એપશહેર

ઈરાન-ઈરાક સહરદ પર આવેલા ભૂકંપમાં 325થી વધુનાં મોત, 20 ગામ ભોંયભેગા

Tejas Jinger | Agencies 13 Nov 2017, 2:33 pm
તેહરાન/બગદાદઃ ઈરાન-ઈરાકની સરહદી વિસ્તારમાં આવેતા તીવ્ર ભૂકંપમાં અત્યાર સુધીમાં 207 લોકોના મોત થાય છે. આ કુદરતી આફતમાં 1700 જેટલા લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી મુજબ રવિવારે આવેલા ભૂંકપનું કેન્દ્ર ઈરાનની સીમાથી માત્ર 33.9 કિલોમીટરના અંતરે હતું. ઈરાનના એક અધિકારીએ આ માહિતી આપી છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 7.3 મપાઈ છે. નોંધનીય છે કે, આ રિક્ટર સ્કેલ ભૂંકપ માપવામાં આવે છે. આ ભૂંકપના આંચકા લેકનોનથી કુવૈત સુધી અનુભવાયા હતા, જે બગદાદથી આશરે 200 કિમી દૂર છે. ભૂકંપમાં 20 ગામોને ભારે નુકસાન થયું છે, જેના કારણે હજારો લોકો ઘર વિહોણા બનીને ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે.
ભૂંકપના કારણે 20થી વધુ ગામો નષ્ટ થઈ ગયા છે. વીજળી અને પાણી પહોંચાડવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. પ્રભાવિત થયેલા વિસ્તારોમાં જરુરિયાતની વસ્તુઓ પહોંચડવાની કામગીરી કરાઈ છે. ભૂકંપના કારણે ભૂસ્ખલન બચાવ કાર્યોમાં અડચણ ઉભી થઈ છે. ટ્વિટર પર પોસ્ટ એક ફૂટેજમાં ગભરાયેલા લોકો ઉત્તર ઈરાકમાં સુલેમાનિયા સ્થિત ઈમારતની બહાર નીકળતા દેખાયા હતા.
ઈરાનની સરકારી આઈઆરઆઈબીએ પોતાની વેબસાઈટ પર 129 લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી આપી છે. જ્યારે સત્તાવાર સમાચાર સમિતી ઈરનાનું કહેવું છે કે, 300 લોકો ઘાયલ થયા છે અને આંકડો વધી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો