એપશહેર

કોરોના માટે મળી અસરકારક દવા, હવે દર્દીઓના જીવ બચાવવામાં મળશે મદદ

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમને એક એવી દવા મળી છે જે જીવલેણ કોરોના વાયરસ સામે કારગર સાબિત થઈ શકે છે

I am Gujarat 15 Aug 2020, 7:51 pm
વોશિંગ્ટનઃ કોરોના વાયરસ સામે લડી રહેલી દુનિયામાં ઘણા દેશો કોરોના વેક્સીન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં કોરોના વેક્સીનની શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમને એક એવી દવા મળી છે જે આ વૈશ્વિક રોગચાળા વિરુદ્ધ કારગર સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે અત્યાધુનિક કોમ્પ્યુટર સિમ્યુલેશનનો ઉપયોગ કરીને આ જાણકારી મળી છે કે એબ્સલેન દવા કોરોના વાયરસને યજમાન કોશિકાઓમાં વધવાથી રોકવામાં સક્ષમ છે.
I am Gujarat scientists identify potential drug candidate against covid 19
કોરોના માટે મળી અસરકારક દવા, હવે દર્દીઓના જીવ બચાવવામાં મળશે મદદ


કોરોનાના પ્રોટીન પર હુમલો કરે છે આ દવા

જર્નલ સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત આ સ્ટડીમાં કોરોના વાયરસના મુખ્ય પ્રોટીન એમ્પ્રોની તપાસ કરવામાં આવી. એમ્પ્રો કોરોના વાયરસના જીવન ચક્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની શોધમાં ખબર પડી છે કે એમ્પ્રો કોરોના વાયરસના જિનેટિક મટિરિયલથી પ્રોટિન બનાવવાની ક્ષમતાને સુવિધાજનક બનાવે છે. જેનાથી કોરોના વાયરસ યજમાન સેલમાં પોતાની પ્રતિકૃતિ નિર્માણ કરે છે.

કોરોના વિરુદ્ધ અસરકારક રીતે કરી રહી છે કામ

વૈજ્ઞાનિકોએ મોડલિંગ જૈવિક અણુઓમાં પોતાના અનુભવનો ઉપયોગ કરીને વાયરસ વિરુદ્ધ સંભવિત ઉપાય તરીકે તેની તપાસ કરી છે. જેમાં જાણવા મળ્યું છે કે એબ્સેલેન નામની દવા એમ્પ્રો વિરુદ્ધ અસરકારક રીતે કામ કરી રહી છે. આ દવામાં એન્ટી વાયરલ, એન્ટી ઈમ્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેટિવ, જીવાણુનાશક અને સેલ-સુરક્ષાત્મક ગુણ હોય છે.

ક્લિનિકલ ટ્રાયલમાં માણસો પર સુરક્ષિત છે આ દવા

સંશોધકોના જણાવ્યા પ્રમાણે એબ્સેલેનનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે. આ દવાને ખાસ કરીને બાયપોલર ડિસઓર્ડર અને સંભળાતુ ન હોય તેના પર પ્રયોગ કરવામાં આવે છે. તેમણે કહ્યું છે કે આ દવાના ઘણા ક્લિનિકલ ટ્રાયલે મનુષ્યોમાં ઉપયોગ માટે તેને સુરક્ષિત સાબિત કરી છે.

હાલમાં આનાથી કરવામાં આવે છે કોરોનાની સારવાર

વર્તમાનમાં ઘણા દેશ કોરોનાની સારવાર માટે રેમેડિસિવિર દવાનો ઉપયોગ કરી રહ્યા છે. આ એક એન્ટી વાયરલ દવા છે જે ઈબોલાની સારવાર માટે બનાવવામાં આવી હતી. પરંતુ તે સમયે તે દવાએ કામ કર્યું ન હતું. હવે આ દવા કોરોનાના દર્દીઓ પર અસરકારક રહી છે. આ દવા કોરોનાના દર્દીઓના મૃત્યુ દરને 30થી 60 ટકા સુધી ઓછો કરે છે. આ ઉપરાંત બ્લડ પ્લાઝમાની સારવાર છે. આ સારવારને પણ સુરક્ષિત માનવામાં આવી છે પરંતુ તે કેટલી સારી રીતે કામ કરે છે તેની તપાસ ચાલી રહી છે. સસ્તી સ્ટિરોઈડ ડેક્સામેથાસોનને પણ બ્રિટનમાં કોરોનાની સારવારમાં અસરકારક માનવામાં આવી છે. આ દવાનો અમેરિકા, બ્રિટન સહિત દુનિયાના ઘણા દેશોમાં ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, આ દવાની અસરને લઈને પણ હજી સંશોધન ચાલું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો