ઈસ્લામાબાદ: આતંકવાદના ખાત્મા અંગે પાકિસ્તાનના કેવા તે વડાપ્રધાન ઈમરાન ખાનના દેશની સંસદમાં આપેલા નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યું છે. દુનિયાભરમાં ખતરનાક આતંકવાદી હુમલાઓને અંજામ આપનારા અલ-કાયદાના ચીફ ઓસામા બિન લાદેનને ખાને ‘શહીદ’ ઠેરવ્યો છે. ઈમરાન ખાને એવા સમયે નિવેદન આપ્યું છે જ્યારે પહેલેથી જ ઈન્ટરનેશનલ લેવલે તેના પર આતંકવાદ વિરુદ્ધ કોઈ પગલાં ન ભરવા અને આતંકવાદી સંગઠનોને આશ્રય આપવાના આરોપ લાગી રહ્યા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો‘ઈસ્લામાબાદને જણાવ્યા વિના ઓસામાને કર્યો શહીદ’ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન અલ-કાયદાના ચીફ અને ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને સંસદમાં ‘શહીદ’ ગણાવ્યો છે. એટલું જ નહીં ખાને એમ પણ કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધના જંગમાં અમેરિકાનો સાથ આપવો જોઈતો નહોતો. અમેરિકા પર વરસતા ખાને કહ્યું કે, અમેરિકન ફોર્સિસે પાકિસ્તાનમાં ઘૂસીને લાદેનને ‘શહીદ’ કરી દીધો અને પાકિસ્તાનને જણાવ્યું પણ નહીં અને ત્યારબાદ આખી દુનિયા પાકિસ્તાનની જ બેઈજ્જતી કરવા લાગી.પાકિસ્તાનીઓએ સહન કરવું પડ્યુંખાને કહ્યું કે, પાકિસ્તાનને અમેરિકાની આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં પોતાના 70 હજાર લોકોને ગુમાવી દીધા. તેમણે કહ્યું કે, જે પાકિસ્તાની દેશની બહાર હતા તેમણે પણ આ ઘટનાને કારણે ખૂબ શરમનો સામનો કરવો પડ્યો. 2010 બાદ પાકિસ્તાનમાં ડ્રોન અટેક થયા અને સરકારની માત્ર નિંદા થઈ. તેમણે કહ્યું કે, જ્યારે અમેરિકાના એડમિર મલનને પૂછવામાં આવ્યું કે, પાકિસ્તાન પર ડ્રોન હુમલા કેમ કરાઈ રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે, સરકારની પરવાનગીથી આ કાર્યવાહી કરાઈ રહી છે. પહેલા પણ દેખાડી ચૂક્યા છે કૂણું વલણઆવું પહેલીવાર નથી જ્યારે ઈમરાન ખાને આવું વિવાદિત નિવેદન આપ્યું છે. ઓસામા અંગે પણ તે નરમ વલણ અપનાવતા દેખાયા છે. તેમણે ઘણીવાર તેને આતંકવાદી માનવાની ના પાડી દીધી છે. તે તાલિબાની લડાકુઓને ‘ભાઈ’ ગણાવી ચૂક્યા છે. પહેલાના સરકારો દરમિયાન તે ડ્રોન હુમલાની આલોચના કરી ચૂક્યા છે અને તેમનું કહેવું હતું કે, જો ડ્રોન હુમલા બંદ થઈ જશે તો તે તાલિબાની ગતિવિધિઓ પણ બંધ થઈ જશે.FATF, અમેરિકાએ આંતકવાદ પર ઘેર્યાખાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ બુધવારે નિર્ણય લીધો કે, પાકિસ્તાનને અત્યારે ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવશે કારણ કે, તે લશ્કરે-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને પહોંચનારા ફન્ડિંગ પર રોક લગાવી શક્યું નથી. બીજી તરફ, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ‘કન્ટ્રી રિપોર્ટ્સ ઑન ટેરરિઝ્મ’માં વર્ષ 2019માં કહેવામાં આવ્યું છે કે, ભારતને ટાર્ગેટ બનાવી રહેલા લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને પાકિસ્તાને પોતાની જમીન પરથી ઑપરેટ કરવા દીધા. પાકિસ્તાનમાં જૈશના સંસ્થાપક મસૂદ અઝહર અને 2008ના મુંબઈ ધડાકાના ‘પ્રૉજેક્ટ મેનેજર’ સાજિદ મીર જેવા ઘણા આતંકવાદીઓ આઝાદ ફરી રહ્યાં છે.