એપશહેર

અભિનંદન અંગે પાકિસ્તાનની પોલ ખોલનારા સાંસદે આપ્યું બીજુ મોટુ નિવેદન

સાંસદ અયાઝ સાદિકે કહ્યું હતું કે ભારત હુમલો કરશે તેવા ડરથી પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કર્યા હતા

I am Gujarat 31 Oct 2020, 9:44 pm
ઈસ્લામાબાદઃ હાલમાં પાકિસ્તાનમાં પુલવામા આતંકી હુમલા અને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારતને સોંપવા અંગે પાકિસ્તાની સાંસદ અયાઝ સાદિકના નિવેદન અંગે હજી પણ વિવાદ ચાલી રહ્યો છે. નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનના નેતા અયાઝ સાદિકે ફરીથી કહ્યું છે કે તેઓ પાકિસ્તાની સંસદમાં આપેલા પોતાના નિવેદન પર હજી પણ અડગ છે. તેમણે તે પણ કહ્યું છે કે તેમની પાસે ઘટસ્ફોટ કરવા જેવી ઘણી વાતો છે પરંતુ ક્યારેય તેમણે બેજવાબદાર નિવેદન આપ્યું નથી.
I am Gujarat pakistani lawmaker ayaz sadiq stands by indian wing commander abhinandan varthamans release statement
અભિનંદન અંગે પાકિસ્તાનની પોલ ખોલનારા સાંસદે આપ્યું બીજુ મોટુ નિવેદન


સાદિકે કહ્યું- મારી પાસે હજી ઘણા રહસ્યો છે

તેમણે કહ્યું હતું કે, મેં રાજકિય મતભેદના કારણે આ નિવેદન આપ્યું હતું. તેને પાકિસ્તાની સેના સાથે જોડવું યોગ્ય નથી. હું મારા નિવેદન પર અડગ છું અને તમે તેને ભવિષ્યમાં જોશો. મેં પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિનું નેતૃત્વ કર્યું છે. અમે રાજકિય લોકો છીએ અને ભૂતકાળમાં રાજકિય વિરોધીઓ વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છીએ. અમે ભવિષ્યમાં પણ આવું કરવાનું જારી રાખીશું, પરંતુ જ્યારે પાકિસ્તાન કે આપણી એકતા કે સંસ્થાઓની વાત આવે છે તો ભારત માટે પાકિસ્તાનનો સંદેશ એકદમ સ્પષ્ટ છે.

અભિનંદનની મુક્તિ પર ખોલી હતી પાકિસ્તાનની પોલ

અયાઝ સાદિકે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કહ્યું હતું કે ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની મુક્તિ પાકિસ્તાને હુમલાના ડરથી કરી હતી. તેમણે તે પણ કહ્યું હતું કે શાહ મહેમૂદ કુરૈશી તે બેઠકમાં હતા જેમાં ઈમરાન ખાને આવવાની ના પાડી દીધી હતી. કુરૈશીના પગ ધ્રૂજી રહ્યા હતા અને તેમને પરસેવો છૂટી ગયો હતો. કુરૈશીએ કહ્યું હતું કે ખુદાના માટે તેને પાછો સોંપી દો કેમ કે રાત્રે 9 વાગ્યે ભારત પાકિસ્તાન પર હુમલો કરી દેશે.

પાકિસ્તાની સેના અને સરકારે કરી સ્પષ્ટતા

પાકિસ્તાન મુસ્લિમ લીગના મોટા નેતા અને નેશનલ એસેમ્બલીના ભૂતપૂર્વ સ્પીકર અયાઝ સાદિકના નિવેદન બાદ પાકિસ્તાની સરકાર અને પાકિસ્તાની સેના સતત સ્પષ્ટતા કરી રહી છે. પાકિસ્તાની સેના તરફથી ઈન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર)ના પ્રમુખ મેજર જનરલ બાબર ઈફ્તિખાર ઘણા નિવેદન જારી કરી ચૂક્યા છે. પાકિસ્તાન સરકારના ઘણા મંત્રીઓએ અયાઝ સાદિક વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.

વિરોધ પક્ષોએ કર્યું અયાઝનું સમર્થન

પાકિસ્તાનના વિરોધ પક્ષોના ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ)ના પ્રમુખ અને જમીયત ઉલેમા-એ-ઈસ્લામના પ્રમુખ મૌલાના ફજલુર રહેમાન પમ અયાઝ સાદિકના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે અયાઝના નિવેદનને રાજકિય રંગ આપવામાં આવી રહ્યો છે. તેનાથી પાકિસ્તાનને કોઈ લાભ થયો નથી. અમારા રાજકિય વિચારો અલગ-અલગ હોઈ શકે છે પરંતુ જ્યાં પાકિસ્તાનનો સંબંધ છે ત્યાં સમગ્ર દેશ એકજૂટ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો