એપશહેર

Sri Lanka Crisis: આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાએ ઉઠાવ્યું મોટું પગલું

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં પેટ્રોલની ભારે અછત સર્જાઈ છે. દરિયામાં પેટ્રોલ ભરેલું જહાજ ઊભું છે, પરંતુ દેશ પાસે તે છોડાવવા માટે વિદેશી નાણું નથી. જેના પગલે દેશની કેન્દ્રીય બેંકે કોઈ વ્યક્તિ પાસે વિદેશી નાણું રાખવાની મર્યાદા 15 હજાર ડોલરથી ઘટાડીને 10 હજાર ડોલર કરી દીધી છે. શ્રીલંકાની સરકારે કહ્યું કે, દેશ પાસે પેટ્રોલની જહાજ છોડાવવા વિદેશી નાણું નથી એટલે લોકો તેના માટે લાઈનમાં ઊભા રહી રાહ ન જુએ.

Edited byવિપુલ પટેલ | Agencies 19 May 2022, 11:26 pm

હાઈલાઈટ્સ:

  • શ્રીલંકાની વ્યક્તિ દીઠ વિદેશી નાણું રાખવાની મર્યાદા ઘટાડી દીધી.
  • શ્રીલંકાના દરિયા કિનારે બે મહિનાથી પેટ્રોલ ભરેલું જહાજ ઊભું છે.
  • આ જહાજની અગાઉની ખેપના 5.3 કરોડ ડોલર પણ ચૂકવવાના બાકી છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Sri Lanka economy crisis
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા પાસે પેટ્રોલ ખરીદવા માટે વિદેશી નાણું ન હોવાથી તેણે વ્યક્તિ દીઠ વિદેશી નાણું રાખવાની મર્યાદા પર કાપ મૂકી દીધો છે.
કોલંબો: આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકા (Sri Lanka Crisis)ની કેન્દ્રીય બેંકે ગુરુવારે કોઈ વ્યક્તિ પાસે વિદેશી નાણું રાખવાની મર્યાદા 15,000 ડોલરથી ઘટાડીને 10,000 ડોલર કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં વિદેશી મુદ્રા સંકટના કારણે આજે તેની પાસે ઈંધણ માટે ચૂકવણી માટે રૂપિયા નથી. તેને જોતાં જ કેન્દ્રીય બેંકે આ નિર્ણય લીધો છે.
શ્રીલંકાની એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ, કેન્દ્રીય બેંકના ગવર્નર નંદલાલ વીરાસિંઘેએ કહ્યું કે, વિદેશી મુદ્રા એક્સચેન્જ એક્ટ અંતર્ગત કોઈપણ માટે વિદેશી મુદ્રા રાખવાની મર્યાદા હોય છે. અત્યાર સુધી આ મર્યાદા 15,000 ડોલર હતી. ગવર્નરે કહ્યું કે, 10 હજાર ડોલરની મર્યાદા સાથે સંબંધિત વ્યક્તિએ એ જણાવવું પડશે કે તેને એ રૂપિયા ક્યાંથી મળ્યા છે. તેમણે કહ્યું કે, વિદેશી નાણું રાખનારાને બે સપ્તાહની છૂટ અપાશે. તેનાથી વધુ વિદેશી નાણું હોય તો તેને બેન્કિંગ સિસ્ટમમાં પોતાના વિદેશી મુદ્રા ખાતામાં જમા કરાવવાનું રહેશે કે પછી તેને 'સરેન્ડર' કરવું પડશે.
Sri Lanka Crisis: શ્રીલંકામાં ભયાનક આર્થિક સંકટ, પેટ્રોલનું જહાજ આવીને ઉભું છે પણ ચુકવવા માટે પૈસા નથી
શ્રીલંકાએ બુધવારે કહ્યું કે, તેના દરિયા કિનારા પર લગભગ બે મહિનાથી પેટ્રોલ ભરેલું જહાજ ઊભું છે, પરંતુ તેની ચૂકવણી માટે તેની પાસે વિદેશી નાણું નથી. શ્રીલંકાએ પોતાના નાગરિકોને અપીલ કરી છે કે, આ ઈંધણ માટે લાઈનમાં ઊભા રહી રાહ ન જુએ. જોકે, શ્રીલંકાની સરકારે કહ્યું છે કે, દેશની પાસે ડિઝલનો પૂરતો ભંડાર છે.

અન્ય એક વેબસાઈટે જણાવ્યું કે, વિજળી અને ઊર્જા મંત્રી કંચના વિજેસેકેરાએ સંસદને જણાવ્યું કે, 28 માર્ચથી, શ્રીલંકાના દરિયાઈ ક્ષેત્રમાં પેટ્રોલથી ભરેલું જહાજ ઊભું છે. તેમણે એ વાતની પુષ્ટિ કરી કે, દેશમાં પેટ્રોલની ઉપલબ્ધતાની સમસ્યા છે.

નેપાળની હાલત પણ શ્રીલંકા જેવી થવાના અણસાર, ગમે ત્યારે ફૂટી શકે છે ફુગ્ગો!
તેમણે કહ્યું કે, 'અમારી પાસે પેટ્રોલ ભરેલા જહાજની ચૂકવણી કરવા માટે અમેરિકન ડોલર નથી.' તેમણે કહ્યું કે, તે ઉપરાંત જાન્યુઆરી, 2022માં અગાઉની ખેપ માટે એ જ જહાજની વધુ એક 5.3 કરોડ ડોલરની રકમ બાકી છે. મંત્રીએ કહ્યું કે, સંબંધિત શિપિંગ કંપનીએ બંને ચૂકવણી ન થાય ત્યાં સુધી જહાજ છોડવાનો ઈનકાર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં ભારે અરાજકતા ફેલાઈ ગઈ છે. શ્રીલંકા તેની આઝાદી પછીની સૌથી મોટી નાણાકીય કટોકટીનનો સામનો કરી રહ્યું છે. સામાન્ય લોકો માટે જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ ખુબ મોંઘી બની છે. શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદતર બની ગઈ છે, જેના કારણે સામાન્ય લોકો સરકાર વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. સ્થિતિની ગંભીરતાને જોતાં રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષેએ મે મહિનાની શરૂઆતમાં ફરી ઈમરજન્સી લગાવી દીધી છે. અગાઉ એપ્રિલમાં પણ ઈમરજન્સી લગાવાઈ હતી.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story