એપશહેર

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને હિંદુઓને આપી દિવાળીની શુભકામના

પરંપરાગત ઉત્સાહથી તેમના ઘર અને મંદિરોનું સુશોભન અને સજાવટ કરીને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે હિંદુઓ

I am Gujarat 14 Nov 2020, 3:52 pm
ઈસ્લામાબાદઃ શનિવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દિવાળીના તહેવાર પર દેશના લઘુમતી હિંદુ સમુદાયને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટર પર લખેલા સંદેશમાં તેમની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. ઈમરાન ખાને લખ્યું કે, 'આપણા દરેક હિંદુ નાગરિકોને દિવાળીની શુભકામના.' આખા પાકિસ્તાનમાં હિંદુ સમુદાયના લોકો આનંદ અને પરંપરાગત ઉત્સાહથી તેમના ઘર અને મંદિરોનું સુશોભન અને સજાવટ કરીને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.
I am Gujarat pakistan prime minister imran khan congratulated hindus on diwali
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને હિંદુઓને આપી દિવાળીની શુભકામના


પાકિસ્તાનના અન્ય શહેરોમાં પણ ઉજવણી
જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે મંદિરોમાં વિશેષ પૂજા થશે અને લોકોમાં મીઠાઇનું વિતરણ કરવામાં આવશે. હિંદુ સમુદાયના લોકો રાત્રે દિવા પ્રગટાવશે અને ફટાકડા ફોડીને ઉત્સવની ઉજવણી કરશે. અહેવાલો અનુસાર કરાચી, લાહોર અને મટિયારી, તાંડો અલ્લાહયાર, ટાંડો મુહમદ ખાન, જમશોરો બાદિન, સંઘાર, હાલા, ટાંડા આદમ અને શહાદપુર ઉપરાંત અન્ય શહેરોમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે.

ઈશનિંદાના નામે અત્યાચાર
પાકિસ્તાનમાં હિંદુ સમુદાય સૌથી મોટો લઘુમતી સમુદાય છે અને સત્તાવાર અંદાજ મુજબ દેશમાં લગભગ 75 લાખ હિંદુઓ છે. જોકે, સમુદાય દેશમાં 90 લાખ હિંદુઓ હોવાની વાત કરે છે. પાકિસ્તાનમાં હિંદુ સમુદાય સાથે ઈશનિંદાના નામ પર અત્યાચારના અહેવાલો અવારનવાર સામે આવે છે. હિંદુ સમુદાય ઇસ્લામાબાદમાં એક મંદિર બનાવવા માંગે છે પરંતુ કટ્ટરપંથી બનાવવા દેતા નથી.

Read Next Story