એપશહેર

છેલ્લા 200 દિવસથી આ દેશમાં નથી નોંધાયો કોરોનાનો એક પણ ડોમેસ્ટિક કેસ

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર છે ત્યારે આ દેશ કોરોના પર કાબૂ મેળવવામાં સફળ રહ્યો છે

I am Gujarat 29 Oct 2020, 8:29 pm
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે તેવામાં તાઈવાન આ રોગચાળા સામે વિજય મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. તાઈવાનમાં છેલ્લા 200 દિવસમાં કોવિડ-19નો ડોમેસ્ટિકલી ટ્રાન્સમિટેડ એક પણ કેસ નોંધાયો નથી. તાઈવાનના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલમાં છેલ્લે 12 એપ્રિલે ડોમેસ્ટિક કેસ નોંધાયો હતો. સીડીસી દ્વારા આને મોટી સિદ્ધિ ગણવામાં આવી છે અને તેમણે આ સફળતામાં મહત્વનું યોગદાન આપનારા દેશવાસીઓનો આભાર માન્યો છે. જોકે, તેમણે લોકોને માસ્ક પહેરી રાખવા અને વારંવાર હાથ ધોતા રહેવાની અપીલ કરી છે.
I am Gujarat taiwan marks 200 days without a single domestically transmitted case of covid 19
છેલ્લા 200 દિવસથી આ દેશમાં નથી નોંધાયો કોરોનાનો એક પણ ડોમેસ્ટિક કેસ


તાઈવાનમાં 553 કેસ નોંધાયા છે અને સાતના મૃત્યુ થયા છે

કોવિડ-19ની શરૂઆત થઈ ત્યારથી તાઈવાનમાં 553 કેસ નોંધાયા છે જ્યારે ફક્ત સાત લોકોના જ મૃત્યુ થયા છે. હાલમાં દેશમાં ડોમેસ્ટિક ટ્રાન્સમિશન અટકી ગયું છે પરંતુ વિદેશથી આવતા નવા લોકોમાં કેસ નોંધાઈ રહ્યા છે. તાઈવાને જણાવ્યું છે કે કેવી રીતે તેણે કોરોનાનો સામનો કર્યો છે. તાઈવાનનું કહેવું છે કે તેણે કોરોના વાયરસના ઉદ્દભવ સ્થાન ચીન સાથેના બિઝનેસ અને ટૂરિઝમ સંબંધો બંધ કરી દીધા હતા.

શું તાઈવાને ખરેખર કોરોના હરાવ્યો છે?

જોકે, ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું તાઈવાન ખરેખર કોરોના મુક્ત થઈ ગયું છે? લોકલ મીડિયા તાઈવાન છોડ્યા બાદ કોરોના પોઝિટિવ આવે છે તેના પર નજર રાખી રહ્યા છે. સત્તાવાળાઓએ બુધવારે જણાવ્યું હતું કે, તેમને જાપાન અને થાઈલેન્ડના સ્વાસ્થ્ય સત્તાવાળાઓ તરફથી નોટિસ મળી છે કે તાજેતરમાં જ તાઈવાન છોડનારા ત્રણ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, તાઈવાન વિશ્વની નજરમાં સફળ છે કેમ કે વિશ્વભરમાં 44 મિલિયન કોરોનાના કેસ નોંધાયા છે અને 1.1 મિલિયન કરતા વધારે લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે તાઈવાનમાં આ આંકડો ઘણો નાનો છે.

વુહાનથી આવનારા પેસેન્જર્સનું ચેકિંગ કર્યું હતું

તાઈવાનના અધિકારીઓનું કહેવું છે કે મેડિકલ જર્નલ જામામાં સંશોધકોએ લખ્યું છે તે પ્રમાણે 31 ડિસેમ્બરે જ તાવા અને ન્યૂમોનિયાના લક્ષણો જોવા મળ્યા હતા અને ત્યારબાદ તેમણે વુહાનથી ફ્લાઈટ્સમાં આવનારા મુસાફરોનું ચેકિંગ કર્યું હતું. નોંધનીય છે કે ચીનના વુહાન શહેરમાંથી જ કોરોના વાયરસનો ઉદ્દભવ થયો છે. 20 જાન્યુઆરીએ સરકારે સેન્ટ્રલ એપિડેમિક કમાન્ડ સેન્ટરની શરૂઆત કરી હતી જે વિવિધ વિભાગો અને બ્રાન્ચો તથા સરકાર વચ્ચે કોર્ડિનેશન કરે છે.

શરૂઆતથી જ લીધા હતા અત્યંત કડક પગલાં

સરકારે કોરોના સામે લડત આપવા માટે માસ્ક પહેરવું કેટલું જરૂરી છે તે અસરકારક રીતે સમજાવ્યું હતું. આ ઉપરાંત તાઈવાને તેની સરહદો પણ ઝડપથી બંધ કરી દીધી હતી. આ ઉપરાંત 23 જાન્યુઆરીથી વુહાનથી આવનારી ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી અને વુહાનના રહેવાસીઓ હોય તેવા ચીનના નાગરિકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. તાઈવાને વિદેશથી આવતા લોકો માટે 14 દિવસનો ક્વોરેન્ટીન ફરજીયાત બનાવ્યો હતો. ભલે તે વિદેશી નાગરિક હોય કે પછી તાઈવાનનો તમામે ફરજિયાત પણે ક્વોરેન્ટીનમાં રહેવું પડતું હતું.

Read Next Story