એપશહેર

શ્રીલંકા પાસે બધા ડોલર ખતમ, હવે લોકલ કરન્સી છાપવાનું પણ બંધ કરશે

શ્રીલંકામાં ફુગાવાનો દર 60 ટકા સુધી પહોંચી ગયો હોવાથી સરકારે કરન્સી નોટો છાપવાનું બંધ કરવા વિચાર્યું છે. શ્રીલંકાએ ઓલરેડી દેવાળું ફૂંકી દીધું હોવાથી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી નાણાકીય સહાય મેળવવાનું કામ પણ ઘણું મુશ્કેલ છે. કારમાં પેટ્રોલ ભરાવવા માંગતા લોકોએ બે-ત્રણ દિવસ સુધી વારો આવે તેની રાહ જોવી પડે છે.

Authored byઅજિત ગઢવી | ET Bureau 5 Jul 2022, 5:21 pm
ભયંકર આર્થિક ભીંસમાં મુકાઈ ગયેલું શ્રીલંકા (Sri Lanka Economic Crisis) ફુગાવાને અંકુશમાં લેવા માટે એક પછી એક પગલાં લઈ રહ્યું છે, પરંતુ તેના કોઈ ફાયદા દેખાતા નથી. વિદેશથી માલની આયાત કરવા માટે ડોલરની જરૂર પડે છે પરંતુ શ્રીલંકા પાસે ડોલર ખતમ થઈ ગયા છે. ફુગાવાનો દર (Sri Lanka Inflation) 60 ટકાના સ્તરે પહોંચી ગયો છે તેથી ખરીદીને ડામવા માટે સરકારે નવી કરન્સી (Sri Lanka Currency) છાપવાનું જ બંધ કરી દીધું છે.
I am Gujarat srilanka
શ્રીલંકાના 70 વર્ષના ઇતિહાસમાં આ સૌથી ખરાબ કરન્સી કટોકટી ગણવામાં આવે છે.

મની લોન્ડરિંગ કેસઃ મોબાઈલ કંપની Vivo પર EDના દરોડા, 44 સ્થળે ટીમ ત્રાટકી
શ્રીલંકાએ ઓલરેડી દેવાળું ફૂંકી દીધું હોવાથી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી નાણાકીય સહાય મેળવવાનું કામ પણ ઘણું મુશ્કેલ છે. અત્યાર સુધી લોકોના પગાર કરવા માટે કરન્સી છાપવામાં આવતી હતી, પરંતુ હવે તેનું છાપકામ પણ અટકાવી દેવામાં આવશે.
આ બે મિડકેપ સ્ટોક્સ ગમે ત્યારે લાર્જકેપ બની બજારને ગજાવશેઃ દેવેન ચોક્સીની આગાહી
ઓગસ્ટમાં શ્રીલંકા અને IMF વચ્ચે એક કરાર થવાની શક્યતા છે જેનાથી તેને નાણાં મળી શકશે. અગાઉ આ કરાર જૂનમાં થવાના હતા. જૂન મહિનામાં ફુગાવાનો દર 55 ટકા નોંધાયો હતો જેમાં ટ્રાન્સપોર્ટેશનના દરમાં 128 ટકાનો વધારો થયો હતો જ્યારે અનાજ અને બીજા ખાદ્યપદાર્થોના ભાવમાં 80 ટકાનો વધારો થયો હતો. હાલમાં શ્રીલંકા અનાજ અને ક્રૂડઓઈલની ભયંકર તંગીનો સામનો કરે છે. કારમાં પેટ્રોલ ભરાવવા માંગતા લોકોએ બે-ત્રણ દિવસ સુધી કારમાં બેસીને વારો આવે તેની રાહ જોવી પડે છે.
ટાટા મોટર્સે 5 વર્ષથી ડિવિડન્ડ નથી ચુકવ્યું, હવે મેનેજમેન્ટે કરી મોટી જાહેરાત
બજારમાંથી કરન્સી જ ઓછી કરી દેવામાં આવશે તો ફુગાવો અંકુશમાં આવશે તેમ સરકાર માને છે. 2022ના પ્રથમ ક્વાર્ટરમાં શ્રીલંકાએ 588 અબજ રૂપિયા છાપ્યા હતા જેનો હેતુ સરકારી કર્મચારીઓના પગાર કરવાનો હતો. જાન્યુઆરી 2020થી અત્યાર સુધીમાં 2.3 ટ્રિલિયન રૂપિયાનો આઉટપુટ ગેપ છે. શ્રીલંકાના 70 વર્ષના ઇતિહાસમાં આ સૌથી ખરાબ કરન્સી કટોકટી ગણવામાં આવે છે.
આગામી બે વર્ષ સુધી આ 3 સેક્ટર્સ પર દાવ લગાવો, ભરપૂર નફાની શક્યતા
2020માં બજારમાં લિક્વિડિટી વધારવા માટે 206 અબજ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2020થી માર્ચ 2022 સુધીમાં રિઝર્વ મનીમાં 49 ટકાનો વધારો થયો છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે 2019માં જ શ્રીલંકાની કટોકટીના અણસાર આપી દીધા હતા. એડીબીએ જણાવ્યું હતું કે શ્રીલંકા 'ટ્વીન ડેફિસિટ' દેશ છે. એટલે કે દેશની રાષ્ટ્રીય આવક કરતા તેનો ખર્ચ વધારે હતો. આ ઉપરાંત શ્રીલંકામાં ટ્રેડેબલ ગુડ્સ અને સર્વિસિસનું ઉત્પાદન પણ અપૂરતું હતું. તેના કારણે આર્થિક કટોકટી આવવાની ભરપૂર શક્યતા હતી. ત્યાર પછી કોવિડ આવ્યો અને શ્રીલંકાના પર્યટન ઉદ્યોગને ભારે ફટકો પડ્યો જેના કારણે અત્યારની સ્થિતિ સર્જાઈ છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો