એપશહેર

Nepal Plane Crash: દુર્ઘટનામાં કોઈ જીવિત ના બચ્યું! મૃતકોમાં 5 ભારતીય પણ સામેલ

Nepal Plane Crash: નેપાળ વિમાન દુર્ઘટનામાં તમામ મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. નેપાળના અધિકારીઓએ કહ્યું છે કે અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળી આવ્યા છે. ચારેયના મૃતદેહને શોધવાની કામગીરી ચાલી રહી છે. યતી એરલાઇન્સના વિમાનમાં કુલ 72 મુસાફરો અને ક્રૂ સવાર હતા. આ પ્લેન પોખરા એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું.

Edited byદીપક ભાટી | I am Gujarat 15 Jan 2023, 7:52 pm

હાઈલાઈટ્સ:

  • નેપાળ વિમાન દુર્ઘટનામાં તમામ મુસાફરો માર્યા ગયા
  • ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળ્યા છે
  • 72 મુસાફરોની સાથે 5 ભારતીયો પણ સવાર હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Nepal Plane Crash
નેપાળ પ્લેન ક્રેશની તસવીર
કાઠમંડુ: નેપાળના પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે રવિવારે પાંચ ભારતીયો સહિત 72 લોકોને લઈ જતું નેપાળનું પેસેન્જર વિમાન નદીની ખીણમાં ક્રેશ થયું હતું. એક બચાવ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા છે. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) અનુસાર, યતિ એરલાઇન્સ 9N-ANC ATR-72 વિમાને કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10:33 વાગ્યે ઉડાન ભરી હતી. પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું.
5 ભારતીય મુસાફરો પણ હતા સવાર
CAANના સર્ચ એન્ડ રેસ્ક્યુ કોઓર્ડિનેટિંગ કમિટીના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ક્રેશ સ્થળ પરથી 68 મૃતદેહો મળી આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે મૃતદેહોની ઓળખ હજુ બાકી છે. તેમણે એમ પણ કહ્યું કે વધુ ચાર મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. વિમાનમાં પાંચ ભારતીયો ઉપરાંત ચાર રશિયન, બે કોરિયન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, આર્જેન્ટિના, ઈઝરાયેલના એક-એક નાગરિક હતા.

પ્લેન ક્રેશમાં કોઈ જીવતું બચ્યું નથી
યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ બચી ગયા હોવાની કોઈ માહિતી નથી. પોખરામાં હવામાન એકદમ સારું હતું અને વિમાનનું એન્જિન પણ સારી સ્થિતિમાં હતું. તેમણે કહ્યું કે, એરોપ્લેનનું શું થયું તે અમને ખબર નથી. બીજી તરફ વડાપ્રધાન પુષ્પ કમલ દહલે વિમાન દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે સમિતિની જાહેરાત કરી છે.

ચીનની લોનથી બનાવવામાં આવ્યું હતું પોખરા એરપોર્ટજો કે, કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે લેન્ડિંગ વખતે પ્લેન ખૂબ જ આગળ વધી ગયું હતું, જેના કારણે અકસ્માતની આશંકા છે. આ એક નવું એરપોર્ટ છે જે ચીનની લોન હેઠળ બનાવવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન માત્ર બે અઠવાડિયા પહેલા કરવામાં આવ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ ભારતીયોની ઓળખ અભિષેક કુશવાહા, વિશાલ શર્મા, અનિલ કુમાર રાજભર, સોનુ જયસ્વાલ અને સંજય જયસ્વાલ તરીકે થઈ છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story