બર્લિન: વૈજ્ઞાનિકોને રિસર્ચ ક્ષેત્રમાં એક મોટી સફળતા મળી છે. પેરાલિસિસ એટલે કે લકવાની સારવાર શોધી રહેલા વૈજ્ઞાનિકોને ઉંદરો પર સકારાત્મક અસર મેળવવામાં સફળતા મેળવી છે. તેનાથી દુનિયાભરમાં લકવાથી પીડિત લાખો લોકો માટે મોટી આશા ઊભી થઈ છે. જર્મનીની રૂર યુનિવર્સિટી બોકમના રિસર્ચર્સે ઉંદરોના કરોડરજ્જુના ખરાબ થઈ ગયેલા હાડકાંમાં પ્રોટીનની મદદથી ફરીથી નસો તૈયાર કરી છે. આ ઉંદરોના પાછળના પગ કામ કરતા બંધ થઈ ગયા હતા, પરંતુ સારવાર બાદ બે-ત્રણ સપ્તાહમાં તે ચાલવા લાગ્યા.
ટીમે હાઈપર-ઈન્ટરલ્યુકિન-6 બનાવવા માટે મોટર સેન્સરી કોર્ટેક્સના નર્વ સેલ ઈન્ડ્યૂસ કર્યા. એવું કરવા માટે જિનેટિકલી એન્જિનિયરીંગ વાયરસને ઈન્જેક્ટ કરાયા, જેમાં ખાસ નર્વ સેલમાં પ્રોટીન બનાવવાની બ્લૂપ્રિન્ટ હોય છે. રિસર્ચર્સ હવે એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હાઈપર-ઈન્ટરલ્યૂકિન-6ની ઈજા ઘણા સપ્તાહો જૂની હોય તો ઉંદરો પર સકારાત્મક અસર થાય છે કે નહીં. તેની મદદથી જાણી શકાશે કે મનુષ્યો પર ટ્રાયલ માટે તે તૈયાર છે કે નહીં.
કઈ રીતે થાય છે લકવાની અસર?
આ પ્રોટીન કરોડરજ્જુના હાડકાંને નુકસાન પહોંચાડતી ઈજા સામે કામ કરે છે. ઈજાથી એગ્ઝોન ખરાબ થાય છે, જે ચામડી અને માંસપેશીઓથી મગજ સુધી સિગ્નલ પહોંચાડે છે. જ્યારે તે કામ કરવાનું બંધ કરી દે તો સંદેશ પણ બંધ થઈ જાય છે. જો આ ફાઈબર ઈજા પછી સાજા ન થાય તો, દર્દીને લકવો થઈ જાય છે. રિસર્ચર્સે જણાવ્યું કે, આ પ્રોટીન નર્વ સેલ શરૂ કરવા ઉપરાંત મગજ સુધી પણ જાય છે.
કઈ રીતે થાય છે સારવાર?આ વાયરસને જીન થેરેપી માટે પણ તૈયાર કરાયા છે. તેના દ્વારા એવા પ્રોટીન બન્યા જે નર્વ સેલને ગાઈડ કરી શખે, જેન મોટરન્યૂરોન કહેવાય છે. આ સેલ બીજા નર્વ સેલ સાથે જોડાયેલા હોય છે, જે ચાલવા માટે જરૂરી હોય છે. આ પ્રોટીન ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે. ડાયટમેન ફિશરે જણાવ્યું કે, કેટલાક નર્વ સલની જીન થેરેપી દ્વારા સારવારથી મગજના અલગ-અલગ ભાગોમાં નર્વ સેલ અને કરોડરજ્જુના હાડકાંમાં મોટરન્યૂરોનમાં એક્ઝોન રીજનરેટ થાય છે. તેનાથી પહેલા ન ચાલી શકતો જીવ બે-ત્રણ સપ્તાહમાં ચાલવા લાગે છે.
ટીમે હાઈપર-ઈન્ટરલ્યુકિન-6 બનાવવા માટે મોટર સેન્સરી કોર્ટેક્સના નર્વ સેલ ઈન્ડ્યૂસ કર્યા. એવું કરવા માટે જિનેટિકલી એન્જિનિયરીંગ વાયરસને ઈન્જેક્ટ કરાયા, જેમાં ખાસ નર્વ સેલમાં પ્રોટીન બનાવવાની બ્લૂપ્રિન્ટ હોય છે. રિસર્ચર્સ હવે એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હાઈપર-ઈન્ટરલ્યૂકિન-6ની ઈજા ઘણા સપ્તાહો જૂની હોય તો ઉંદરો પર સકારાત્મક અસર થાય છે કે નહીં. તેની મદદથી જાણી શકાશે કે મનુષ્યો પર ટ્રાયલ માટે તે તૈયાર છે કે નહીં.
કઈ રીતે થાય છે લકવાની અસર?
આ પ્રોટીન કરોડરજ્જુના હાડકાંને નુકસાન પહોંચાડતી ઈજા સામે કામ કરે છે. ઈજાથી એગ્ઝોન ખરાબ થાય છે, જે ચામડી અને માંસપેશીઓથી મગજ સુધી સિગ્નલ પહોંચાડે છે. જ્યારે તે કામ કરવાનું બંધ કરી દે તો સંદેશ પણ બંધ થઈ જાય છે. જો આ ફાઈબર ઈજા પછી સાજા ન થાય તો, દર્દીને લકવો થઈ જાય છે. રિસર્ચર્સે જણાવ્યું કે, આ પ્રોટીન નર્વ સેલ શરૂ કરવા ઉપરાંત મગજ સુધી પણ જાય છે.
કઈ રીતે થાય છે સારવાર?આ વાયરસને જીન થેરેપી માટે પણ તૈયાર કરાયા છે. તેના દ્વારા એવા પ્રોટીન બન્યા જે નર્વ સેલને ગાઈડ કરી શખે, જેન મોટરન્યૂરોન કહેવાય છે. આ સેલ બીજા નર્વ સેલ સાથે જોડાયેલા હોય છે, જે ચાલવા માટે જરૂરી હોય છે. આ પ્રોટીન ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે. ડાયટમેન ફિશરે જણાવ્યું કે, કેટલાક નર્વ સલની જીન થેરેપી દ્વારા સારવારથી મગજના અલગ-અલગ ભાગોમાં નર્વ સેલ અને કરોડરજ્જુના હાડકાંમાં મોટરન્યૂરોનમાં એક્ઝોન રીજનરેટ થાય છે. તેનાથી પહેલા ન ચાલી શકતો જીવ બે-ત્રણ સપ્તાહમાં ચાલવા લાગે છે.