એપશહેર

ઈમરાન ખાને પીએમ મોદીના પત્રનો આપ્યો જવાબ, શાંતિની વાત સાથે કાશ્મીર રાગ પણ આલાપ્યો

પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે પ્રસંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પત્ર લખીને શુભેચ્છા પાઠવી હતી. ઈમરાન ખાને પણ તેનો જવાબ પત્ર લખીને આપ્યો છે.

I am Gujarat 30 Mar 2021, 10:45 pm

હાઈલાઈટ્સ:

  • ઈમરાન ખાને પીએમ મોદીને લખેલા પત્રમાં શાંતિ સ્થાપવાની વાત કરી અને સાથે કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો.
  • ઈમરાન ખાને કોરોના સામે જંગ માટે ભારતના લોકોને શુભેચ્છા પણ આપી.
  • ઈમરાન ખાને કહ્યું કે, સકારાત્મક અને સમાધાન લાયક વાતચીત માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું જરૂરી છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Imran Khan and PM Modi
ઈસ્લામાબાદ: પાકિસ્તાન નેશનલ ડે પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પત્ર લખી શુભેચ્છા પાઠવી હતી. તેનો હવે ઈમરાન ખાને જવાબ આપ્યો છે. એક પત્ર લખીને ઈમરાને ખાને ભારત સહિત બધા દેશો સાથે શાંતિ સ્થાપવાની વાત કરી છે અને સાથે જ કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તે ઉપરાંત ઈમરાન ખાને કોરોના સામે જંગ માટે ભારતના લોકોને શુભકામના આપી છે.
ઈમરાન ખાને પત્રમાં લખ્યું છે કે, 'પાકિસ્તાન દિવસ પર અભિનંદન માટે તમારો આભાર. પાકિસ્તાનના લોકો આ દિવસ રાષ્ટ્ર-નિર્માતાઓની દીર્ઘદ્રષ્ટિ અને વિવેકને શ્રદ્ધાંજલિ આપી ઉજવે છે, જેમણે એક સ્વતંત્ર અન્ સંપ્રભુ દેશનું સપનું જોયું હતું, જ્યાં તેઓ આઝાદીમાં રહીને પોતાની પૂરી ક્ષમતાને સમજતા હતા. પાકિસ્તાનના લોકો ભારત સહિત બધા પાડોશી દેશો સાથે શાંતિ અને સહકાર ઈચ્છે છે.'

તેમણે પત્રમાં લખ્યું છે કે, 'અમને વિશ્વાસ છે કે, દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ભારત અને પાકિસ્તાન બધા મુદ્દાને ઉકેલી લેશે, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર વિવાદ. સકારાત્મક અને સમાધાન લાયક વાતચીત માટે અનુકૂળ વાતાવરણ ઊભું થવું જરૂરી છે.'

ઈમરાને લખ્યું કે, 'હું આ પ્રસંગે ભારતના લોકોને કોવિડ-19 સામેની લડાઈ માટે શુભકામના આપવા ઈચ્છું છું.'

આ પહેલા પીએમ મોદીએ શુભકામનાઓ આપવાની સાથે આતંકવાદ મુદ્દે સલાહ પણ આપી હતી. તેમાં તેમણે શુભેચ્છા આપતા કહ્યું હતું કે, ભારત પાકિસ્તાન સાથે સદ્ભાવપૂર્ણ સંબંધની ઈચ્છા રાખે છે. તેના માટે પરસ્પર વિશ્વાસ અને આતંકવાદનો અંત થવો જરૂરી છે. આ પહેલા ઈમરાન ખાને કોરોના થયા બાદ પીએમ મોદીએ તેમના ખબરઅંતર પૂછ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો