર્ડની રસી છે.
આ વેક્સિન એક વર્ષ સુધી કોરોના સામે રક્ષણ આપી શકે છે તેમ તેના સીઈઓ પાસ્કલ સોરિઓટે જૂન મહિનામાં જણાવ્યું હતું.
ફાઈનાન્શિયલ ટાઈમ્સમાં સોમવારે પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર, આ રસીના શરુઆતના પરિણામોમાં તે વૃદ્ધો પર પણ કારગત નીવડી છે. જોકે, તેમાં સાથે એ પણ જણાવાયું હતું કે પોઝિટિવ ઈમ્યુનોજેનિસિટી ટેસ્ટ વૃદ્ધોમાં આ રસી કોરોના સામેની રોગપ્રતિકારક શક્તિ સર્જવા સક્ષમ છે તેની સો ટકા ગેરંટી નથી આપતા.
ભારતમાં પણ શરુ થઈ તૈયારીઓ
કોરોનાની વેક્સીન ભલે હજુ સુધી આવી નથી, પરંતુ ભારત સરકારે અત્યારથી વેક્સીનેશનની તૈયારી શરૂ કરી દીધી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, સરકારે સમગ્ર દેશમાં વેક્સીનેશન માટે લગભગ 51000 કરોડનું ફંડ અલગ રાખ્યું છે. પીએમ મોદી એડમિનિસ્ટ્રેશનનું માનવું છે કે, એક વ્યક્તિને વેક્સીન આપવાનો ખર્ચ લગભગ 450થી 550 રૂપિયા આવી શકે છે. એવામાં દેશની 130 કરોડની વસ્તી માટે વેક્સીનેશન પ્રોગ્રામ ઘણો મોંઘો થવાનો છે.
સરકાર કહી ચૂકી છે કે, એક વ્યક્તિને બે ઈન્જેક્શન આપવાના થશે અને એક ઈન્જેક્શનનો ખર્ચ લગભગ 150 રૂપિયા થશે. બીજા 150થી 250 રૂપિયા સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટે અલગ રખાયા છે. પીએમ મોદીએ તાજેતરમાં પોતાના રાષ્ટને નામ સંદેશમાં કહ્યું હતું કે, દરેક ભારતીય સુધી કોરોના વેક્સીન પહોંચે તે માટે ભારત પ્રયાસ કરી રહ્યું છે. સરકારે તાજેતરમાં કોલ્ડ સ્ટોરેજ ચેઈન ઊભી કરવા મોટાભાયે અભિયાન ચલાવ્યું છે, જેથી દેશભરમાં ઝડપથી વેક્સીન પહોંચાડી શકાય.