એપશહેર

મોદીથી ડરી ગયુ પાકિસ્તાન: બલુચ કાર્યકર

I am Gujarat 17 Sep 2016, 3:05 pm
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં બલુચ લોકો પર થઇ રહેલા અત્યાચારોનો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો છે ત્યારથી પાકિસ્તાનમાં ભય પેસી ગયો છે. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કમિશનમાં બલોચ રિપ્રેઝેન્ટેટીવ મેહરાન મારીએ સંબંધીત વાત કરી છે.
I am Gujarat paksitan is very scared due to narendra modi says baluch activist
મોદીથી ડરી ગયુ પાકિસ્તાન: બલુચ કાર્યકર


મારીએ જણાવ્યું કે ‘ જ્યારથી મોદીએ બલુચિસ્તાનની વાત કરી છે ત્યારથી પાકિસ્તાની મિલિટરી અને એસ્ટાબ્લિશમેન્ટમાં લખલખુ પસાર થઇ ગયું છે. અને એટલે જ બલુચિસ્તાનના કેટલાય વિસ્તારોમાં મિલિટરી ઓપરેશન્સ તેજ કરી દેવાયા છે.’

ગત સપ્તાહે પાકિસ્તાન દ્વારા બલુચિસ્તાનમાં હાથ ધરાયેલા મિલિટરી ઓપરેશન્સ અંગે વાત કરતા મારીએ આમ જણાવ્યું. નોંધનીય છે કે સ્વતંત્ર દિવસના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો