એપશહેર

પાકિસ્તાનમાં 'જન્માષ્ટમી'ની ઉજવણી પર કટ્ટરપંથીઓએ કર્યો હુમલો, મૂર્તિ ખંડિત કરી લોકોને માર માર્યો

જન્માષ્ટમીની પૂજા કરી રહેલા લઘુમતી હિન્દુઓ પર કટ્ટરપંથીઓએ હુમલો કરી મંદિરેથી ભગાડ્યા, બાદમાં મંદિરમાં તોડફોડ કરી મૂર્તિ ખંડિત કરી

I am Gujarat 30 Aug 2021, 7:16 pm

હાઈલાઈટ્સ:

  • પાકિસ્તાનનું સિંધ આ માટે બદનામ છે, અહીં વસતાં લઘુમતી સમુદાયો પર કટ્ટરપંથી અત્યાચારો ગુજારતા આવ્યા છે
  • સિંધમાં વસતા હિન્દુ, ઇસાઇ અને અન્ય લઘુમતી સમુદાયની કિશોરીઓ, યુવતીઓનું અપહરણ, ધર્મપરિવર્તન પણ મોટા પ્રમાણમાં થાય છે
  • એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં દર વર્ષે 1000 હિન્દુ, ઇસાઇ યુવતીઓનું ધર્મપરિવર્તન કરાવી અપહરણકર્તા સાથે નિકાહ કરાવી દેવામાં આવે છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 5
ઇસ્લામાબાદઃ કટ્ટરપંથી દેશ પાકિસ્તાનમાં હિન્દુઓને અને એમના ધાર્મિક સ્થળો પર થઇ રહલા હુમલામાં સતત વધારો થઇ રહ્યો છે. હવે લઘુમતી સમુદાયની યુવતીઓના ધર્મ પરિવર્તન માટે બદનામ સિંધ પ્રદેશમાં જન્માષ્ટમીની પૂજા કરી રહેલા લઘુમતી હિન્દુઓ પર કટ્ટરપંથીઓએ હુમલો કર્યો છે. તેમણે પૂજા કરી રહેલા લોકોને માર માર્યો અને મૂર્તિ પણ ખંડિત કરી દીધી છે. આ ઘટનાની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સમગ્ર ઘટનાને પાકિસ્તાનના એક્ટિવિસ્ટે દુનિયા સામે ઉજાગર કરી છે.
તાલિબાની નેતાનો ઈન્ટરવ્યુ કરનારી મહિલા એન્કરને છોડવો પડ્યો દેશ, કહી મોટી વાત
કટ્ટરપંથીઓની કરતૂત પર એનજીઓ ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન ધ રાઇઝ ન્યૂઝની એડિટર અને પત્રકાર વીંગાસે ટ્વીટ કરી હતી કે સિંધના ખિપ્રોમાં જન્માષ્ટમી પર કેટલાક લોકોએ તોડફોડ કરી, શું એમને સજા મળશે? પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓ અને મંદિરો પર હુમલા થતાં રહે છે. આ પહેલા જુલાઇમાં પંજાબમાં સ્થિત ગણેશજીના મંદિરમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરી હતી.
શું તાલિબાનના ડરથી હિન્દુઓએ છોડ્યુ હતું અફઘાન? સિંધુ સભ્યતામાં લાખો હિન્દુ-સિખ વસ્યા હતાં, આજે 'લઘુમતી' છે
પાકિસ્તાનના સિંધમાં લઘુમતી હિન્દુઓ સહિત બૌદ્ધ, જૈન, સિખ, ઇસાઇ લોકો પર પણ હુમલાનું પ્રમાણ વધુ છે. અહીંના લઘુમતી સમુદાયની છોકરીઓનું અપહરણ કરી બળજબરીથી ધર્મપરવર્તન કરવા અને નિકાહ કરાવી દેવાના લાખો કિસ્સા સામે આવી ચૂક્યા છે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધુ ઇસાઇ અને હિન્દુ મહિલાઓ, કિશોરીઓ અને યુવતીઓનું અપહરણ કરી ધર્મપરિવર્તન કરી દેવામાં આવે છે. જેમાં મોટાભાગની છોકરીઓની ઉંમર 12થી 25 વર્ષની હોય છે.
તાલિબાન સામે કેમ ટકી ન શકી અફઘાન સેના? કમાન્ડરે પહેલી વખત ખોલ્યું રહસ્ય
અહીંના માનવાધિકાર સંસ્થાના રિપોર્ટ મુજબ, દર વર્ષે હજારો પાકિસ્તાની લઘુમતી સમૂદાયની યુવતી-કિશોરીઓનું અપહરણ કરી ધર્મપરિવર્તન કરાવીને અપહરણ કર્તા સાથે નિકાહ કરાવી દેવામાં આવે છે. આ કેસમાં પ્રશાસન પણ બેદકારી દાખવતું હોવાને લીધે પીડિત પરિવારને ન્યાય નથી મળતો.

Read Next Story