એપશહેર

WHOએ વ્યક્ત કરી ચિંતાઃ ઓમિક્રોનથી વધી શકે છે મૃત્યુઆંક અને હોસ્પિટલાઈઝેશન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે ઓમિક્રોનના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંક વધી શકે છે

I am Gujarat 14 Dec 2021, 6:16 pm

હાઈલાઈટ્સ:

  • હાલમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સમગ્ર વિશ્વ ચિંતામાં મૂકાઈ ગયું છે
  • WHO ચિંતા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી હોસ્પિટલાઈઝેશન અને મૃત્યુઆંક વધી શકે છે
  • ડબલ્યુએચઓ એ ગત સપ્તાહે કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ફિચર્સ પર પ્રકાશ પાડ્યો હતો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat omicron5
હાલમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સમગ્ર વિશ્વ ચિંતામાં મૂકાઈ ગયું છે. તેવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) ચિંતા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી હોસ્પિટલાઈઝેશન અને મૃત્યુઆંક વધી શકે છે.
ડબલ્યુએચઓ એ જણાવ્યું હતું કે, વિશ્વમાં ઓમિક્રોનના કેસની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે અમને લાગી રહ્યું છે કે હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓ તથા મૃત્યુઆંક પણ વધી શકે છે.
75ને બદલે 0.75 Ethereum લખાઈ ગયું અને લાગી ગયો રૂ. 2.25 કરોડનો ચૂનોસ્પુતનિકના અહેવાલ પ્રમાણે યુએન હેલ્થ એજન્સીએ એમ પણ કહ્યું હતું કે ઓમિક્રોનથી સંક્રમિત લોકોની ક્લિનિકલ પરિસ્થિતિને સંપૂર્ણ રીતે સમજવા માટે વધુ માહિતીની જરૂર છે અને એજન્સી તમામ દેશોને WHO કોવિડ-19 ક્લિનિકલ ડેટા પ્લેટફોર્મ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીના ડેટા એકઠા કરીને શેર કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

ડબલ્યુએચઓ એ ગત સપ્તાહે કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ફિચર્સ પર પ્રકાશ પાડ્યો હતો જેમાં નવા સ્ટ્રેઈનમાં કેટલા મ્યુટેશન છે અને તે કેટલો ઝડપથી ફેલાઈ શકે છે. ડબલ્યુએચઓ એ સૂચન કર્યું હતું કે નવા વેરિયન્ટથી રોગચાળા પર અસર થઈ શકે છે પરંતુ હજી કંઈ ખાતરીપૂર્વક કહેવું ઉતાવળીયું ગણાશે.
ઓમિક્રોનની ઝડપ વધી દિલ્હી-રાજસ્થાનમાં એક સાથે 4-4 કેસ, દેશનો ટોટલ આંકડો 49 પહોંચ્યોનોંધનીય છે કે ઓમિક્રોન વેરિયન્ટનો સૌ પ્રથમ કેસ સાઉથ આફ્રિકામાં સામે આવ્યો હતો. ત્યારબાદ તે ધીમે ધીમે અન્ય દેશોમાં પણ ફેલાઈ ગયો છે. જેના કારણે વિશ્વના તમામ દેશો સતર્ક બની ગયા છે. ભારતમાં ઓમિક્રોનની વાત કરવામાં આવે તો દિલ્હીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ મળી આવ્યા છે. દિલ્હીમાં ઓમિક્રોનના કુલ 6 કેસ છે. તેમજ રાજસ્થાનમાંથી પણ ચાર કોવિડ દર્દીઓને ઓમિક્રોનથી ચેપ લાગ્યો હોવાના અહેવાલો છે. એટલે કે ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા 49 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 20 કેસ મળી આવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો