એપશહેર

કોરોનાનો ડર: સાઉદી અરેબિયાએ ભારતથી આવતી-જતી ફ્લાઈટ્સ પર લગાવ્યો પ્રતિબંધ

સાઉદી અરેબિયાએ કોરોનાના વધતા કેસોને પગલે ભારતથી આવતી-જતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

Agencies 23 Sep 2020, 6:41 pm
દુબઈ, નવી દિલ્હી: સાઉદી અરેબિયાએ કોરોના વાયરસ સંક્રમણના કેસ વધતા ભારતથી આવતી અને ભારત જતી ફ્લાઈટ્સ પર મંગળવારે પ્રતિબંધ મૂકી દીધો છે. એક સત્તાવાર યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે. મંગળવારે કરાયેલા એક આદેશમાં સાઉદી અરેબિયાની સિવિલ એવિએશન ઓથોરિટીએ કહ્યું કે, તે 'નીચે દર્શાવેલા દેશો (ભારત, બ્રાઝીલ અને આર્જેન્ટીના)થી આવતી અને જતી ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરી રહ્યું છે, જેમાં એવા વ્યક્તિ પણ સામેલ છે, જે સાઉદી અરેબિયાથી આવ્યાના 14 દિવસ પહેલા ઉપરોક્ત કોઈપણ દેશમાં ગયા છે.'
I am Gujarat Flights
સાઉદી અરેબિયાએ ભારત ઉપરાંત બ્રાઝિલ અને આર્જેન્ટિના સાથેના વિમાન વ્યવહાર પર પણ પ્રતિબંધ મૂક્યો.


આદેશમાં એવા મુસાફરોને છૂટ આપવામાં આવી છે, 'જેમની પાસે સત્તાવાર સરકારી આમંત્રણ છે.' સાઉદી અરેબિયા અને યુએઈમાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો રહે છે. પાંચ દિવસ પહેલા એર ઈન્ડિયા એક્સપ્રેસે કહ્યું હતું કે, દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટી (ડીસીએએ)એ 28 ઓગસ્ટ અને 4 સપ્ટેમ્બરે બે એવા મુસાફરો લાવવાના કારણે તેની ફ્લાઈટ પર 24 કલાકનો પ્રતિબંધ મૂકી દીધો છે, જેમની પાસે કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ કરતું પ્રમાણપત્ર હતું.

ઉલ્લેખનીય છે કે, ગત મહિને એર ઈન્ડિયાના પેસેન્જર પ્લેનને 18 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે હોંગકોંગમાં લેન્ડિંગ કરતા રોકી દેવાયું હતું. 14 ઓગસ્ટે દિલ્હી-હોંગકોંગ ફ્લાઈટના 14 મુસાફરો કોવિડ-19 સંક્રમિત મળી આવ્યા હતા.

છેલ્લા કેટલાક મહિના દરમિયાન એર ઈન્ડિયા, સ્પાઈસજેટ અને ઈન્ડિગો સહિત મોટાભાગની ભારતીય એરલાઈન્સે સાઉદી અરેબિયાથી ભારત માટે ચાર્ડર ફ્લાઈટ શરૂ કરી છે. હાલમાં, ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે કોઈ એર બબલ કરાર નથી.

કોરોનાથી દુનિયામાં 9.770 લાખ મોત
ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો મંગળવારે 3.15 કરોડને પાર કરી ગયો, જ્યારે 9.70 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મહામારીની ઝપેટમાં આવેલા 2.31 કરોડ લોકો સાજા પણ થાય છે. ભારતની વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના એક દિવસમાં 83,347 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા 56 લાખથી વધુ થઈ ગઈ છે, જેમાંથી 45 લાખથી વધુ લોકો સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે.

યુએઈનો શું નિયમ છે?એક દિવસની રોક બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસનું પ્લેન શનિવારે દુબઈ માટે નીકળ્યું હતું. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સરકારના નિયમો મુજબ, ભારતથી આવનારા દરેક મુસાફરે મુસાફરીના 96 કલાક પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહશે અને તેની પાસે ટેસ્ટમાં સંક્રમણની પુષ્ટિ ન હોવાનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે.

Read Next Story