ન્યૂયોર્ક: ઉરી હુમલાને લઈને પીએમ નરેન્દ્ર મોદીના આક્રમક હુમલા બાદ હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી આતંકવાદ પર પાકિસ્તાનને ખુલ્લું પાડવાની પૂરી તૈયારી થઈ ચૂકી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 71મા સત્રને સંબોધિત કરવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ન્યૂયોર્ક પહોંચી ગયા છે અને બધાના આંખ-કાન મહાસભામાં આવતીકાલે થનારા તેમના સંબોધન પર લાગેલા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, પોતાના સંબોધનમાં સુષમા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના કાશ્મીર રાગ પર એક સણસણતો જવાબ આપશે.
સુષમા શનિવારે બપોરે ન્યૂયોર્ક પહોંચ્યા અને સોમવારે સવારે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે એક ટ્વીટમાં જણાવ્યું કે, ‘સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 71મા સત્રમાં ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ન્યૂયોર્ક પહોંચ્યા.’
શરીફે મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન વધુ ધ્યાન કાશ્મીર પર જ કેન્દ્રિત રાખ્યું હતું. ત્યારે સુષમા પાસે આશા રાખવામાં આવી રહી છે કે તે શરીફના એ ભાષણનો કડક જવાબ આપે.
શરીફના ભાષણ પર ભારતે જવાબના અધિકારનો ઉપયોગ કર્યો અને પાકિસ્તાનને ‘આતંકવાદનું શરણસ્થળ’ તથા એવો ‘આતંકવાદી દેશ’ જણાવ્યો, જે આતંકવાદનો ઉપયોગ સરકારી નીતિ તરીકે કરી ‘યુદ્ધ અપરાધો’ને અંજામ આપે છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભારતના મુખ્ય ફોકસને અંડરલાઈન કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે, આતંકવાદ ભારતની સાથે-સાથે વિશ્વભરના દેશો માટે ‘પ્રાથમિક ચિંતા’નો વિષય છે.
તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સુધારાઓ, સતત વિકાસ, જળવાયુ પરિવર્તન અને શાંતિ રક્ષા જેવી અન્ય પ્રાથમિકતાઓને જણાવી અને તેને મહાસભાના હાલના સત્રમાં ભારતની પ્રાથમિકતા જણાવી.
સ્વરૂપે 23 સપ્ટેમ્બરને અહીં પત્રકારોને જણાવ્યું કે, ‘સમગ્ર વિશ્વ અને આખો દેશ’ સુષમા સ્વરાજના સંબોધનને સાંભળવા રાહ જુએ છે. તેઓ 71મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે ભારતના ‘વિઝન દસ્તાવેજ’ને રજૂ કરવાના છે. તેમણે કહ્યું હતું કે, ‘આપણે બધા તેની (સંબોધનની) રાહ જોઈ રહ્યા છીએ.’
જોકે, તેમણે સુષમાના સંબોધનમાં સામેલ બાબતો પર વિસ્તૃત જાણકારી ન આપી, પરંતુ કહ્યું કે, ‘સમગ્ર વિશ્વ અને આખો દેશ એ સાંભળવા રાહ જોઈ રહ્યો છે કે વિદેશ મંત્રી શું બોલશે? પરંતુ મને લાગે છે કે અકબરૂદ્દીને જે મુદ્દાઓને અંડરલાઈન કર્યા છે, તે નિશ્વિત રીતે આતંરાષ્ટ્રીય સમુદાયના આ સૌથી મહત્વના મંચ પર આપણા પ્રતિનિધિત્વનો ભાગ રહેવાના છે.’
સ્વરૂપે કહ્યું કે, તમે ‘આતંકવાદના મુદ્દાને ભારત દ્વારા સતત કેન્દ્રમાં રાખવાની આશા વ્યક્ત કરી શકો છે, જે આ સમયે નિશ્વિત રીતે આતંરાષ્ટ્રીય શાંતિ તેમજ સુરક્ષા પર મંડરાઈ રહેલો એકમાત્ર સૌથી મોટો ખતરો છે.
સુષમા શનિવારે બપોરે ન્યૂયોર્ક પહોંચ્યા અને સોમવારે સવારે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે એક ટ્વીટમાં જણાવ્યું કે, ‘સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 71મા સત્રમાં ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ન્યૂયોર્ક પહોંચ્યા.’
શરીફે મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન વધુ ધ્યાન કાશ્મીર પર જ કેન્દ્રિત રાખ્યું હતું. ત્યારે સુષમા પાસે આશા રાખવામાં આવી રહી છે કે તે શરીફના એ ભાષણનો કડક જવાબ આપે.
શરીફના ભાષણ પર ભારતે જવાબના અધિકારનો ઉપયોગ કર્યો અને પાકિસ્તાનને ‘આતંકવાદનું શરણસ્થળ’ તથા એવો ‘આતંકવાદી દેશ’ જણાવ્યો, જે આતંકવાદનો ઉપયોગ સરકારી નીતિ તરીકે કરી ‘યુદ્ધ અપરાધો’ને અંજામ આપે છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભારતના મુખ્ય ફોકસને અંડરલાઈન કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે, આતંકવાદ ભારતની સાથે-સાથે વિશ્વભરના દેશો માટે ‘પ્રાથમિક ચિંતા’નો વિષય છે.
તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સુધારાઓ, સતત વિકાસ, જળવાયુ પરિવર્તન અને શાંતિ રક્ષા જેવી અન્ય પ્રાથમિકતાઓને જણાવી અને તેને મહાસભાના હાલના સત્રમાં ભારતની પ્રાથમિકતા જણાવી.
સ્વરૂપે 23 સપ્ટેમ્બરને અહીં પત્રકારોને જણાવ્યું કે, ‘સમગ્ર વિશ્વ અને આખો દેશ’ સુષમા સ્વરાજના સંબોધનને સાંભળવા રાહ જુએ છે. તેઓ 71મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે ભારતના ‘વિઝન દસ્તાવેજ’ને રજૂ કરવાના છે. તેમણે કહ્યું હતું કે, ‘આપણે બધા તેની (સંબોધનની) રાહ જોઈ રહ્યા છીએ.’
જોકે, તેમણે સુષમાના સંબોધનમાં સામેલ બાબતો પર વિસ્તૃત જાણકારી ન આપી, પરંતુ કહ્યું કે, ‘સમગ્ર વિશ્વ અને આખો દેશ એ સાંભળવા રાહ જોઈ રહ્યો છે કે વિદેશ મંત્રી શું બોલશે? પરંતુ મને લાગે છે કે અકબરૂદ્દીને જે મુદ્દાઓને અંડરલાઈન કર્યા છે, તે નિશ્વિત રીતે આતંરાષ્ટ્રીય સમુદાયના આ સૌથી મહત્વના મંચ પર આપણા પ્રતિનિધિત્વનો ભાગ રહેવાના છે.’
સ્વરૂપે કહ્યું કે, તમે ‘આતંકવાદના મુદ્દાને ભારત દ્વારા સતત કેન્દ્રમાં રાખવાની આશા વ્યક્ત કરી શકો છે, જે આ સમયે નિશ્વિત રીતે આતંરાષ્ટ્રીય શાંતિ તેમજ સુરક્ષા પર મંડરાઈ રહેલો એકમાત્ર સૌથી મોટો ખતરો છે.