એપશહેર

અરુણાચલ સરહદ પર ચીને વસાવ્યું ગામ! MEAએ કહ્યું, 'દરેક સ્થિતિ પર અમારી ચાંપતી નજર'

વિદેશ મંત્રાલયે ચીન દ્વારા સરહદે કરાયેલા બાંધકામના રિપોર્ટસ પર કહ્યું કે, સરકાર તેના પર ચાંપતી નજર રાખી રહી છે.

Agencies 18 Jan 2021, 10:31 pm
નવી દિલ્હી: ભારતના પાડોશી દેશ ચીન પોતાની હરકતો બંધ નથી કરી રહ્યું. એવા રિપોર્ટસ સામે આવી રહ્યા હતા કે, ચીન ભારતની સરહદ નજીક કોઈ નિર્માણ કામ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલય (MEA)એ સોમવારે કહ્યું કે, તેણે ભારતની સાથે સરહદી વિસ્તારોમાં ચીનના નિર્માણ કામને લઈને તાજેતરના રિપોર્ટ જોયા છે અને સરકાર તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
I am Gujarat China


ચીન વર્ષોથી સરહદ પર આ પ્રકારના નિર્માણ કામ કરી રહ્યું છે. ભારત પણ સરહદી વિસ્તારોમાં પોતાની સ્થિતિને મજબૂત કરી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે, આપણે પણ સરહદી વિસ્તારોમાં રસ્તાઓ તેમજ પુલોનું નિર્માણ કરી રહ્યા છીએ. અમે આ વિસ્તારમાં રહેતા લોકોના જીવનને સુગમ બનાવી રહ્યા છીએ. બધો વિકાસ ભારતની સુરક્ષા પર અસર કરે છે અને તેની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની સુરક્ષા માટે બધા જરૂરી ઉપાય કરે છે.

હકીકતમાં, મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ચીને અરુણાચલ પ્રદેશમાં એક નવું ગામ વસાવ્યું છે, જેમાં લગભગ 101 ઘર છે. આ મામલાનો ખુલાસો સેટેલાઈટ તસવીરોથી થયો છે. બે અલગ-અલગ સેટેલાઈટ તસવીરો હતી, જેમાં સ્પષ્ટ નજર આવી રહ્યું હતું કે, પહેલી તસવીરમાં વિસ્તારમાં કોઈપણ નિર્માણ કામ ન હતું, જ્યારે તાજેતરની તસવીરમાં બાંધકામ નજર આવી રહ્યું છે.

બીજી તરફ જાણકારી મળવા પર વિદેશ મંત્રાલયે આ ઘટનાક્રમને નકાર્યો નથી અને સ્પષ્ટતા આપતા કહ્યું કે, ભારતની સુરક્ષા પર અસર કરતા બધા ઘટનાક્રમો પર સરકાર સતત નજર રાખી રહી છે. મંત્રાલયે કહ્યું કે, પોતાની સંપ્રભુતા તેમજ ક્ષેત્રીય અખંડતાની સુરક્ષા માટે આપણી સેના હંમેશા તૈયાર રહે છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓક્ટોબરમાં ચીનના વિદેશ મંત્રાલયે પણ કહ્યું હતું કે, 'થોડા સમયથી ભારતીય પક્ષ સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈન્ય ગતિવિધીઓ વધારી રહ્યું છે, અને બંને પક્ષો વચ્ચે તણાવનું એ જ કારણ છે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો